SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ પ્રબુધ્ધ જૈન ઇષ્ટ છે, વધારે શુદ્ધ છે. જીસ નગરીમે યા ધરમ નહિ, ઉસ નગરીમે 'રહના કયા ?’ એ કશ્મીરંજીના વચનમાં શુદ્ધ અસહકાર અને બહિષ્કારનું તત્ત્વ પડેલુ છે પણ એ બેધારી તલવાર છે. એની પાછળ તિરસ્કાર અને ઝેરવેર હશે તે એ હથિયાર ‘બૂમરેગ્ની જેમ આપણી ઉપર જ પાછું ઉછળીને આવશે. એ હથિયાર વાપરવાનેા દરેક કામને હક છે, અને અત્યાચારથી ત્રાસેલી દરેક વ્યકિત કે સંસ્થાએ વાપરી શકે, પણ એને પ્રયોગ લાંમા ડ્રાય નહિ; બહુ જ ટૂંકા, સફ્ળ અને કાર્યસાધક હોય. એ તે। ત્યારે જ થાય કે એની પાછળ ભરપૂર શુદ્ધિ રહેલી હાય. જો શુદ્ધિ રહેલી `ન હાય તો એ લાંખા ચાલશે, કાર્યસાધક ન થાય, અને ઝેરનાં બીજ રાપશે. ખરી. રીતે કહું તે। બહિષ્કાર અથવા અસહકાર તા સહજspontaneous–હાય, એને માટે આંદેલનની જરૂર નહાય. મને જેનાથી દુ:ખ થયું હેાય તેની આગળ હું નહિ જાઉં, તેના ક્લિને બીજી રીતે ન જીતી શકતા હાઉ' તે તેની સાથે કશે। વ્યવહાર ન રાખું એ સ્વાભાવિક છે, પણ એમાં પણ ઝેર ન હાય, તિરસ્કાર ન હોય તે જ પેલે મારી સાથે પાછે વ્યવહાર શરૂ કરવાને તત્પર થશે, બીજી રીતે નહિ થાય. વળી બીજી વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે. દરેક સ્થાન અને દરેક સમયે એ વસ્તુ કરવા જેવી છે એમ ન કહી શકાય; દરેક સ્થાન અને સમય પરત્વે એ અસહકાર કે બહિષ્કારની આવશ્યકતા અને રૂપ વિચારવું ઘટે. વચલા ભાગ તા અને કામેા વચ્ચે સમજૂતી, ગમે તેવા અને તેટલા ઝગડા પંચ મારફતે જ શમાવવા છે, એક બીજાનાં ગળાં કાપીને નથી શમાવવા એ દૃઢ નિશ્ચય જોઇએ. એ વચલા માર્ગ નહિ પણ એ જ શ્રેષ્ઠ માર્ગ છે. એ કોઇ માર્ગ અશકય હેાય તા જ વચલા માર્ગ તરીકે અહિષ્કારની સૂચના કિરપાલજીનીએ કરી છે. પણ એમણે પણ એ એક સૂચના તરીકે જ મૂકી છે, એમાં વિધીને ભૂખાં મારવાની વાત નથી, ત્રાસ આપવાની વાત નથી, પણ ત્રાસ અને અત્યાચાર સામે તે તે વ્યક્તિ કે કૈામના પુણ્યપ્રકોપ છે. એ વસ્તુ સમજવા જેવી છે, પ્રજાના પ્રતિકાર ૪. હિ'સક પ્રતિકાર દ્વારા પણ રમખાણાના સામના કરવાની પ્રજાની તાકાત કે હોંસ નથી દેખાતી, એ સમેગામાં કોન્ગ્રેસ અહિંસક રીતે એનો સામનો કરવાનુ કહે છે તે પ્રજા ઝીલી શકશે? અથવા ઝીલવા માટે એણે શાં