SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ . * કામના * ( :: I, '' 31) : ' આ - - - તા. ૧૫-૭-૪૧ પ્રબુધ જૈન - - - - - - - - - - પ્રીમ વ્યાયામવર્ગની ઝીણી ઝરમર ... (પૃષ્ટ ૫૩ થી ચાલુ) કે ગરીબને ભેદભાવ અહિં દેખાતો ન હતો. ૮૦૦ માણસનું એકત્ર જીવન હોય અને પરસ્પર સુખ દુઃખ ખમવાનાં હોય, તેવું વાતાવરણ વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓમાં જણાતું હતું. - ગ્રીષ્મ વ્યાયામ વર્ગમાં એક માસ દરમિયાન અનેક શિષ્ટ વકતાઓએ પિતાની લાક્ષણિક શૈલીમાં પોતાના જીવનમાં અનુભવેલાં જ્ઞાનને રસ અમને સર્વેને પાકે. કાકાસાહેબ, કિરપલાની, મશરૂવાળા, નાથજી, સ્વામી આનંદ જેવા મહાપુરૂષોએ વ્યાખ્યાનો આપેલા. વ્યાખ્યાને દરમિયાન તેઓ પ્રશ્નો પૂછવાનું કહેતા. વિધાર્થીઓ પ્રશ્નો પૂછતાં. તેના જવાબ તેઓ સતષકારક સાદા તથા સીધા આપતા અને સાથે રમુજ પણ ઉપજાવતા. : - કોઈ વિદ્યાર્થીએ કિરપલાનીજીને પ્રશ્ન પૂછે કે હાલ અમદાવાદમાં કોમી રમખાણ ચાલે છે છતાં કોંગ્રેસ કેમ કંઈ કરતી નથી ? દેશનેતાઓ કેમ એગ્ય દેરવણી આપતા નથી અને વળી હિંદુ મુસલમાન ઐક્ય પણ સધાતું નથી. વળી હાલ લડાઈ ચાલુ છે, વધી છે. અને અહીં બેબર આવે તે શું કરે ?” કિરપલાનીજીએ હસીને જવાબ આપ્યો કે “હાલ યુરોપ શું કરે છે ? કહે? કેમી એજ્ય માટે પૂછે ઝીણાને અને જ્યારે હુલ્લડે થાય છે ત્યારે અમે ત્યાં હોતા નથી અને ત્યાં હોઈએ તે ભાગતા નથી. અમારાથી બનતું અમે કરીએ છીએ.... વિદ્યાર્થીઓના કટાક્ષ ભર્યા શબ્દો સાંભળતાં છતાં તેમના જીવનમાં ઓતપ્રેત થયેલું હાસ્ય હેપર સદાય ફરકી રહેતું. કાકાસાહેબ તે જાણે તત્ત્વજ્ઞાની ભાષામાં બોલે છે તેમ તેઓ પિતાની ગંભીર શિલીમાં બેલ્યા કે ગાંધીજી તે ઋષિ છે. ઋષિ તે ફક્ત દિશા બતાવે અને બીજું સઘળું કામ તે આચાર્ય કરી લે, અને તે કામ આજે પૃથ્વીસિંહ કરી લેશે. એમનું ચારિત્ર ઘણું જ બળવાન છે. સરકારને ઘણીવાર છેતર્યા છે પણ તે કદી રાષ્ટ્રને છેતરી શકશે નહીં. ' “હિન્દુસ્તાનનું દૃષ્ટિબિંદુ અહિંસાથી જ મેળવાશે. આપણે એક માર્ગને સુદઢ કરી લેવો જોઈએ. માર્ગ હિંસાને કે અહિંસાને. ગમે તે હોય પણ મને પૂર્ણ શ્રદ્ધા છે કે આપણે અહિંસાથી જ આઝાદી મેળવશું” એક વિધાર્થીએ પુછ્યું કે “સુભાષચંદ્ર બેઝ કયાં છે?” કાકા સાહેબે જવાબ આપે કે “તમે એમ માન્યું કે હું જ્યોતિષી છું?” આવા આવા અનેક પ્રશ્નોના ઉત્તરે વિદ્યાર્થીઓને આનંદમાં ગરકાવ કરી નાંખતા. છે. પટવર્ધન સ્વભાવે શાન્ત અને માયાળુ જણાતા હતા. તેમણે શારીરિક વિકાસ ઉપર ત્રણ વ્યાખ્યાન આપેલાં. શારીરિક વિષયમાં હેનને પણ બરાબર સમજાવ્યું કે સ્ત્રીઓ માતા થવા સરજાયેલી છે, બાળઉછેર તે માતા જ કરી શકે છે. જે સંસ્કાર આપવાના હોય તે માતા સિવાય કઈ આપી શકે નહિ. શિવાજીની માતા જીજીબાઈ જુઓ ! તેઓ એક પ્રતિભાશાળી, પરાક્રમી બાઈ - હતાં. ગાંધીજીની માતા વ્રત નિયમ આદિ કરતાં, તે તમે તેના પુત્રોમાં તેના ગુણો ઉતરેલા જેશે. પિતા કરતાં માતાના સંસ્કાર બાળક પર વધારે અસર કરે છે. સ્ત્રીઓએ માસિક નિયમમાં ત્રણ દિવસ આરામ લેવો. આરામ દરમિયાન મનમાં કોઈને માટે કુવિચારો પણ આવવા જોઈએ નહીં. ખાવા પીવામાં નિયમિત રહેવું. ચાન બહિષ્કાર કરવો જોઈએ. ચા તે સ્ત્રીઓને માટે ખરાબમાં ખરાબ પીણું છે. તે ઘણું જ નુકશાન કરે છે. વળી પાપડ અથાણું પણ નુકસાન કરે છે. તે આપણા ભોજનને પચવા દેતાં નથી. તેથી જેમ બને ઓછાં ખાવાં. આમ બીજી પણ તેમણે અનેક સમજણે આપી. વિદ્યાર્થીઓ સાથે ધરકી બાત” કરવાનો પ્રસંગ પડતા ત્યારે સ્વામીજી સૌની સમક્ષ એક જ વાત મૂકતાં કે શરીરબળ કરતાં માનસિક બળ કેળવો. એ દેશને માટે વધારે જરૂરી છે. પૂ. બાપુજીનો દાખલો આપી કહેતાં કે બાપુજી પાસે શારીરિક બળ ક્યાં છે? તેમની પાસે તે માનસિક બળ અને તેથી જ તેઓ. અત્યારે રાષ્ટ્રને દોરવણી આપી શકે છે. કોઈ કોઈ વાર સ્વામીજી પોતાનાં જીવનમાં વીતેલા અવનવા બનાવોનાં બયાન આપતા. બેલતાં બોલતાં તેમનું હૈયું ભરાઈ આવતું. તેમના હૃદયમાં કેટલી આગ બળે છે તેની તે વખતે આપણને કાંઈક ઝાંખી થતી. આપણી આજની દશા વર્ણવતા સ્વામીજી એક બાળકની માફક રડી પડતા. સ્વામીજીની વાણીમાં એક જ ઝંખના, એક જ તમને દેખાતી કે મહારૂં હિંદુસ્તાન આઝાદી ક્યારે મેળવશે? હારી પ્રજાની માનસિક શકિતઓ હુ પૂર્ણ ખીલેલી કયારે જોઈશ? મારો પ્રયત્ન કયારે સફળ થશે ? તેઓ કોઈવાર કહેતા કે “દેશની પરિસ્થિતિથી તમને વાકેફ કરવા, તમારૂં માનસિક બળ કેળવવું એજ હું મારૂં કર્તવ્ય માનું છું. તે માટે દેશ નેતાઓને બોલાવી ભાષણ અપાવું છું. દેશનેતાઓ , મને સહકાર આપે છે. ધનિકો, નૌજવાને, અને નેતાઓના, સહકારથી ભારે દેશને આગળ વધારવાનું છે.” છાવણીમાં ખાસ ધ્યાન ખેંચે તેવો પ્રસંગ ૧૮ મી મેને હતા. ત્રણ વર્ષ પહેલાં આજના સરદાર પૃથ્વીસિંહે ગાંધીજીને શરણે થઈ હિંસક માર્ગ છોડી અહિંસક ક્રાન્તિનો માર્ગ લીધે. એ દિવસને તેઓ પોતાના પુનર્જન્મ જેટલું મહત્ત્વ આપે છે. એ સ્વામીજીના પુનર્જન્મના દિવસે અમેએ એક દિવસ માટે શ્રમજીવી જીવન સ્વીકાર્યું. નાથજીએ જણાવ્યું કે બેલે, આવતી કાલે તમે સર્વેએ મળીને કુટિરે સાફ કરવાની, પાણી ભરવાનું, રસોઈ કરવાની તથા વાસણ માંજવાના છે. કરી શકે તેમ છે તે હા કહો હાથ ઉંચા કર !” સર્વેએ હાથ ઉંચા કરી કબુલ્યું. બહેને સવારે વહેલી ઉઠી રઈ કાર્યમાં પડી. ભાઈઓએ પણ તેમાં સહકાર આપ્યો. દરેક વ્યકિતએ પિતતાનું કામ આટોપ્યું. તેજ દિવસે સાંજે પૂજ્ય કિશોરલાલ મશરૂવાળાનું વ્યાખ્યાન હતું. કિશોરલાલભાઈએ કહ્યું કે “પૃથ્વીસિંહને આજ દિવસ સોળ વર્ષના છુપા જીવનને છોડી જાહેર જીવનમાં કરેલા સાચા પ્રવેશને દિવસ ગણાય. ગાંધીજીએ બતાવેલા માર્ગને પથે તેઓ વળ્યા. દબાયેલી સેવાની વૃત્તિને જાહેર જીવનમાં આણી. એમનું સિંહત્વ સિદ્ધ કર્યું. તેઓ ગાંધીજી પાસે ગયા ન હતા તે આજે પણ તેમનું સિંહન્દ દબાયેલું જ હોત. આ બધી રચના સ્વામીજીએ શા માટે ઉભી કરી હતી ? તે સૌને કહેતા કે દેશસેવા, સમાજસેવા અને બંધુત્વનું શિક્ષણ મેળવેજાતે બધું અનુભવી ચુકેલા આ વીરના મોઢે સદાય સ્મિત ફરતું જ હોય. તેઓ ઇચ્છે છે કે નદીને કાંઠે પહાડમાં જ્યાં સુંદર વાતાવરણ જામેલું હોય ત્યાં વ્યાયામવર્ગો ખેલવા જોઈએ અને ત્યાં હજારો માણસ રહે તેવી જોગવાઈ કરવી જોઈએ.” વળી તેમણે તે જે કોઈ દેશને માટે પિતાની જાન અર્પણ કરવા તૈયાર હોય તેને માટે વ્યાયામની પંચવર્ષીય યોજના નક્કી પણ કરી રાખી છે. શિશુએ, નૌજવાને, તથા બહેનોએ મળી જે આંબાવાડીયું વેરાન જેવું લાગતું તે ગજવી મુક્યું હતું. સરદાર પૃથ્વીસિંહની આ વ્યાયામ વ્યવસ્થા જેવા માટે દર રવિવારે મુંબઈ અને પરાઓમાંથી પુષ્કળ માણસે . આવતાં અને વ્યાયામવર્ગને સહાનુભૂતિ આપતાં. મહિને સાથે રહીને વિદ્યાર્થીઓએ પણ પરસ્પર કુટુંબભાવ કેળવ્યા હતા. આવા સુદર અનુભવે જીવનના કોઈપણ કાળે વિસરાશે નહિ. જસુમતીબહેન
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy