________________
' ' ના થાય,
ક
પ્રબુદ્ધ જૈન
તા.૧પ-૭–૪૧
.: सच्चस्स आणाए उवठिए मेहावी भारं तरति । સત્યની આણુમાં રહેનારી બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
પ્રબુદ્ધ ન
सत्यपूतं वदेद्वाक्यम् જુલાઈ ૧૫
૧૯૪૧
આત્મરક્ષણ - શ્રી. મુનશીના રાજીનામાએ આત્મરક્ષણના પ્રશ્નને ખૂબ આગળ ધકકે છે, કદ' પણ ગુડે આપણી ઉપર અથવા તે આપણુ પાડોશી કે બાજુએ ચાલી જતા કોઈ ભાઈ બહેન ઉપર આક્રમણ કરે ત્યારે આપણે શું કરવું ? આ પ્રશ્નના અનેક વિકલ્પ અને તેની ગ્યાયેગ્યતા આજે ખૂબ ચર્ચાઈ રહેલ છે. આ પ્રશ્ન સંબંધમાં શ્રી. મહાદેવભાઈએ આપેલા કેટલાક ઉત્તરો આ અંકમાં અન્યત્ર ઉતારવામાં આવ્યા છે. આખી ચર્ચા પાછળ મૂળ પ્રશ્ન એ છે કે તમે તમારા કાર્યકાર્યના નિર્માણમાં અહિંસાને ધ્યેય તરીકે સ્વીકારે છે કે નહિ ? હિંસાને દયેય તરીકે સ્વીકારનારને બીજી કોઈ બૌદ્ધિક ગુચે રહેતી જ નથી. અહિંસાવાદીને જ આવી ગુંચ ઉભી થયા કરે છે કારણુ કે આપણા આખા જીવનના કર્માકર્મનું નિર્માણ હિંસા-અહિંસાની ચિત્રવિચિત્ર મેળવણી ઉપર થયેલું છે અને આપણું યેય ચાલુ વ્યક્તિગત તેમ જ સમુહગત જીવનમાંથી હિંસા બને તેટલી ઓછી કરીને અહિંસા તરફ પ્રગતિ કરવાનું છે. પ્રસ્તુત આત્મરક્ષણના સંબંધમાં ગાંધીજી જે અહિંસક સામનાની પદ્ધતિ અખત્યાર કરવાનું કહે છે તે આપણામાંના ઘણા ખરા માટે અશકય લાગતી હોય તે પણ તેની વિશેષતાઓ ઉપેક્ષા કરવા જેવી નથી. - આપણા દેશમાં કેમી અથડામણ એ એક ભારે પ્રગતિબાધક આફત છે. એ અથડામણે હંમેશને માટે દૂર થાય અને કેમી ભાતૃભાવ તરફ પસરે એ આપણું દયેય છે. એ દયેય હિંસાતત્પર ગુંડાને મારવાથી સધાવાનું નથી પણ હિંસક વૃત્તિને મૂળમાંથી છેદ કરવાથી જ સાધી શકાય તેમ છે. એ હિંસક વૃત્તિને નાશ અહિંસાત્મક સામનાથી અને તે રીતે સ્વેચ્છાએ અપાયેલાં અનેક આત્મબુલિદાનથી જ થઈ શકવાને છે. હિંસક સામનાથી હિંસક બે ઘડિ દબાય છે પણ તેઓ હંમેશાં પિતાને લાગ શોધતા રહે છે. “ભય વિના પ્રીતિ નહિ' એ કહેવત ખોટી અને અનર્થજનક છે, ભયથી કદી પ્રીતિ ઉત્પન્ન થતી જ નથી. ભય નબળાને દબાયલા રાખવામાં જ કામ લાગે છે. પણ નબળો સદા નબળો રહેતો નથી અને એ સબળ થાય કે તુરત જ તે બમણા જોરથી સામને શરૂ કરે છે. આ બધું વિચારતાં હિંસક વૃત્તિને ઉત્તમ પ્રતિકાર અહિ સકે સામનાથી જ થઈ શકે તેમ છે.
પણ વસ્તુસ્થિતિ એવી છે કે અહિંસા તરફ આપણું લક્ષ્ય હોવા છતાં આપણું આચરણ હિંસાપૂર્ણ હોય છે. વર્ષોથી હિંસાથી ટેવાયેલા આપણે હિ સક વૃત્તિને અને મનેદશાનો
એકાએક ત્યાગ કરી શકતા નથી. ગુડે આવ્યો કે આપણે હાથ અજાણપણે ઉપડે છે અને જે હાથમાં આવ્યું તે વડે આપણે તેની ઉપર પ્રહાર કરી નાંખીએ છીએ. ભાવના એક વસ્તુ છે; વર્ષો સુધીનું વળણુ બીજી વસ્તુ છે. આવા વળણુને વશ થઈ આપણે આપણી કે અન્યની જાતનું રક્ષણ કરવા જતાં હિંસા કરી બેસીએ એને અર્થ એમ નથી કે આપણે અહિંસાની ભાવનાને હંમેશને માટે તિલાંજલિ આપી દીધી. આજની પરિસ્થિતિમાં આવું વર્તન સહજ છે, ક્ષમ્ય છે.
