________________
તા. ૧-૮-૪૧
પ્રબુધ જૈન
કેટલાક સમાચાર અને નેધ પંડિત હરગોવિંદદાસ ત્રીકમદાસનો દેહોત્સર્ગ ' પંડિત હરગોવિંદદાસના મુંબઈ ખાતે કેન્સરના દર્દની બીમારીથી નીપજેલાં મરણની નોંધ લેતાં અત્યંત દિલગીરી થાય છે. પંડિત હરગોવિંદદાસને જન્મ રાધનપુર ખાતે આજથી ૫૩ વર્ષ ઉપર થયો હતે. રાધનપુર ખાતે સામાન્ય કેળવણી લઈ તેઓ સંસ્કૃતના ઉચ્ચ અભ્યાસ માટે શ્રીમદ્ વિજય ધર્મસૂરિએ કાશી ખાતે સ્થાપેલી યશોવિજયજી જૈન પાઠશાળામાં જોડાયા હતા અને પાંચ વર્ષના સતતું અભ્યાસ બાદ ન્યાયતીર્થ તથા વ્યાકરણ તીર્થની પદવી મેળવવા ભાગ્યશાળી થયા હત--આટલેથી જ તેઓને સંતવ નહિ થતાં પાલી ભાષાને અભ્યાસ કરવા તેઓ કલબ અને કેન્ડી ગયા હતા, જ્યાં તેઓએ પાલી ભાષાનું ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું કાશી ખાતેથી જે પંડિતરને બહાર પડયા
છે તેમાં પંડિત હરગોવિંદદાસ પ્રથમ પંકિત ધરાવતા હતા. કલકત્તા વિશ્વવિદ્યાલયમાં સંસ્કૃત, પ્રાકૃત તથા ગુજરાતીના અધ્યાપક તરીકે લગભગ વીશ વર્ષ ચાલુ રહી છેલ્લાં બે વર્ષ થયાં તેઓ નિવૃત્ત થયા હતા. તેઓની કૃતિઓમાં પ્રાકૃત કોષ મુખ્ય સ્થાન ધરાવે છે. આપણા આગમ સૂત્રો અને પૂર્વ પુરૂ રચિત સંખ્યાબંધ ગ્રંથે પ્રાકૃત ભાષામાં હેઇને આવા કોપની ખટ લાંબા કાળથી જણાતી હતી. પંડિત હરગોવિંદદાસે આવો અમૂલ્ય છેષ ભારે જહેમત લઈ તૈયાર કરી સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યની અને તે રીતે જૈન સાહિત્યની ભારે સેવા બજાવી છે, એટલું જ નહિ પણ જૈન સમાજ ઉપર ભારે ઉપકાર કર્યો છે. હિન્દભરના સંત વિદ્વાન જ નહિ પરંતુ જર્મન, ઈટાલીયન, અને અંગ્રેજ પ્રોફેસરોએ પણ આ કેશની મુકત કંઠે પ્રશંસા કરી છે અને દુનીઆની દરેક મોટી લાઈબ્રેરીમાં આ કોષ રાખવાની જરૂર છે એમ જાહેર કર્યું છે. પ્રાકૃત કોષ ઉપરાંત “હરિભદ્ર સરિ ચરિત્ર' ના તેઓ કર્તા હતા તથા યશોવિજય ગ્રંથમાળા તથા જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાળાના સંપાદક તરીકે લાંબા વખત સુધી તેમણે કામ કર્યું હતું. છેલા દેઢ વર્ષ થયાં તેઓ સાહિત્ય સંશોધનમાં તથા ધ્યાન ધરવામાં પિતાનો સમય પસાર કરતા હતા. તેઓશ્રીને કેન્સરને અસાધ્ય રોગ લાગુ પડે હતું જેના પરિણામે તેઓ અષાડ વદ ૧૩ ના રોજ પચવને પામ્યા છે. તેમના જવાથી જૈન સમાજે એક ઉચ્ચ ચારિત્રશાળી સાહિત્ય રત્ન ગુમાવેલ છે. તેમના આત્માને પરમ શાન્તિ મળે એવી આપણે પ્રાર્થના ચિન્તવીએ !
કકલભાઈ યુરોપીય વિગ્રહમાંથી વિશ્વવિગ્રહ !
આજે ચાલી રહેલા યુદ્ધને પ્રારંભ તે જર્મનીએ રશીઆને અનુકુળ બનાવીને ઈગ્લાંડ, ફ્રાન્સ તથા પિલાંડ સામે લડાઈ જાહેર કરી ત્યારથી થયો. પણ ત્યારબાદ તે કંઈ કંઈ બનાવે બની ગયા. દુશ્મને મિત્ર બની ગયા અને મિત્રો દુશ્મન બની ગયા. કાન્સ જર્મનીને શરણ થયું એટલું જ નહિ પણ ઇંચ સરકારનું વળણુ જર્મનીને અનુકુળ બની ગયું. બીજી બાજુએ મિત્ર ગણાતા રશી ઉપર જર્મનીએ પીઠ પાછળ ઘા કર્યો. કાન્સના પતન બાદ વર્તમાન વિગ્રહ આફ્રીકા અને એશીઆની ભુમી ઉપર પ્રવેશ તે કર્યો જ હતું. આમ છતાં પણ આજ સુધી યુરોપની જ રાજ્ય સત્તાઓ પરસ્પર લડી રહી હતી. એક બાજુ અમેરિકા અથવા તે યુનાઇટેડ સ્ટેટ્સ અને બીજી બાજુએ જાપાન યુરોપીય વિગ્રહથી અલગ હતા. અમેરિકા બ્રીટન’ તરફ ઢળેલું હતું; જાપાન જર્મની સાથે કેલકરારોથી જોડાયેલું હતું આમ છતાં બેમાંથી એકકે દેશ હજુ વિગ્રહમાં દાખલ થયો ન
હોત. તાજેતરમાં બની રહેલા બનાવે જાપાન અને અમેરિકાને હવે લાંબે વખત યુદ્ધથી અલગ રાખી શકે તેમ નથી. કાન્સના પડવા સાથે જેમ ઈટલીએ જર્મની સાથે વર્તમાન વિગ્રહમાં ઝંપલાવ્યું હતું તેવી જ રીતે જર્મનીના હુમલાથી રશીઆની જોખમાતી સ્થિતિને લાભ લઈને તથા બ્રીટન તે મુંઝાયેલું છે જ એમ સમજીને જાપાન હિંદી ચીન, સીઆમ વિગેરે પૂર્વ પ્રદેશ ઉપર પિતાને બાહુ લંબાવી રહેલ છે. અમેરિકા અને ઈંગ્લાંડે આ સામે તાકીદે પગલાં લીધાં છે અને પિતાની હકુમત નીચેના પ્રદેશમાં પડેલી જાપાનીઝ અક્યામતને જપ્તિમાં લઈ લીધી છે. યુરોપમાં પ્રગટેલ દાવાનળની વિષમય જ્વાળાઓ ખંડ ખંડમાં પ્રસરી રહી છે અને પૃથ્વી ઉપરની એક પણ રાજ્યસત્તા યુદ્ધથી અલગ ન હોય એ દિવસ બહુ જલ્દીથી સમીપ આવે છે. જાપાન આગળ વધે તે બર્મા અને કલકત્તાને આજના યુદ્ધને સીધ્ધો, પરિચય શરૂ થાય. રશીયા જે દબાય તે હિંદુસ્તાનના ઉત્તર ભાગ ઉપર બ્રીટનવિરેાધી રાજ્યનાં આક્રમણ શરૂ થાય. રશીયામાં આગળ વધતું જર્મની અટક ઉભું હોય એમ લાગે છે, જાપાન પણ યુનાઈટેડ સ્ટેટ્સ અને બ્રીટનનું વળણ જોતાં કાંઈક થંભળ્યું હોય એમ ભાસે છે, આમ છતાં પણ યુધ્ધનું તાન જરા પણ ઘટયું નથી અને નબળા ઉપર ચઢી બેસીને જે આવ્યું તે હોઈ કરવાની વૃત્તિ એટલી જ વેગવતી જોવામાં આવે છે. કાળનું મોટું મોટું થતું જાય છે અને વિરાટ ગ્રાસ માંગી રહેલ છે. આજે આખી દુનિયા ખરેખર કોઈ અગમ્ય ઉથલપાથલના રાહ ઉપર જેસભેર દોડી રહી છે. આવતી કાલની ગહનતા ખરે ખર અભેધ છે ! હિંદી રાજ્યતંત્રમાં ફેરફાર
હિંદી રાજ્યતંત્રમાં એક મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યા છે. આજ સુધી હિંદુસ્થાનના સરસુબાની કારોબારી સમિતિ ચાર સરકારી અધિકારીઓ અને ત્રણ બીનઅધિકારી હિંદીએ એમ કુલ સાત સભ્યની બનેલી રહેતી. પરિણામે હિંદીઓની હંમેશાં અલ્પમતી રહેતી. તાજેતરમાં કરવામાં આવેલ ફેરફાર મુજબ હવેથી વાઈસરોયની કારોબારી ત્રણ સરકારી અધિકારીઓ અને આઠ બીનઅધિકારી સભ્યોની બનશે. નવી નીમણુક નીચેના હિંદીઓની કરવામાં આવી છે. સર એચ. પી. મોદી, સર અકબર હૈદરી, શ્રી. રાધવેન્દ્રરાવ, સર ફીઝખાન નુન, સર સુલતાન અહમદ, સર નલિની રંજન સરકાર, શ્રી એમ. એસ. અણે. આમ કારેબારીમાં હિંદી બહુમતી ઉભી થઈ છે એ એક રીતે મહત્વની બીના છે. એમ છતાં આ બીનાને વધારે પડતી અગત્ય આપવાની જરૂર નથી. કારણ કે એક તે અર્થકારણ, રક્ષણ અને રેલવે જેવા ખરા મહત્વના ખાતાઓ સરકારી અધિકારીઓ હસ્તક જ રાખવામાં આવ્યા છે અને બીજું દરેક સભ્ય પિત પિતાના ખાતા પુરતે જ વાઈસરાયને સીધો જવાબદાર છે. આ કારોબારીવિસ્તાર ઉપરાંત સરકારે એક મેટી રક્ષણ સમિતિ ઉભી કરી છે અને તેમાં અનેક નામાંકિત માણસની નિમણુક કરવામાં આવી છે. સાપે છછુંદર ગયો!
આજે સરકાર સાથે કેગ્રેસ અને મસ્લમ લીગ-બે મોટી રાજકારણી સંસ્થાઓ પોતપોતાના કારણોસર અસહકાર કરી રહી છે. ઉપરની નિમણુકનું હિંદી રાજકારણની દૃષ્ટિએ તે બહુ મહત્વ નથી, પણ બીજી રીતે તેનું એક આડક્તરૂં પરિણામ કદાચ હિંદુસ્થાનના લાભમાં આવે એમ આશા રહે છે. ઉપરની નિમણુકામાં સરકાર શ્રી. અણેને મેળવીને કદાચ એમ દા કરે કે પિતે કેંગ્રેસને એક અગત્યને માણસ હસ્તગત કરી શકી
(અનુસંધાન પૃષ્ટ ૬૬ જુઓ )
પાપ છછુંદર
સાથે કામ કરશાસણ