________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૭-૪૧
અ૯૫ પ્રમાણમાં-પ્રયત્ન કરું તે જ તેમની સાથેના સંબંધની મેં લાયકાત પ્રાપ્ત કરી કહેવાય.
ગાંધીજીથી મારું જુદું પડવું આજ સુધીની ઐતિહાસિક પરંપરાને વધારે મળતું આવે છે, પિતાને શિષ્ય રામાનંદ ભકિતના પ્રશ્ન ઉપર પિતાથી જુદો અભિપ્રાય ધરાવે છે એમ જ્યારે સન્ત- શિરોમણિ રામાનુજાચાર્યને માલુમ પડયું ત્યારે તેમણે તેને આશીર્વાદ આપીને જે માર્ગે ચાલવાનું તેને આજ સુધી શિક્ષણ આપવામાં આવ્યું હતું તે છેડીને તેના પિતાના માર્ગે જવાની અનુજ્ઞા આપી. મેટા આચાર્યો સદાકાળ આવા જ હોય છે. મહાપુરૂષનાં દિલ કદિ સાંકડા હોતાં જ નથી.
ગાંધીજીએ પોતાના નિવેદનમાં બરોબર જણાવ્યું છે કે હું અહિંસાને સિદ્ધાન્ત તરીકે સ્વીકારું છું. હું બુદ્ધિપૂર્વક દઢપણે માનું છું કે જે કોઈ વ્યક્તિ મન, વચન અને કર્મથી અહિંસક બની શકે તે તે સર્વત્ર પ્રેમ ઉત્પન્ન કરી શકે અને એ રીતે જનતા ઉપર પિતાનું વર્ચસ્વ સ્થાપી શકે છે. આ જેટલું એક વ્યકિત વિષે સાચું છે કુંજ અનેક વ્યકિતઓના બનેલા સમુહ વિષે પણ સાચું જ છે. આ નૈતિક કારણકાર્યને નિયમ અફર તેમજ અટળ છે. હું એ પણ માનું છું કે યોગસૂત્રમાં જીવનના એક મૂળભૂત સિદ્ધાન્તની પ્રરૂપણ કરવામાં આવી છે કે બ્રહ્મચર્ય-મન વાણી અને કર્મથી વીર્યની રક્ષા–મન અને શરીરને કેઈ અપ્રતીમ તાકાત આપે છે અને અપરિગ્રહ માનવીને જીવનની પૂર્ણતા તરફ લઈ જાય છે. - પણ એક અટળ નિયમનું જ્ઞાન હોવું એક વસ્તુ છે; તદનુસાર સંપૂર્ણ જીવન અખત્યાર કરવું એ બીજી વસ્તુ છે, હું બ્રહ્મચર્ય વ્રત લઈ શકો નથી કે અપરિગ્રહ અંગીકાર કરી શકતા નથી અને એવી જ રીતે સર્વે સંગોમાં અને સર્વ પરિસ્થિતિમાં મારા માટે અહિંસક બનવું શકય નથી.
૧૮૧૪ ની સાલમાં ગાંધીજી પોતે અંગ્રેજી લશ્કર માટે સૈનિકોની ભરતી કરવાને ખેડા જીલ્લામાં ગયા હતા; ૧૮૪૧ ની સાલમાં તેઓ એટલી ઉંચી આધ્યાત્મિક કક્ષાએ પહોંચ્યા છે કે આન્તર રાષ્ટ્રીય, રાષ્ટ્રીય કે સ્થાનિક-કોઈ પણ પ્રદેશમાં તેઓ હિંસાના ઉપયોગને સંમત કરતા નથી. ૧૯૩૭ માં તેઓ કેંગ્રેસ રાજ્યવહીવટની. જવાબદારી સ્વીકારે એમ ઇચ્છતાહતા; આજે હિંસાને ઉપયોગ કરે પડે તેવી રાજ્યસત્તા કોંગ્રેસ સ્વીકારે તે તેમને સંમત નથી. એક માનવીથી શક્ય હોય તેટલે અહિંસાને વિજય સાધવા માટે ઈશ્વરે તેમને આ દુનિઓમાં મોકલ્યા છે. પૂર્ણતાની ઉત્તરોત્તર કોટિને ઓળંગતાં એનંગતા તેમની જેવા યોગી માટે સર્વે કઈ સંગમાં અહિંસક રહેવાનું શકય છે. પ્રસંગ આવ્યે ઈશ્વર કે જે તેમને મન સત્ય અને અહિંસાનું જ બીજું રૂપ છે તેમને કાલ પુરે કરવાના ભગીરથ પ્રયત્ન પાછળ પિતાની જાતને ખપાવી દેતાં એક ઘડિની પણ તેમને માર લાગવાની નથી.
પણ એક સાધારણ માણસ કે જેને જીવનના નાના મેટાચાલુ સગનો સામનો કરવાને છે અને જેને પોતાની જાતને વફાદાર રહીને વર્તવાનું છે તેને તે આ વાત સ્વીકાર્યા સિવાય ચાલે તેમ છે જ નહિ કે સર્વ સંગમાં બળના ઉપયોગને ત્યાગ એ જ કેવળ અહિંસાને અર્થ હોઈ શકે નહિ. હિંદુસ્થાનને વહીવટ પ્રજાનિયુકત સરકારને સોંપવાનું કબુલ કરવામાં આવે તે જર્મને સામે લડવાની કબુલાત. આપવાની દરખાસ્ત જ્યારે પુના ખાતે મૌલાના અબુલ કલામ આઝાદ, રાજાજી અને સરદાર વલ્લભભાઈ પટેલે રજુ કરી હતી ત્યારે તેઓએ પણ આ મર્યાદાને જ સ્વીકાર કર્યો હતો. જે હદ સુધી માણસ પ્રમાણૂિકપણે પિતાના જીવનમાં અહિંસા આચરી
શકે તેટલી હદ સુધી જ માણસ અહિંસાને સ્વીકારી શકે. તે હિંસા ખાતર કેઈની હિંસા ન કરે. રાગ, ભય કે ક્રોધને વશ થઈને તે હિંસા ન કરે. પણ જેણે વર્ષોની સાધનાવડે ગ્યતા પ્રાપ્ત કરી ન હોય અને એ રીતે જે આધ્યાત્મિક વિકાસની ઉચ્ચ કટિએ પહોંચેલ ન હોય તેના માટે તે અહિંસા કેવળ મને ગત (Psychological) જ હોઈ શકે. આ અહિંસા એટલે કોઈપણું પ્રકારના રાગ, દ્રય કે ક્રોધના વિકારને વશ થયા સિવાય કર્તવ્ય ધર્મનું અનુપાલન કરવાને સતત પ્રયત્ન.
જ્યારે મેં મારું ઉપર જણાવેલું પુસ્તક લખ્યું હતું ત્યારે આ મર્યાદાનું મને પુરેપુરું ભાન હતું. મેં તેમાં સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું છે કે અહિંસક સામના ઉપર રાષ્ટ્રનું એકવાર ઘડતર થયું એટલે એ રાષ્ટ્ર પ્રજાગણમાં હિંસાની વૃત્તિ જ હોઈ ન શકે એમ માનવું ભૂલ ભરેલું છે. મેં એમ પણ કહેવું છે કે હિંદુસ્થાન એ સાધન વડે સ્વરાજ મેળવે તે પણ એ હિંદમાં એવા ઘણા હિંદીઓ હશે કે જેની દુષ્ટ વૃત્તિઓનું બળરીથી નિયંત્રણ કર્યા સિવાય ચાલશે નહિ. આંતરરાષ્ટ્રીય જીવનની નિયમનમાં અહિંસા અગત્યનો ભાગ ભજવવા માંડે તે પણ તેને ઉપરની બાબત એટલા જ પ્રમાણમાં લાગુ પડવાની. જ્યાં સુધી સમગ્ર જનતા એક સર્વવ્યાપી રાજ્યતંત્ર સ્વીકારે નહિ ત્યાં સુધી રાજ્ય રાજ્યની પશુબળ પર નિર્ભર રહેતી પ્રવૃતિઓનો કદિ લેપ થઈ શકશે નહિ. જ્યાં સુધી ઘણુ ખરા મનુષ્ય સર્વસાધારણ જીવન ગાળી રહ્યા છે ત્યાં સુધી માણસ વચ્ચે કઈ પણ સાધનવડે આત્મરક્ષણ કરવાના હકકનો પરિત્યાગ કરવામાં આવે એ હું કલ્પી શકતા નથી.
મારી સામે ઉપસ્થિત થયેલી સમસ્યા આ મુજબ હતી. અહિંસાને જીવનના એક અટળ સિદ્ધાંત તરીકે સ્વીકારવા છતાં આજે ગાંધીજી વર્ણવે છે તે મુજબ આપણા દેશમાં નાના પાયા ઉપર આંતરવિગ્રહ ચાલી રહ્યો છે તેવા વિકટ સગો વચ્ચે અથવા તે આંતરરાષ્ટ્રિય પરિસ્થિતિના પરિણામે જે કાંઈ નવા સંગે ઉભા થાય તે વચ્ચે મારી જેવા માટે અહિંસાને સંપૂર્ણ પણે આચારમાં ઉતારવાનું શકય છે ખરૂં? અથવા તે ઉપર જણાવેલ ભગત (Psychological ) અહિંસા સ્વીકારીને મારે મારી જાત માટે સંતોષ માનવો ?
એક નિર્દોષ રાહદારીને છરી મારવાની તૈયારી કરતા અથવા તે કોઈ સ્ત્રીને ઉપાડી જતે કોઈ ગુડો મારા જોવામાં આવે તે એ ગુંડાનું માથું ભાંગી નાખવા જેટલું બળ માટે વાપરવું ન જોઈએ ? જે ગુંડાઓ મારા લત્તા ઉપર હુમલો કરે તે અમારાં ઘર, સ્ત્રી તથા બાળકનું મળી શકે તેટલાં શસ્ત્રો વડે રક્ષણ કરવા માટે મારા લત્તાના નવજવાનને એકત્ર કરૂં એ યોગ્ય ગણાય ખરૂં ? જો મારા દેશના માણસો ખુબ બીકણ હોય તે હિંદુ તેમજ મુસલમાન-બનેને ગુંડાઓ સામે આત્મરક્ષણની કળામાં કુશળતા મેળવવાનું હું કહી શકું ખરો ? દાખલા તરીકે મંદિર કે મ96ઈશ્વરના કેઈ પણ નિવાસ-ને બાળી નાંખવાને ગુંડાઓ ઉધત થાય તે હિંદુ અને મુસલમાન બન્નેએ એકત્ર થઈને સર્વ લભ્ય સાધન વડે તે હુમલાને પૂરેપૂરે સામને કર ન જોઈએ ? જો લડાઈને લીધે દેશની સુલેહશાંતિ જોખમમાં આવી પડે અને મને ખાત્રી છે કે સુલેહશાંતિ જોખમમાં છે જ તે આપણે આપણા સમાજનું શારીરિક બળના ઉપયોગ વડે રક્ષણ કરવું એ શું આવશ્યક નથી ? આ માત્ર કાલ્પનિક સમસ્યાઓ નથી. જે વાસ્તવિક પરિસ્થિતિ આપણી સામે આજે આવીને ઉભી રહી છે તેનાં જ આ તા છે.