________________
તા. ૧૫-૧-૪૧
એકારી નિવારણ તેમજ બંધારણને લગતા જ હરાવેા કરવા એવી મર્યાદા સ્વીકારવામાં આવી હતી. તેથી બહુ વિવાદાસ્પદ બાબતાને આ અધિવેશનમાં અવકાશ નહેતા. પ્રસ્તુત મર્યાદાની પુરતી જાહેરાત કરવા છતાં અનેક સ્થળોએથી આશકા સેવવામાં આવતી હતી કે આ અધિવેશનમાં યુવા-સુધારકે-વિવાદાસ્પદ અનેક બાબતો સીધી કે આડકતરી રીતે લાવ્યા વિના નહિ રહે. આજે જે રીતે આ અધિવેશનનું કામકાજ થયુ છે અને જે કાંઇ રાવા કરવામાં આવ્યા છે તે વિચારતાં ઉપરની આશંકા નિર્મૂળ બની છે અને તે પ્રકારના આદર્શ સંયમ માટે યુવાને ખરેખર ધન્યવાદ ઘટે છે. અધિવેશનમાં થયેલા હરાવાની વિગતો જોઈશું તા માલુમ પડશે કેટલાક કેવળ ઔપચારિક તેમજ બંધારણના સામાન્ય ફેરફારોને લગતા ઠરાવેા છે. આ ઉપરાંત કેળવણી અને એકારીનિવારણ સંબંધમાં માહિતીસ ંગ્રહ અને માહિતીકેન્દ્રને લગતા ધરાવેા બાદ કરતાં બાકીના સર્વ ધરાવેા કેવળ આકાશી piousresolutions—છે. એ ઠરાવાની દિશાએ હાલના સંયોગામાં કશું પણ થઇ શકે એમ છે જ નહિ. આ બાબત સૌના ધ્યાન ઉપર નહાતી એમ કેમ કહી શકાય ? આ તે વાણીઆઓની પરિષદ હતી. વાણીઆને વસ્તુસ્થિતિનુ ભાન ન હેાય એમ બને જ નહિ. આમ છતાં પણ આવા લાંબા લાંબા ધરાવે કેમ થવા પામ્યા ? વાત એમ છે કે પરિષદ મળી એટલે રાવેા તા કરવા જ જોઇએ. જો કાન્ફરન્સ પાસે દ્રવ્ય અને અખંડ કાર્યકર્તા હત તે તેની કાર્યશક્તિની મર્યાદા વિચારીને પ્રમાણઅધ્ધ કરાવેશ કરવામાં આવત. પણ આ સંસ્થા પાસે તે આજે દ્રવ્ય પણ નથી અને અખંડ કાર્યકર્તા પણ નથી. તેથી આવી સંસ્થાએ તે આવશ્યક દ્રવ્ય મળશે અને કાર્ય કર્તાએ મળશે તે કાના દિશાસૂચન તરીકે કામ લાગશે એ આશાએ અને શ્રધ્ધાએ આવા આકાશી pious−રાવો કરવા જ રહ્યા વાણીયાની પરિષદ કાં તો સંગીન કાર્ય કરીને ઠે, અથવા તા મોટા શબ્દો અને ભરી ભરી ભાવનાથી ભરેલા ઠરાવેા કરીને વિસર્જન થાય; પણ થઇ શકે તેટલા જ રાવે કરે અથવા તે પોતાની અશકિત કે અલ્પ સામર્થ્યના એકરાર કરે એ તે કદિને જ નહિ.
આ પરિષદમાં માત્ર કેળવણીપ્રચાર અને એકારીનિવારણુના જ પ્રશ્નો ચર્ચવા, કશી વિવાદાસ્પદ વાતે લાવવી જ નહિ. આવી સ્વીકૃત મર્યાદાએ બંધારણમાં પણ કા મહત્વને ફેરફાર કરવા જ નહિ એવુ જડ માસ ઉભું કર્યું હતું. દાખલા તરીકે ‘કોન્ફરન્સ ’જેવા અંગ્રેજી શબ્દોના સ્થાને તેવા જ અર્થવાળા ‘ પરિષદ કે ` મહાસભા' આવા આપણી ભાષાના શબ્દોના ઉપયેગ કરવા-આવા સાધારણ અને સહજ સ્વીકારાય તેવા સુધારાની દરખાસ્તે વિષય વિચારિણી સમિતિમાં ભારે ગરમાગરમ ચર્ચા ઉપસ્થિત કરી હતી અને પ્રમુખ સાહેબ પોતે પણ આ બાબતમાં નાફેરવાદના મેાટા પક્ષકાર બની ગયા હતા. આજે આપણે જેમ બીજી અનેક અંગ્રેજી નકલ છેોડી રહ્યા છીએ તેવી જ રીતે સંસ્થાઓનાં, અધિકારીનાં તેમજ અનેક સામાજિક પ્રવૃત્તિઓનાં અંગ્રેજી નામે છેડીને આપણી ભાષાનાં ચિત નામે પણ સ્વીકારતા થયા છીએ. આ કાંઈ નવી વાત નહતી કે આ પાછળ બીજી કોઇ બુદ્ધિ નહેાતી. એમ છતાં પણ કારન્સ' નામ બદલાય જ નહિ, નામ બદલીએ તેા સંસ્થા બદલાઇ ગઇ એમ બીજા ધારે, અંગ્રેજી નામ ન જોઇએ તે અંગ્રેજી ભાષા શા માટે શિખવી ઇત્યાદિ ચિત્રવિચિત્ર તર્કોએ એવી ગરમી ઉત્પન્ન કરી કે નામ બદલવાની વાત એમને એમ પડતી મુકવી પડી.
આવી પરિસ્થિતિમાં બંધારણમાં મૌલિક ફેરફારની તા વાતજ કોઇ કેમ સાંભળે ? આજનું બંધારણ સંધની સંસ્થાને કેન્દ્રમાં
પ્રબુદ્ધ જૈન
૧૮૧
રાખીને રચવામાં આવ્યું છે એટલે ગામ ગામના સંઘેો પોતપોતાના પ્રતિનિધિએ ચુટીને મેકલે અને તેવા પ્રતિનિધિઓની કોન્ફ્રન્સ એકત્ર મળીને જૈન સમાજની પ્રગતિના ઉપાયો ચિન્તવેઆવી જુના બંધારણની રચના છે. આજે લગભગ કોઇ સંધ એકત્ર મળીને પોતાના પ્રતિનિધિએ ચુટીને મોકલતા નથી અને ઉભા થયેલા અનેક વિચારભેદાના પરિણામે ગામ ગામના સંઘે પ્રતિનિધિએ સુટે એ શક્ય જ નથી. આ ઉપરાંત જન સમાજની જાહેર સંસ્થાને પાંચ પાંચ પ્રતિનિધિએ માકલવાની સત્તા છે. આવી રીતે પ્રતિનિધિએ મેકલવાની સત્તા ધરાવનાર સંસ્થાઓને માથે કોન્ફરન્સના ધરાવેાનું પાલન કરાવવાની કશી જવાબદારી છે જ નહિ. આવી બીનજવાબદાર અને અવાસ્તવિક રચનાના ત્યાગ કરવા અને સ્થળે સ્થળે કોન્ક્ર ન્સની સમિતિએ ઉભી કરી તે દ્વારા ચુંટાઇ આવેલા જવાબદાર પ્રતિનિધિઓની કાન્ફરન્સ બનાવવી આવી મતલબને મેં બધારણીય સુધારા મુકો. વિષય વિચારિણી સમિતિમાં ન ફેરવાદનું એવુ ધન વાતાવરણ જામેલું હતું કે આ મારા સુધારાને લગભગ કેઇએ પણ ટકો ન આપ્યો. મારા સુધારા સામે એક જ પ્રકારની દલીલ રજુ કરવામાં આવી હતી કે સ્થાનિક સમિતિ એમ કાંઇ ઉભી થાય નહિ અને કેન્ફરન્સના ખાંધ્યે ભારે જે મેાબા ટકી રહ્યો છે તે તુટી જાય. આ મેભાનો ખ્યાલ દૂર નહિ થાય અને આપણા સામર્થ્ય-અસામર્થ્યને સાચે વિચાર તેમ જ એકરાર કરીને નવેસરથી કામ હાથ ધરવાની વૃત્તિ ઉભી નહિ થાય ત્યાં સુધી આ કે આવી કોઇ પણ કેન્ફરન્સ કશું પણ મહત્ત્વનું કાર્ય કરે એ શક્ય નથી-સંભવિત જ નથી.
આ અધિવેશનની એ વિશેષતાઓ ખાસ ધ્યાન ખેંચે તેવી હતી. એક તા અધિવેશનમાં એક એ અપવાદ સિવાય શ્રીમન્ત ગણાતા વર્ષે ખીલકુલ જ ભાગ લીધો નહોતા. આ અધિવેશન કેવળ મધ્યમ વર્ગના ભાઇઓનુ જ બનેલુ હતુ. નાના મેટાના આ અધિવેશનમાં કશા જ ભેદ જોવામાં નહાતા આવતા. પ્રમુખને જે સગવડ હતી તેટલી જ સગવડ સામાન્યમાં સામાન્ય પ્રતિનિધિને હતી. આ તે સરખી સ્થિતિના માણસાને મધુર મેળા હતા. કેટલાક કુતુહલથી આવ્યા હતા—કેટલાક કોઇક કામ થઇ શકશે એવી શ્રદ્ધાથી આવ્યા હતા. કેટલાક સારા કાર્યકર્તાઓએ પણ હાજરી આપી હતી. આ રીતે આખું વાતાવરણ ભારે હૃદયંગમ હતું.
આ કદાચ પહેલી જ પરિષદ હશે કે જેનુ આખું કામકાજ વિષયવિચારિણી સમિતિનું કે ખુલ્લી એકનું—કશા પણ મતભેદ સિવાય–સર્વાનુમતે થયું હતું. પ્રમુખશ્રીના પહેલેથી છેલ્લે સુધી એવા ખાસ આગ્રહ હતા કે કોઇ પણ બાબતને નિય મતગણતરીથી ન કરીએ-મતભેદ પડે તે આપણે અંદર અંદર પતાવીએ—સમજી લઇએ અથવા તે તેવી બાબત પડતી મુકીએ, પણ કોઇ પણુ બાબત ઉપર મત લેવાની સ્થિતિ સુધી જવી ન જ જોઇએ. એ તેમના આગ્રહને ખીજી આસપાસની અનેક બાબતે! બહુ જ પોષક હતી. એક તો નક્કી કરેલી વિષયમર્યાદા એવી હતી કે તેમાં મતભેદની ગરમી ઉત્પન્ન થાય એવી બાબત ભાગ્યે જ આવી શકે.ખાસ કરીને આ તાકકે તે નહિ જ. બીજું એકત્ર થયેલા પ્રતિનિધિઓના દિલમાં પણ લગભગ આવી જ વૃત્તિ રમી રહી હતી. આ બધું હોવા છતાં આવી સર્વાનુમતસિદ્ધિ પ્રમુખની કાર્યદક્ષતાને જ મોટે ભાગે આભારી છે એમ કબુલ કર્યાં વિના નહિ ચાલે.
આજે ઘણા કાળે આ કાન્ફરન્સને એવા પ્રમુખ સાંપડયા કે જેણે પોતાની જ બુદ્ધિ અને કુશળતાથી આખા અધિવેશ