SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૮-૪૧ सचम्स आणाए उठिए मेहावी मारं तरति। સત્યનો અણુમાં રહેનારી બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે. પ્રબુદ્ધ જૈન सत्यपूतं वदेद्वाक्यम् ઓગસ્ટ ૧ ૧૯૪૧ હિંસા-અહિંસાનો પ્રશ્ન આ કેમી ઊંચાદિલી અને દેષભાવને લઈને તથા યુરોપીય યુદ્ધને કારણે, હિંસા અહિંસાને પ્રશ્ન નવે રૂપે જોરથી પાછો ચર્ચાવા લાગે છે. આમ જોતાં તે તેની ચર્ચા રાજકારણમાં ઈ. સ. ૧૯૦૫ થી શરૂ થઈ ગણાય. બંગભંગના દુઃખે ઘવાયેલો એક વર્ગ ત્રાસવાદ તરફ વળે, અને તેણે એ વાદની ભૂમિકા ધર્મશાસ્ત્રમાંથી પણ શેધી. સરકાર અને પ્રજાપક્ષો તથા તેના નાયકે સૌને તે વખતે અહિંસાની ધર્મશિક્ષા તરત વસતી હતી, અને સૌ કોઈ એકે એ , કોસવાદી હિંસાને નિંદતા હતા. આ જાતની વડણીએ ત્રાસવાદને ડાંભવામાં ઓછી મદદ નથી કરી. • ઈ. સ. ૧૮૧૮-૨૦ ને જમાને આવ્યું. બંગભંગ જે જ કારી ઘા પ્રજાહૃદયને અમૃતસરમાં થયે હતો. ઉપરાંત ૧૮૧૪-૧૮ ના યુરોપીય યુદ્દે પણ એક મોટો હિંસાને જલસ ઊજવ્યું હતું, અને તેને શમાવવા માટે, આજે હવે સૌ કોઈ કબૂલે છે કે, શાંતિને નામે નવાં કલહબીજ રોપાયાં હતાં. તેમાં પણ હિંદને માટે અપમાન, અન્યાય, અને વચનભંગ ભાગે આવ્યાં હતાં. એ કાળના મનોમંથનમાંથી ગાંધીજીએ અહિંસામૂલક ઉપાય તરીકે સત્યાગ્રહ-સવિનય કાનૂન ભંગ અને અસહકાર-સૂચવ્યું. પ્રજાએ એકી અવાજે તે વધાવી લીધે; પરંતુ ત્રાસવાદના જમા- નાને એક-અવાજ તૂટવ્યો હતો. સરકારે અને પિતાના શાણપણના અભિમાની વિનીત દળે કહ્યું કે, આમાંથી હિંસા જન્મશે. ત્યારે આ બે વર્ગોને એટલી બધી અહિંસા વહાલી હતી કે, જીવનભર અહિંસાની સાધના કરનારને આ લોક ઉપદેશવા નીકળ્યા હતા. પ્રજાએ યા તે અપમાન અને અમૃતસરની કતલને કારી ઘા વીસરી જો, અથવા પોતાથી બને છે અને એટલે તે સામે સક્રિય પિકાર અને વિરોધ કર. એ બેમાંથી એક જ માર્ગ એને માટે ઉઘાડે હતે. પ્રજાએ સ્વમાનને બીજો પથ લીધે. અને ત્યારથી સરકાર અને વિનીત દળ શાંત અને વ્યવસ્થાને નામે મહાસભા અને પ્રજાથી જુદા પડ્યાં તે પડ્યાં. આ કાળમાં અહિંસા દેશના રાજકારણમાં કામ દે કે કેમ, એટલે જ પ્રશ્ન હતા. કેટલાકે સમજથી અને કેટલાકે લાચારીથી, પણ પ્રજાના મોટા ભાગે તેના નેતામાં શ્રદ્ધાથી, રાજકારણમાં અહિંસા સ્વીકારી. એ ધોરણે લગભગ એક વીસી સુધી કામ ચાલ્યું. ધેરણની ર્થસાધતા અને સત્યતા તે દરમ્યાન સિદ્ધ થઈ દેશનું કામ આગળ વધ્યું. સ્ત્રીઓ, હરિજન, ગ્રામવાસીઓ અને સામાન્ય પ્રજાજન–સૌ અંગે સ્વરાજને માટે જાગ્રત થયાં; હિંદની પ્રજા એક સ્વરાજપ્રેમી શક્તિ બની. એની શેહ દેશી રાજ્યની પ્રજા સુધી પહોંચી અને દેશને એ અંધારે ખૂણે પણ અજવાળામાં આવતે ગયે. અને આજે આટલાં વરસે એ આખે ગાળે નિહાળીએ તે. સરકાર અને તેના સહમતી, જે હિંસાની ભીતિ દેખાડી પ્રજાને અને મહાસભાને સત્યાગ્રહ કરવામાંથી રોકવા માગતાં હતાં, તેઓ ખેટાં પડ્યાં છે. બલકે એ ચળવળને દાબવા સારુ. સરકારે એછી અઘટિતતા-એટલે કે અન્યાય અને હિંસા નથી કર્યો. સરવાળે તે હિંસા ચડે, એમ લાગે છે. ૧૯૩૮ નું યુરોપીય યુદ્ધ આવ્યું. મહાસભા તે વખતે મેટા ભાગના દેશમાં સરકારતંત્ર હસ્તક કરીને બેઠી હતી. અહિંસાને પ્રશ્ન નવે રૂપે હવે આવ્યો. જે ગાંધીજીએ ૧૮૧૪ માં હિંસક યુદ્ધમાં સાથ દેવાની વાત કરી હતી, તે આટલાં વર્ષોમાં આગળ વધ્યા હતા. આ વર્ષોમાં હિંસા અહિંસાની બાબતમાં જગત પણ આગળ વધ્યું હતું. હિંસા જેટલી જ અહિંસાના પણ ભૂખ ઊઘડી હતી, અને જગત તેમાં ગૂંચવાઈ ગયું હતું કે કઈ ભૂખ સાચી અને સારી. મહાસભાના સમાજવાદીએ અને અન્ય લેકે પણ આંતરરાષ્ટ્રીય દૃષ્ટિ કેળવી કેળવીને એક પ્રકારના અયુદ્ધવાદી થયા હતા. (અહિંસાને જ મુખ્ય નજરમાં રાખીને અહીં ચર્ચા કરાતી હોવાથી, યુદ્ધની પરિસ્થિતિમાં જે રાજકીય દાવ રમવાને પ્રસંગ હતો તેને અહીં ચર્ચામાં સંડોવત નથી.) અરે, યુરોપમાં પણ બે યુદ્ધોના ગાળામાં લાખો લોકો અયુદ્ધવાદી બન્યા હતા; પણ ધંધા કરતા હતા,ભલે અણસમજમાં, અજ્ઞાનમાં, કે કશું બીજું નહિ સૂઝવાથી લાચારીમાં-પતંગવત્ લડાઈની આગમાં જઈને પડવાના. આ ધંધાઓમાં હિંદ તે એક સોગાત માત્ર હતું. તેમાં તેને તે ભાગ બનવા પૂરતું જ ભાગ હતે. તેથી કરીને, હિંદને માથે સીધું યુદ્ધ તે હતું નહિ. મૂળે જોતાં, તે બ્રિટિશ સામ્રાજ્યનું તેની રક્ષા માટેનું યુદ્ધ હતું. તેના એક અંગ તરીકે હિંદની બ્રિટિશ રાજસત્તાએ હિદનેય યુદ્ધમાં ઉતાર્યું. મહાસભાને આ ન ગમ્યું. ન ગમવામાં એક ભાવ એ પણ હતો કે, જગતભરમાં ઈ. સ. ૧૮૧૮ થી ૧૯૩૮ સુધી અહિંસાને માટે જે વિચાર-પ્રગતિ ચાલી રહી હતી, તેને અહિંસાપ્રેમી હિદે આવકારીને ખરે વખતે પિતાની અહિંસક નીતિને વ્યાપક બનાવી અને કેટલીક ચિત્રવિચિત્ર મથામણ બાદ તે તેમાંથી અટલ બહાર પડયું છે. પરંતુ, આ વખતે એક નવાઈ બની. ગીતા અને ધર્મશાસ્ત્ર અને સંસ્કૃતિનાં મોટાં નામ દઈ દઇને વિનીત અને રાજકારણી કેટલાક મુત્સદ્દીઓ કહેવા લાગ્યા કે, યુદ્ધની હિંસાને માટે વાંધો નથી; અહિંસાની વાત એ શાસ્ત્ર અને સંસ્કૃતિથી વિરુદ્ધ છે. યુનિવર્સિટીઓના કેટલાક કુલનાયકોને પણ આ જાતનું શૂર ચઢ્યું. હવે કેમી હુલ્લડેના વાતાવરણમાં, ને કેટલાકને એમાંથી દેખાતી આંતયુદ્ધની સ્થિતિમાં, અહિંસા દ્વારા કામ લેવાની ગાંધીજીએ વાત કરી; એટલે અત્યાર સુધી કે ગ્રેસને વળગેલા લેકમાંથી પણ, એક યા બીજે નિમિતે, પેલા હિંસા-સમર્થક વર્ગમાં જવાનું શરૂ થયું છે. સ્વરક્ષાને ધર્મ શાસ્ત્રશુદ્ધ અને કાનૂની હક છે, એમ તેમના તરફથી કહેવામાં આવે છે. જાણે કે, અહિંસા દ્વારા કામ લેવા કહેતી વખતે ગાંધીજીએ એને ઇન્કાર કર્યો ન હોય ! અને અહિંસાને શાસ્ત્રાર્થ કરાતા પણ જોવામાં આવે છે. આ બધું અસ્થાને અને અપ્રસ્તુત વ્યર્થતા લાગે છે. ગાંધીજીએ તે કહ્યું જ છે કે, ભાગી ન જ શકાય; સ્વરક્ષા અને સ્વજનરક્ષા કઈ પણ ભોગે થવી જોઈએ; હિંસક કરતાં ઉત્તમ અને સુસંસ્કૃત એવી અહિંસક રીતે થાય તે સરસ. એટલે નાહકના જે સ્વરક્ષાને નામે હિંસા-અહિસાનાં તરંગે ઉઠાવવામાં આવે છે, તે વિચારણાને ગોટાળામાં નાંખે છે. મુળ પ્રશ્ન છે હિંમત અને બહાદુરીને. તે વગર હિંસા કે અહિંસા કે કશાથી સામને શકય જ નથી. હિંદુ અને મુસલમાન બેઉમાં આજે એ ખૂટતાં લાગે છે. નહીં તે ભાગનાર ભાગત શું કામ ? અને મારનાર પાછળથી ભારત
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy