________________
મના
તા. ૧૫-૭-૪૧
! " "
આત્મનિરીક્ષણ દ્વારા મને માલુમ પડ્યું કે ગાંધીજી મહાસભાવાદી તરીકે મારી પાસેથી જે અપેક્ષા રાખે છે તેની સરખામણીમાં મારી અહિંસા મર્યાદિત છે-હું સમજુ છું તે મુજબ અહિંસા એટલે બળના ઉપગને સર્વથા પરિત્યાગ એ વ્યાખ્યા બરાબર નથી. એવા પ્રસંગે ઉપસ્થિત થાય છે કે જ્યારે બળને ઉપયોગ સંમત થવો જોઈએ એટલું જ નહિ પણ તે જ એક પરમ કર્તવ્ય લેખાવું જોઈએ. અહિંસા ભગત (Psycholo- gical) વસ્તુ છે. તેની નૈતિક કિંમત તેની પાછળના હેતુ અને પ્રેરક કારણમાં રહેલી છે. જે કશાપણુ ભય, દેષ કે ક્રોધ સિવાય રવીકારવામાં આવેલ ધર્મના અનુપાલનમાં બળનો ઉપયોગ જરૂરી બને તે તે હિંસા નથી. - સત્યાગ્રહ પ્રભુત્વ અને સત્તા મેળવવાનું મેટું શસ્ત્ર છે. સત્યાગ્રહના શસ્ત્રની શોધથી દુનિયાના ઇતિહાસમાં મહાત્માગાંધીજી જરૂર અવિચળ ટીર્તિને પામશે. અહિંસાની મર્યાદાઓ તેની કઈ સિદ્ધાનિક અપૂર્ણતાઓમાં રહેલી નથી, પણ મનુષ્ય સ્વભાવમાં રહેલ અપૂર્ણતાને જ આભારી છે. જે માણસ હિંસક આક્રમણ સામે બળ વાપરીને પણ ઉચ્ચ કર્તવ્ય બુદ્ધિથી પ્રેરાઈને પિતાના ઘર, મંદિર કે જમીનનું રક્ષણ કરે તે બીજા જેટલો જ સત્યાગ્રહી છે.
હું અહિંસાના વિષય ઉપર નિષ્ણાત હોવાનો દાવો કરતે નથી. હું તે પિતે વ્યાસ, પતંજલિ અને ગાંધીજીએ શિખવી છે તે અહિંસાને નમ્ર અભ્યાસી છું. પણ જે અહિંસાને કોર્ટ જુદે જ અર્થ થતું હોય તે ગીતા મારા માટે ન સમજી શકાય તે ગ્રંથ બની જાય છે.
ગાંધીજી જે મહાન સિદ્ધાંત શિખવી રહ્યા છે તેને અભ્યાસ કરવાનો મેં બનતા પ્રયત્ન કર્યો છે. હું તે સમજે છું. નૈતિક કારણકાર્યને અટલ નિયમ અહિંસાધારા વધારે સ્પષ્ટપણે વ્યકત થાય છે એ દૃષ્ટિએ અહિંસા પ્રત્યે મને પૂર્ણ આદર છે; પણું હું તેને સંપૂર્ણપણે આચારમાં ઉતારી શકતા નથી. હું એ મુજબ આચરી શકું છું એમ કહું તે તે કેવળ અસત્ય ગણાય, આ મારા અસામર્થ્ય માટે શિક્ષક કે સિદ્ધાંતની કોઈ ત્રુટી નહિ પણ મારી પિતાની નબળાઈ જ જવાબદાર છે. તેમજ કવિ ભવ
ભૂતિ કહે છે તેમ “સૂર્ય રન તેમજ મૃર્પિડ બન્ને ઉપર પિતાનાં કિરણો સરખી રીતે ફેંકે છે પણ રન પ્રકાશને પ્રતિબિંબિત કરે છે.” હું તે માત્ર મૃત્પિડ જ રહ્યો !
મને કંઇ કંઇ લોકો તરફથી અભિનન્દનનાં તેમજ અવહેલનાના સંદેશાઓ મળ્યા કરે છે. તે ઉભયથી મને બચાવવાની મારી તેમને વિનંતિ છે. હું તે તેમની પાસે મારા માટે પ્રાર્થનાની જ યાચના કરું છું. અનુવાદક પરમાનંદ,
બહેન વૈર્યબાળા પારેખને અભિનન્દન
બહેન વૈર્યબાળા પારેખને આ વખતની મેટ્રીકની પરીક્ષામાં બેઠેલી જૈન કન્યાઓમાંથી સૌથી પહેલાં આવવા બદલ તેમને શ્રી મહાવીર જૈન વિદ્યાલય મારફતની શ્રીમતી લીલાવતી ભુરાભાઈ મેહનલાલ ઝવેરી વિધાર્થીની સ્કોલરશીપ રે, ૧૦આપવાનું . ઠરાવવામાં આવ્યું છે અને વે. સ્થા. કોન્ફરન્સ તરફથી ઉપસ્થિત કરવામાં આવેલ શીલ્ડ પણ તે બહેન આ વર્ષ માટે લઈ જવાને ભાગ્યશાળી થયાં છે. *
અભિનન્દન ' જૈન શ્વે. મૂ. કેન્ફરન્સના પ્રમુખશ્રી. છોટાલાલ ત્રિકમદાસ પારેખ અમદાવાદ લેલ બેડના પ્રમુખ ચુંટાયા છે. તે માટે તેમને જૈન સમાજના અભિનન્દન ઘટે છે. ..
મહાદેવભાઈ સાથે પ્રશ્નોત્તરી શ્રી. મહાદેવભાઈએ ચાલુ પરિસ્થિતિના મહત્વના પ્રશ્નો વિષે “ફુલછાબ'ના પ્રતિનિધિને આપેલ મુલાકાતમાંથી..
અહિંસામાં સંપૂર્ણ શ્રદ્ધા ૧. અહિંસામાં માનતા હોવા છતાં અહિંસા આચરવાની શકિત ન ધરાવતા લેકે ગ્રેસમાં રહે તેથી ફાયદે કે ઉગ્રે-- સમાંથી છૂટા થાય તેથી ?
મહાદેવભાઇ:-હિંસા આચરવાની શક્તિને તમે કે અર્થ કરે છે એની ઉપર મારા જવાબને આધાર રહે છે. હું આગમાં ઝંપલાવી નથી શકતે, અથવા તે ગુંડાની તરવાર આગળ તમ્મર ખાને પડી જઈશ, માટે મારામાં અહિંસા આચરવાની શકિત નથી એમ કહું તો તે બરાબર નથી. અહિંસા પિતે જ એવી પ્રચંડ શકિત છે કે એ વિષે શ્રદ્ધા હોય તે જ શકિતમાં પરિણમે. પછી તે ઓછાવતા પ્રમાણમાં હોય એ સંભવે. એટલે સવાલ શકિતને નથી, શ્રદ્ધા છે. અહિંસા વિષે શ્રધ્ધા જ મેળા હશે તે તે હિંસા આચશે, વિચારથી અથવા તે આચારથી. એણે પ્રમાણિકપણે નીકળવું રહ્યું. શ્રધ્ધા પૂરેપૂરી હશે, તે ભગવાન તે આચરવાની શકિત આપશે જ એ વિશ્વાસ તેણે રાખવો જોઈએ.
દેશ કોને અનુસરશે? ૨. શ્રી. મુનશીની જેમ આંતરરમખાણમાં અહિંસાને નાકામયાબ માનીને બહોળા પ્રમાણમાં કોગ્રેસીઓ છૂટા થાય તે, બાકી રહેલા મૂઠીભર અહિંસક કોન્ટેસીઓને આખે દેશ કેવી રીતે અનુસરી શકે? દેશ પર તેમની શી અસર રહે ?'
મહાદેવભાઈ : જે મુનશીનું જ માનસ ધરાવનાર લાખે કોંગ્રેસીઓ હશે તે તે મુનશીજી નવી કોગ્રેસને કબજે કરશે, અને એ નવી પણ પ્રમાણિક ગ્રેસથી દેશનું કદી અહિત નહિ થાય, હિત જ થશે. લાખે એમના માનસના હોઈનીકળશે. અને પછી પિતાની કે પ્રેસ કરશે અથવા કે ગ્રેસને કબજો લેશે, તો પછી મુઠીભર આહિંસાવાદીઓ હશે તે કાંઈ કાચાપોચા અહિંસાવાદીઓ નહિ હશે. ગાંધીજીનું પેલું વાક્ય યાદ રાખો : “જેમને મન હિંદુ અથવા તે મુસલમાન અથવા તે બીજા એ કોઈ ભેદ નથી, એવા પાંચ સાચા માણસે મને મળે તે કન્ટેસની ઈમારત ઉભી કરવાનો માર્ગ હું કાઢી શકીશ.' એ પાંચનું આત્મબલિદાન પાંચ લાખની આંખ ઉઘાડશે અને તેમની પાસે હિંસા છોડાવી તેમને સાચા અહિંસક કરશે. સવાલ સાચજુરૃને છે, પ્રમાણિકતાને છે. આપણે સાચા થશું તે સૌ વાત આપણું કુશળ છે, દેશનું કુશળ છે. પછી દેશને પેલા લાખાને અનુસરવું હોય તે લાખોને અનુસરે કે પાંચને અનુસરવું હોય તે પાંચને અનુસરે.
આથિક બહિષ્કારનો મર્મ ૩, શ્રી કિરપલાની છએ સૂચવેલ આર્થિક બહિષ્કાર ભલે બન્ને કામો માટે સુચવ્યું હોય, પણ એને અમલમાં મૂકતાં તે એ કામ કેમ સામે જ આર્થિક બહિષ્કાર બની જઈને કેમી ભાગલા જ ઉભા કરે એવી દહેશત લાગે છે. એ માટે કોઈ મધ્યમ માર્ગદ્વારા ઉપાય નીકળી શકે ખરે ? . • મહાદેવભાઈ: કિરપલાનીજીએ તે એક સૂચના મૂકી છે. રમખાણ-અને રમખાણેના કરતાં મુંબઈમાં ચાલતી જંગલી અને ઘાતકી છુરીબાજીથી ત્રાસીને કિરપલાનીજીએ એ સુચના મૂકી છે. માણસે એક-બીજાના પ્રાણ લેવાને વિચાર કરે તેના કરતાં એકબીજાની સાથે અસહકાર કરવાનો વિચાર કરે એ વધારે