" પણ આત્મરક્ષણ કે પરરક્ષણ કરવા જતાં આપણા હાથે હિ સા થઈ જાય એ એક વસ્તુ છે પણ આગામી આક્રમણની કલ્પનાપૂર્વક રક્ષણના સાધનોની હિંસાના ધેરણે વ્યવસ્થિત જના કરવી એ બીજી જ વસ્તુ છે અને એ તે અહિંસાના ધ્યેયને ત્યાગ કરવા સિવાય બની શકે તેમ છે જ નહિ. આ ભેદ સૌ કેઈએ બરાબર લક્ષ્યમાં લેવા જેવું છે.
બીજું રક્ષણના હિંસક સાધનની વ્યવસ્થિત એજના સંબંધમાં એ પણ ધ્યાનમાં લેવા જેવું છે કે હિંસક રક્ષણ અને આક્રમણ વચ્ચેની સીમા જાળવવી હમેશાં બહુ જ મુશ્કેલ છે. આજે રક્ષણનો વિચાર કરનારને આવતી કાલે વિરોધી પક્ષ ઉપર એકાએક આક્રમણ લઈ જવામાં જ સાચું રક્ષણ રહેલું છે એમ લાગ્યા વિના રહેવાનું નથી. હમણાં જ તાજેતરમાં નિવૃત્ત થયેલ હિંદના સેનાધિપતિએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે દુશ્મન આવે ત્યારે દેશનું રક્ષણ કેમ કરવું એ રીતે દેશના રક્ષણને વિચાર કરે તે યોગ્ય નથી. સાચું રક્ષણ ખરે વખતે દુશ્મન ઉપર આક્રમણ કરવામાં જ રહેલું છે અને તેથી હિંદુસ્થાનના રક્ષણ માટે આપણી દૃષ્ટિ અને કાર્યશકિત હિંદુસ્થાનથી દૂર દૂર આવેલા દેશે કે જ્યાં આજે લડાઈ ચાલી રહેલી છે ત્યાં સુધી લંબાવવાની જરૂર છે. આ રીતે “અમે તે કેવળ રક્ષણની યોજના કરીએ છીએ' એમ કહેનારાને આગળ ચાલતાં હિંસક આક્રમણ પણ એટલું જ જરૂરી ભાસવાનું છે. આ બધું વ્યવસ્થિત રક્ષણ જનાની વાતે કરનાર અને છતાં અહિંસામાં પિતાને અડગ શ્રધ્ધા હોવાને દા કરનારે લક્ષ્ય ઉપર લેવાની ખાસ જરૂર છે.
આત્મરક્ષણ સંબંધમાં ગાંધીજીની દૃષ્ટિને વિરોધ કરનારા એમ પોકારી ઉઠે છે કે, “ જો અમારે જરૂરી બળ વાપરીને ગુડાઓના આક્રમણને સામને ન કરે એમ તમારું કહેવું હોય તે શું અમારે અમારાં બાયડી છોકરાંને કપાવા દેવાં અને અમારી માલમીલ્કતને લુંટાવા દેવી ?આમ કહેનારા ગાંધીજીને ખોટી રીતે સમજે છે અથવા તે વર્ણવે છે. તેમણે કદિ આવી નિર્માલ્યતા કે બાયલાપણાનું સમર્થન કર્યું જ નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે આવા ગુંડાઓને સામને તે થે જ જે. એ સામને તેઓ કહે છે તે રીતે શકય ન હોય તે પછી અન્ય રીતે કરે ! પણ અન્ય રીતે વર્તવા માંગતા લોકે અહિંસાનો દાવે આગળ ન ધરે અને પોતે જે રીતે સૂચવે છે તેના લાભાલાભને શાન્ત પળોએ જરા ઉડે વિચાર કરે. આજની નામરદાઈ અને બાયલાપણુ સામે તે તેને પણ અન્ય જેટલી જ ધૃણા ધરાવે છે. શ્રી મુનશીના રાજીનામા ઉપરથી ઉપસ્થિત થતા સંરક્ષણના મુદ્દાઉપર આટલી સમાલોચના એ વિષયમાં રસ લેતા અને ચિન્તા ધરાવતા ભાઈ બહેને ઉપયોગી થશે એવી આશા રાખું છું.
અનાસકતની હિંસા ! શ્રી, મુનશીએ રાષ્ટ્રીય મહાસભામાંથી રાજીનામું આવ્યા બાદ સે શીયલ વેલફેર” નામના પિતાના પત્રમાં અહિંસા વિષેની પિતાની સમજણુની સ્પષ્ટતા કરે અગ્રલેખ પ્રગટ કર્યો છે જેને
અનુવાદ આ અંકમાં અન્યત્ર આપવામાં આવ્યું છે. શ્રી મુનશીએ રાજીનામું આપ્યું ત્યારે ગુરૂના પગલે શિષ્ય અમુક મર્યાદાથી આગળ ચાલી શકે તેમ ન હોવાથી શિષ્ય અનિચ્છાએ ગુર્થી જુદો પડતો હોય એવું સાદું, સરળ અને સ્પષ્ટ વળણુ શ્રી. મુનશનું હોય એમ આપણને લાગતું હતું અને તેથી તેમણે કોંગ્રેસના નામે આજ સુધી મેળવેલી પ્રતિષ્ઠાને પોતાની પ્રતીતિ ખાતર આવડે મેટા ભેગ આપે તે બદલ તેમના