પગલાં લેવાં જોઇએ ? મહુાઢવભાઈ : હિંસક પ્રતિકાર દ્વારા પણ રમખાણોના સામને કરવાની હાંસ કે તાકાત નથી એમ તમે માની લે છે! એ બરાબર નથી. પ્રજાને તે આજે હિ ંસક પ્રતિકાર કે અહિંસક પ્રતિકાર બંને વિષે બહુ ઓછી ગમગત છે. પ્રજામાં રાષ ભરેલા છે, જો મુકાબલો થઇ શકે તે કરવાની ઇચ્છા પૂરી છે, પણ મુકાબલા કેવી રીતે કરી શકાય એની એને ખબર નથી. કાંગ્રેસ કાંઇક કરી દેશે અથવા સરકાર કાંઇક કરી દેશે એમ માનીને બેસી રહેવાની પ્રજાને ટેવ પડેલી છે. એ ટેવ આપણે પ્રજાની પાસે છેડાવવી છે. સરકારની બહુ કરવાની સચ્છા હાય કે ન રાયું, તોફાનો બહુ ફેલાય તે તેને પહોંચી વળવાની સરકારની જરાય તાકાત નથી એ વાત કૉંગ્રેસે પ્રજાને સમજાવવી રહી છે. જો પ્રજા એ સમજે તેા પછી પેાતાનું રક્ષણ કેવી રીતે કરવુ એ સવાલ રહ્યો. એ રક્ષણ હિંસક કે અહિંસક પ્રતિકાર દ્વારા કરવુ રહ્યુ. ખરી વાત એ છે કે જેમને અહિંસા વિષે શ્રદ્ધા છે તેમણે પણ પેાતાની અહિંસા કૃતિમાં સ્પષ્ટ રીતે બતાવી નથી, એટલે પ્રજાને અહિંસાની ખરી ખૂબી જોવાની મળી નથી. ', તા. ૧૫-૭૪૧ આજે જો ખેાબા જેટલા માણસ પણ સાચા થાય, અને અહિંસક પ્રતિકાર કરતાં ખપી જવાને તૈયાર થાય તે પ્રજા હિંસક અને અહિંસક પ્રતિકાર બંનેના ઇલ્મ સમજશે. કોંગ્રેસ અહિંસક પ્રતિકારમાં માને છે એમ કહેવા કરતાં એ કહેવુ વધારે બરાબર છે કે, કેટલાક કૉંગ્રેસી અર્હંસક પ્રતિકારમાં માને છે. એટલે ગાંધીજી તે! આજે પ્રજાને કહે છે કે આયલાપણું છોડો, નામર્દા તો અને પ્રતિકાર કરતાં શીખો. એ પ્રતિકાર અહિંસક હશે તેા રડી વાત છે, હિંસક હશે તે યે બાયલાપણા કરતાં તા તે હજાર દરજ્જે સારે. આ વસ્તુ કૉંગ્રેસ પ્રજા આગળ મૂકે છે, એમાંથી પ્રજાને જે પસંદગી કરવી હાય તે કરે. કોઇ પણ જણને એ કહેવાન તા બહાનું નથી રહેવાનુ કે અહિંસાને લીધે અમે લૂટાઇ ગયા, તારાજ થયા, હિંસા કરવાની છૂટ હાત તા આવું થાત જ નહિ. શાંતિસેવાસંધના સભ્યો આ સદેશો ફેલાવશે અને આશા એવી છે કે એને પરિણામે પૂજાને પેાતાનુ કન્ય સૂઝી રહેશે. ‘ફુલછાબ’માંથી સાભાર ઉષ્કૃત. પરિભ્રમણ નિડર મુંબઇમાં કામી રમખાણુની ખીજી આવૃત્તિ દરમિયાન શ્રી આપાસાહેબ પટવર્ધન અને તેમના સાથી શ્રી ગેાખલે એ જોખમી ગણાતા મુસલમાન લતામાં પરિભ્રમણ કર્યું હતુ એ પરિભ્રમણ દરમિયાન મુસલમાન ભાઇઓને ઉદ્દેશીને એક પત્રિકા બહાર પાડી હતી તે ઉપયોગી અને દિશાસૂચક લાગવાથી નીચે આપવામાં આવે છે, મુસ્લિમ ભાઇઓને હું હિંદુ છું; કાંગ્રેસી છું. રત્નાગિરી જીલ્લામાં કેટલાય વરસાથી સેવાકાર્ય કરી રહ્યો છું. મારે મન હિંદુમુસલમાન એકજ છે. જે માન મને મારા ધર્મ સારૂં છે તેજ માન ઇસ્લામને સારૂં છે. જ્યાં હું રહું છું ત્યાં જેમ હું હિંદુમાં ભળું છું તેમ જ મુસલમાનામાં પણ ભળવાની મારી હંમેશાં કોશીશ હાય છે. જ્યારે મેં મુંબઈમાં હુલ્લડતું સાંભળ્યુ ત્યારે મને ઇચ્છા થઇ કે હું મુંબઈ આવું ને મારાથી બને ત્યાં સુધી શાંતિ જાળવવામાં ભાગ લઉં. મેગુનાહ તથા બેખબર હિંદુ કે મુસલમાન ભાઇને છરીના ભાગ થતાં જોઇ મને બેહદ દુ:ખ થાય છે. તેમજ હિંદુમુસલમાનેમાંથી એક કામના લોકો ખીજી કામના લત્તામાં જતાં ડરે એ મેઉકેમા માટે શરમની વાત છે એમ મને લાગે છે, તેથી હું તેા તમારી વચ્ચે નિર્ભયતાપુર્વક કરી રહ્યો છું. એથી હું' મારા મનમાં વસતા તમારી પ્રત્યેનો પ્રેમ તથા ભાસે જાહેર કરવા ઇચ્છું છું, તમારી બાજૂ પણ સમજી લેવા ઇચ્છુ હ્યુ', તેમજ તમને વિનવવા માગુ છુ કે તમે પાતે ભેગુનાહાની ઉપર તમારે। હાથ ન જ ઉગામા, પણ જા તેમ કરતા હોય તે તેને રોકો, ઢાંકો નહી કે તેમને કઇ રીતે ઉત્તેજન પણ આપશે। નહી. નિર્દોષને મારીને નાસી જવામાં નથી ન્યાય કે નથી બહાદુરી. આપણી વચ્ચે રાજકારણીભેદે ભલે હાય, પણ તેને ફેસલો કે' ફડચા આપણે જંગલી બનીને નથી કરવાના, તે તે ન્યાયથી જ થઇ શકે. હિંદુઓને પણ એજ વાત સમજાવવાની હું કોશીશ કરી રહ્યો છું. ખીજાએ પણ કરે છે. તેમાં હું કે બીજા જાનને જોખમે કામ નથી કરતા, પણ તમારી વચ્ચે આવવામાં કાંઇક જોખમ પણ ખરૂં જ. હિંદુ માત્ર સાપાત્ર છે એમ માનનાર કોઇક મુસલમાનબાઇ મારી ઉપર હુમલે! પણ કરે તેયે હું તે ખુશીથી બરદાશ્ત કરીશ. હું સમજીશ કે હિંદુ તરફથી પણૢ કેટલાય નિર્દોષ મુસ્લિમાની હત્યા થઇ છે તેનું મેં કાંઇક પ્રાયશ્ચિત્ત કયુ. મને એમ પણ લાગે છે કે મારા જેવાંની કુરબાનીથી આપણે આવાં જંગલી કામામાંથી બચશુ` અને કાષ્ટ દિવસે આપણાં દિલ એક થશે. તમારા ભાઇ તથા સેવક સીતારામ પુરૂષેત્તમ ઉર્ફે અપ્પા પાવન.
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy