SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જૈન તા. ૧-૮-૪૧ જે જગતના સ્વામી પ્રભુને ત્યાં વૈભવ વિલાસ ન હોય તે તે જખ મારવા પ્રભુ થયુ ? પ્રભુના વૈભવ વિલાસની વાતે પણ તેના ગુણાનુવાદ જ કહેવાય ! ન્યાયમૂર્તિ-જ્યારે તમારા પ્રભુને વૈભવ વિલાસ હવે જોઈએ ત્યારે તમારે એટલે તેના ભકતને કેમ ન હોવો જોઈએ ? તું પતે વૈભવશાળી-વિલાસી હતું કે નહિ ? આરપી-હા ! સમય પ્રમાણે ! ભગવાનની ઈચ્છાથી બધું થતું ! ન્યાયમૂર્તિ-એ ભલા માણસ ! તારે વૈભવ કયાંથી આવતા તે તે કદી વિચાર્યું હતું? આરોપી-એમાં વિચારવાનું છે શું? એ તે ભક્તજને જ આપતા. શાસ્ત્રમાં ધર્મગુરૂને દાન કરવાનું મેટું પુણ્ય લખ્યું છે, તેથી પુણ્ય માટે દાન નિમિતે અમને બધું મળી રહેતું ! ન્યાયમૂર્તિ-પિતાના રડતા છોકરાંને એક પાઈ ન આપનાર, માંદી પત્નીની દવા માટે દમડી ન ખરચનાર, પિતાની સુખ, સગવડતા અને નરી જરૂરિયાતને પણ સાચવવા અશકત હોય તેવા ગરીબ માણુની લેહીની-પસીનાની કમાણીનું ધન તારા વૈભવ માટે કે તારી ધૂન માટે વાપરતાં તને અરેરાટી ન થતી ? આરોપી–એ તે તેઓની પાકી ફરજ હતી. એવા દાન સિવાય તે સ્વર્ગ કંઈ રસ્તામાં નથી પડયું ને ? દાન આપનાર કોણ છે, તે દ્રવ્ય કયાંથી આવે છે અને પાછળથી આપનારનું શું થાય છે. તે જોવાનું કામ અમારૂં નથી દાન ગેલકમાં નાંખી સ્વર્ગનું વચન-પુણ્યનું વચન-આપવાનું કામ અમારૂં. દાન એક ઉત્તમ ક્રિયા છે એમ આપ જરૂર જાણતા હશે જ ! • ન્યાયમૂર્તિ-ખપ પૂરતું જ દાન લે છે કે દરેક પાસેથી હક ન્યાયમૂર્તિધર્મગુરૂનું કામકાજ શું? કંઈ કહીશ? - આપી–એવી મામુલી વાત સાથે ભેખને શું સંબંધ ? અને ભક્તને પણ તેવી વાત સાથે શું લેવા દેવા ? તેણે તે સાધુને સર્વગુણસંપન્ન માનો ઘટે. તેથી ભેખ અને ભગ છે સામું જ જોવાનું હોય. ભગવા કર્યા ત્યારથી તે અહિં આવ્યું ત્યાં સુધીમાં અને તે વિચાર જ નથી કર્યો. માત્ર એટ- લું જ જાણતા કે ભકતને વાડાની બહાર જતાં અટકાવી ક્રિયાકાંડમાં ચુસ્ત રાખવા, ધર્મગુરૂ ધર્મપુસ્તક અને દેવમાં શ્રદ્ધા રખાવી મોક્ષ મેળવી દેવો. ન્યાયમૂર્તિ-બદલામાં તને શું મળતું ? આરોપી-અમારા ભરણપોષણને ભાર તેમને ઉપાડ ન પડત. ઉદરપોષણ, કપડાં લતાં, આશ્રયસ્થાન અને બીજી નાની મેટી જરૂરિયાતની ચિંતા અમારા ભાવિક ભકતે જ કરતા. ન્યાયમૂર્તિ-વાર ! પણ એથી તારું કલ્યાણ શું થયું? આરોપી–કેમ, અમારૂં તે જ્યારથી ભેખ ધર્યો ત્યારથી કલ્યાણ જ છે. ભેખ અને ભગવાનને કયાં છેટું છે? ભગવા કર્યો એટલે સ્વર્ગના એકાદ ખૂણામાં જગ્યા નકકી થઈ ગઈ જ સમજોને !' આ જ અમારું કલ્યાણ ! ન્યાયમૂર્તિ-જગતમાં તારી સમજમાં આવેલું, અનુભવેલું કે જાણેલું સત્ય પ્રજા પાસે ગમે તે ભોગે, માન અપમાન કે જીવન નના ભેગે પણ નિર્ભેળપણે રજુ કરવું તે ધર્મગુરૂનું કામ ખરૂં કે ? એક જગ્યાએ એક અને બીજી જગ્યાએ બીજો અર્થ કરી ભાષા-ચાતુરીથી પ્રજાને છેતરીને જાતે છટકી જવા જેવું કામ તમે કયું છે કે નહિ ? આરોપી–આ બધી વાતે હું નથી જાણતા. શાસ્ત્રમાં લખ્યું કે ગુરૂએ ભણાવ્યું તેટલું જ અમારા સંજોગ અનુસાર, પ્રજાનું વળણ જોઇને અમારી ,દીને વાંધો ન આવે તેવી રીત બધેલું ખરું કહું તે અમે તે ગુરૂની નકલ જ કરેલી. તેમાં અમારી અક્કલ વાપરવાની ગુરૂની ના હતી અને અમને જરૂર પણ નહોતી. પ્રજાની તાકાત પ્રમાણે જ તેને સત્ય બતાવાય ! શ્રદ્ધા એજ મેટું સત્ય કે ભકિત. અમે અમારામાં શ્રદ્ધા રાખતાં શીખવ્યું એમાં પાપ તે નથી જ કર્યું ! પ્રજાને સત્યના ઉંડા જળમાં ઉતાર્યો ફાયદો શું ? - . ન્યાયમૂર્તિ–સાંભળ ! તારા સંજોગ અને સત્યને સબંધ નથી. તારા ધમૅ અને સત્યને સબંધ છે. તમે માને છે કે – • મારું તારું પારકું, એ ક્ષુદ્ર જનની માન્યતા ઉદાર ચરિતાને તે વિશ્વ એજ કુટુંબ છે. (ગીતા) આમ માન્યતા હોવા છતાં ધર્મગુરૂઓએ ધર્મમાં કેટલા કેટલા તડા, મતમતાંતરો કરી નાંખ્યા, કેટલાને ઉંચા નીચા, સ્પેશય, અસ્પર્શીય કરાવી વિકાસના દ્વાર બંધ કરાવી નાંખ્યા તે તમે જાણે છેને ? એટલું જ નહિ પણ જગના પિતા, વિશ્વસ્વામીના પણ તમે તે માલીક બની બેઠા અને આ મારા પ્રભુ ! પેલા તમારા પ્રભુ, મારા પ્રભુની લાલ આંખ, તમારા પ્રભુની ધળી દાઢી, મારા પ્રભુ પીતાંબર, તમારા નાગા બાવા, મારા પ્રભુને હીરાની આંખ, તમારા પ્રભુ આંધળોભીંત ! આવું આવું શીખવી પ્રભુની તમે કેટલી હદ સુધી મશ્કરી કરી છે અને પ્રભુને નામે, ધર્મને નામે આવી આવી વાતે લખાવી પ્રભુના બેહુદા ધંભના વર્ણને ચીતરી તમે ખુદ પ્રભુની બદનક્ષી કરી છે. તે કબુલ કરે છે કે નહિ ? આરોપી–એમાં બદનક્ષી શાની ? મારાપણું ન હોય તે સંપ્રદાયનું અસ્તિત્વ કેમ ટકે ? સંપ્રદાયની માન્યતા વિના ગુરમાં શ્રદ્ધા કેમ રહે? અને ગુરૂ વિના જ્ઞાન કે મેક્ષ છેડે મળે છે? આરોપી–સાહેબ ! આ સૌ અકકલ વગરના બેહુદા પ્રશ્નો છે. જેમ ધર્મના પૈસા સંબંધી સ્થિતિ સારી, જેમ દ્રવ્યસંચય વધુ તેમ તેની હૈયાતી લાંબી. આમ અમે માનીએ છીએ એટલે દરેક પાસેથી અમે દાન લેતા, અમે મટી મેટી મીકતે ધર્મને નામે ભેગી કરી છે. ઠેર ઠેર ધર્મપ્રીતિ ટકાવવા નવા નવા મંદિરે, નવા નવા પ્રભુએ સ્થાપ્યા છે, ઉત્સવ ભજન સમારંભ, ક્રિયાકાંડેનાં પ્રદર્શને ગેહવ્યા છે. અમે પ્રજામાં છાપ બેસાડવા માટે ધામધુમથી રાજા મહારાજાની માફક રહેતા હતા. કલિકાળમાં આ સિવાય ધર્મ ટકે પણ કેમ ? ન્યાયમૂર્તિ-આ સિવાય દાનનો બીજો કોઈ ઉપયોગ કરતા ? આરોપી–અમારૂં સાધુઓનું ખર્ચ નભતું ? પંડિતે રાખી શાસ્ત્રો સુધરાવતા, બાકી તે એ ધરમને દરબાર છે. ત્યાં ખર્ચનું શું પૂછવું ? ન્યાયમૂર્તિ-તમે અન્ય મનુષ્યને ખરા પ્રસંગે મદદ કરતા ? તમારા ભકતના વિકાસ માટે કોઈ યેજનામાં એ દ્રવ્ય વપરાતું ? અનાથ, અપંગ અને નિરાધારને કેઈ પણ પ્રકારની મદદ કરતા ? આરેપી-હરિ ! હરિ ! ભગવાન! આ શું બોલે છે ? ધર્માદાને એક પણ કણ સંસારીના પેટમાં જાય કે તેના નિમિતે વપરાય તે તેને સે સે ભવ રૌરવ નર્કમાં રહેવું પડે એમ શાસ્ત્રમાં લખ્યું છે. લેનાર અને દેનાર કે દેવાને બંધ કરનાર બધા સરખા દોષિત છે. એટલે અમે શા માટે પાપમાં પડી નર્કના ભાગીદાર થઈએ ? આ કંઈ લુલા લંગડાની પાંજરાપોળ નથી, કે કોઈ અનાથાશ્રમ નથી. આ તો પ્રભુને દરબાર છે ત્યાં ભગવાન અને ભેખધારી સિવાય બીજું કંઇ વિચારાય જ નહિ. ન્યાયમૂર્તિ–ત્યારે તમે મહારાજ કેટલા ભવ રૌરવ નર્કમાં રહેશે ? તમે તમારું આ રૂસ્ટપુષ્ટ શરીર તે પૈસાથી જ પડ્યું . (અનુસંધાન પૃષ્ઠ ૬૭ જુઓ),
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy