________________
તા. ૧૫-૭-૪૧
માટે આપણા દિલમાં ખરેખર માનસ્ફુરતુ હતું. પ્રસ્તુત લેખમાં પણ આરભમાં તેમ જ અન્તમાં એવા જ વળષ્ણુની પ્રતિચ્છાયા દેખાય છે પણ એ લેખમાં વચગાળે એવાં કેટલાંક વિધાના આવે છે. કે જે ઉપરથી આપણને એમ અનુમાન કરવાને કારણ મળે કે ઉપર વર્ણવેલ તેમના વળષ્ણુ પાછળ રહેલી નમ્રતા અને જરૂરી અહિંસા–સામર્થ્ય ના પેાતામાં અભાવ હોવાની સરળ કબુલાત ધીમે ધીમે ખંડિત થવા લાગી છે. આજે તેમની વકીલ બુદ્ધિ પેાતાના વળણ અને વર્તનનું સ્વતંત્ર સમર્થન શોધતી હાય એમ આપણને તેમના નીચેના વાકયેા ઉપરથી ભાસે છે. તે પ્રસ્તુત લેખમાં જણાવે છે કે “હું સમજુ છું તે મુજમ્ અહિંસા એટલે અળના ઉપયોગના સર્વોથા પરિત્યાગ એ વ્યાખ્યા બરાબર નથી. એવા પ્રસંગા ઉપસ્થિત થાય છે કે જ્યારે ખળના ઉપયોગ સમત થવા જોઇએ, એટલું જ નહિ પણ તે જ એક પરમ કર્તવ્ય લેખાવુ જોઇએ, અહિંસા મનેાગત વસ્તુ છે. તેની નૈતિક કીમત તેની પાછળના હેતુ અને પ્રેરક કારણમાં રહેલી છે. જો કશા પણ ભય, દ્વેષ કે ક્રોધ સિવાય સ્વીકારવામાં આવેલ વ્યધર્મના અનુપાલનમાં બળનો ઉપયોગ જરૂરી અને તે તે હિંસા નથી.
પ્રબુદ્ધ જૈન
‘સત્યાગ્રહ પ્રભુત્વ અને સત્તા મેળવવાનું મેા શસ્ત્ર છે. સત્યાગ્રહના શસ્રની શોધથી દુનિયાના ઇતિહાસમાં મહાત્મા ગાંધીજી જરૂર અવિચળ કીતિને પામશે. અહિંસાની મર્યાદા તેની કાર્ય સિધ્ધાન્તિક અપૂર્ણતાએમાં રહેલી નથી, પણ મનુષ્ય સ્વભાવમાં રહેલ અપૂર્ણતાને જ આભારી છે. જે માણસ હિંસક આક્રમણ્ સામે બળ વાપરી પણ ઉચ્ચ કવ્ય બુદ્ધિથી પ્રેરાઇને પોતાના ઘર, મંદિર જમીનનું રક્ષણ કરે તે બીજા જેટલા જ
સત્યાગ્રહી છે.”
આગળ ચાલતાં તેઓ જણાવે છે કે “હું અહિંસાના વિષય ઉપર નિષ્ણાત હવાને દાવે કરતા નથી. હું તે પોતે વ્યાસ, પતંજલિ અને ગાંધીજીએ શિખવી છે તે અહિંસાના નમ્ર અભ્યાસી છું.” આવી નમ્રતા દાખવવા છતાં અહિંસા અને સત્યાગ્રહ વિષેનાં ઉપર જણાવેલા વિધાને એટલું જણાવવાને પુરતા છે કે તે અહિંસા શાસ્ત્રના કેવળ નમ્ર અભ્યાસી નથી પણ અહિંસા અને સત્યાગ્રહ સબંધમાં ચોકકસ વિચારે ધરાવી રહ્યા છે અને તે વિચાર એવા છે કે જે-બ્યાસના અહિંસા પરત્વે શું વિચારા હતા તે ચોકકસ કરવું બહુ જ મુશ્કેલ છે પશુ–પતંજલિ અને ગાંધીજીનાં મન્તવ્યોથી જરૂર બહુ જુદા પડે છે. વળી સત્યાગ્રહ તા ગાંધીજીના ધડેલા શબ્દસમાસ છે અને સત્યાગ્રહની કલ્પના સાથે માનસિક તેમજ બાહ્ય અહિંસા એટલી બધી જોડાયલી છે કે સત્યાગ્રહનુ હિંસા સાથે લગ્ન કરવુ તે સત્યાગ્રહને જ વર્ણસંકર બનાવવા જેવું છે.
ખીજુ` શ્રી. મુનશી સૂચવે છે તે મુજબ રાગ, દ્વેષ, ક્રોધ તેમજ ભયથી મુકત બનીને પ્રસંગ આવ્યે કાઇ પણ ઉંચા ઉદ્દેશ ખાતર આપણે હિંંસા કરીએ તે! તે હિંસા નથી પણ અહિંસા છે. આ રીતે તેઓ ગીતાજીમાંના અનાસકિતવાદમાંથી પોતાના વિચારવું, સમર્થન શોધતા હાય એમ લાગે છે. એક બાજુએ આત્મરક્ષણના પ્રશ્ન ઉપર ગાંધીજીએ સૂચવેલ અહિંસાત્મક સામના કરવાનુ પોતાનું અસામર્થ્ય તે રજુ કરે છે. બીજી બાજુએ રાગ, દ્વેષ, ભય અને ક્રોધથી મુકત એવી અનાસકત મનેાદશા હાવાના તેઓ દાવા કરે છે. આ ખરેખર બારે વિચિત્ર લાગે છે, અનાસકતાને પહોંચેલા માનવી કાઇને બચાવવા માટે પેાતાની જાતનું અલિદાન આપે તે સમજી શકાય તેવું છે, પણ તેવા માનવી તરવાર ઉગામીને આક્રમણુતપર ગુંડાનો શિરચ્છેદ કેમ કરી શકે તે તે આપણી પામર કલ્પનામાં આવી જ શકતું નથી.
ગીતાજીમાં સ્થિતપ્રજ્ઞનાં જે લક્ષણો વર્ણવ્યા છે. એવી ઉચ્ચ આત્મદશાને દાવા કરવાને બદલે હું એક સાધારણ માનવી છું; મારાં ભાઇભાંડુંને કાઈ ગુંડે મારવા કે લુટવા આવે તે મારાથી તેને બળજોરીથી પણ હઠાવ્યા સિવાય રહી શકાય તેમ છે નહિ, તેમજ આવા પ્રસંગે કોઇ પણ માણસે સામે આવતા ગુડાના પુરી ખાજોરીથી સામત કરવા જ જોઇએ એમ દૃઢપણે મને લાગે છે. ગાંધીજી કહે છે કે સામના કરવા જોઇએ એ બરાબર પણ તેમાં શારીરિક બાના ઉપયોગ અહિંસાવાદી સંમત કરી ન શકે. અહિંસા. મને જરૂર ગમે છે. છતાં આ કાટિની અહિંસા મારા માટે શકય નથી' આટલો નમ્ર દાવે! જાળવી રાખીને શ્રી મુનશી આગળ ચાલ્યા હત તે કાતે ખાસ કહેવા કે ચર્ચવાપણુ' ન રહેત. પણ આપણી બુદ્ધિની પાછળ રહેલું ‘ અહીં આપણામાં ઉગેલી સાહજીક નમ્રતાને ટકવા દેતું નથી અને હું ઉંચે પગલું ભરવાને સમર્થ નથી એટલે નીચેની ભૂમિકા ઉપર ચાલુ છું.' એવી અસામર્થ્ય સૂચવતી કબુલાત પદભ્રષ્ટ કરી મારૂ મંતવ્ય જ સાચું અને ટસંમત ધર્મ માને સૂચવતુ છે. અને આથી અન્ય કાષ્ઠ વિધાન દુનિયામાં રહેતા અને ક્રૂરતા માનવી આર્ટ અવ્યવહારૂ અને તેથી ભ્રમણામૂલક છે એવા વળષ્ણુ તરફ જ આપણામાં રહેલી અહંતા—બુદ્ધિ જાણ્યે અજાણ્યે આપણુને ખેંચી ગયા વિના રહેતી નથી. એમાં પણ જેને પ્રભુત્વ પ્રકૃતિથી વરેલું છે. તેના માટે તે બીજો વિકલ્પ સ’ભવી જ ન શકે,
પાનદ,
મારી સમજણ મુજબની અહિંસા
(અહિંસા સબંધે પોતાના ખ્યાલો સ્પષ્ટ કરતે એક લેખ NonVolence, as I Understand it' એ મથાળાથી શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશીએ પેાતાના તંત્રીપણા નીચે પ્રગટ થતા સેશીચલ વેલફેર' નામના અંગ્રેજી સાપ્તાહિકના તા. ૩-૭-૪૧ ના 'કમાં પ્રગટ કર્યો છે. આજે ચાલી રહેલી ચર્ચામાં જનતાને શ્રી. મુનશીનું દૃષ્ટિબિન્દુ બરોબર જાણવા મળે તે હેતુથી ઉપરના લેખનો અનુવાદ અહિ પ્રગટ કરવામાં આવે છે.)
ગાંધીજીએ મહાસભાવાદી તરીકે મારી પાસેથી જે અપેક્ષા રાખી હતી તેવા અહિંસાનેા ખ્યાલ હું સ્વીકારી શકયા નહિ. પણ આનો અર્થ એમ નથી કે મે' અહિંસાને ત્યાગ કર્યાં છે અથવા તેા હું કૉંગ્રેસવિરાધી બની ગયો છું. ૧૯૩૯ માં આઈ ફાલો ધી. મહાત્મા'એ .નામના મારા પુસ્તકમાં મેં ગાંધીજીને એક એવા ગુરૂ તરીકે વર્ણવ્યા છે કે જેની સમક્ષ શ્વર પરમ સત્ય વસ્તુ છે. એ સત્ય ઉપર નિર્ભર બનીને તે જીવી રહ્યા છે અને તેમાંથી સદાકાળ તેએ અખૂટ તાજગી મેળવી રહ્યા છે.
તે પુસ્તકમાં મેં જે કાંઇ કહ્યું છે તે દરેક શબ્દને હું વળગી રહુ છું: કારણ કે મારી સામે હંમેશા ઉપસ્થિત થયા કરતી આધ્યાત્મિક ગુ ંચવણો અને મુંઝવણાથી ઘેરાયલા મારા આત્માના અનેક અંધારા ખૂણાને તેમણે અજવાળ્યા છે અને આજે પણ તે અજવાળી રહ્યા છે.
મે માસની ૨૬ મી તારીખે મેં તેમની ઉપર પત્ર લખ્યા ત્યારે અથવા તે છેલ્લાં છેલ્લાં શેગાંવમાં જ્યારે મને લાગ્યું કે સત્યસ્વરૂપ ઈશ્વર માંગી રહેલ છે કે હું ગાંધીજી પ્રત્યે અપ્રમાણિક બની ન શકું, ત્યારે મેં તેમનું સાન્નિધ્ય જેટલું અનુભવ્યું તેટલું સાન્નિધ્ય પહેલાં મેં કદિ અનુભવ્યું નહતું, જ્યારે છેલ્લા માર્ચ માસમાં મારી જીંદગીની મેટામાં મેટી ધાત મેં પસાર કરી ત્યારે મને ખરેખર ભાસ થયેલ કે સત્ય જેવું મને દેખાય તે મુજબ જીવવાના અને આજે ઉભી થયેલી દેશની કેવળ વિચિત્ર પરિસ્થિતિમાં તે મુજબ જ વર્તવાને હુ-સંભવ છે કે
(%)