________________
રોજ કરો
તા. ૧૫-૬-૪૧
1 - પ્રબુદ્ધ જૈન
૩૯
કહ્યું અને આચારનો ભાગ દર્શાવ્યું તેમાં અને પાછળથી મહા- વીર સ્વામીએ ધર્મ અને આચાર દર્શાવ્યા તેમાં ફરક પડી જતો હતે અર્થાત્ બને ધર્મ એક કહેવાય છતાં તેમાં ભિન્નતા હતી.
એ પ્રસંગ શું હતું તે જોઈએ. એવું બન્યું કે કેશીકુમાર મુનિ પિતાના શિષ્યસમુદાય સાથે વિહાર કરતા કરતા અધ્યા પાસે શ્રાવસ્તી નગરીમાં આવ્યા. તેજ અરસામાં ગૌતમસ્વામી પોતાના શિષ્યવર્ગ સાથે આ જ નગરીમાં આવી ચડયા. ભિન્ન રીત અને ભિન્ન દેખાવવાળા બન્નેની હાજરી એક જ નગરમાં થઈ, તેમાંથી મહત્ત્વને પ્રસંગ ઉભે થયો. કુદરતી રીતે બન્નેના શિષ્યોને પ્રશ્ન થયો કે “પાર્શ્વનાથ ભગવાને બતાવ્યું તે ધર્મને આચાર.બરાબર કે મહાવીર ભગવાને જે ધર્મ ને આચાર બતાવ્યા તે બરાબર ?' સૂત્રગ્રન્થમાં લખે છે કે, “ોકાર્ય માટે પ્રવર્તેલા એ બે મહાપુરૂષોમાં આ તફાવત પડવાનું કારણ શું?” શિષ્યના | મનને આ વિતર્ક જાણી પાર્શ્વનાથના શિષ્ય કેશીકુમાર અને મહાવીર સ્વામીના શિષ્ય ગૌતમસ્વામી બન્નેએ પરસ્પર મળવાનો નિશ્ચય કર્યો. '
પ્રસંગ હવે ઉપસ્થિત થયા. અલગ રહેવાથી ભિન્નતા દૂર થવાને બદલે વધે છે. નજીક આવવાની ભિન્નતા દૂર થવાની તક ઉભી થાય છે. એટલે હવે ભિન્નતા કેવી રીતની પદ્ધતિથી દૂર થઈ તેનું વર્ણન આવે છે. સૂત્રકાર લખે છે કે “પાર્શ્વનાથની પરંપરા મહાવીર પહેલાંની હોવાથી વડીલ જાણી યેગ્યાયેગ્ય સમજનાર ગૌતમ પોતે જ કશી હતા ત્યાં આવ્યા કેશીએ તેમને આવેલા જોઈ તેમને યોગ્ય સત્કાર કર્યો અને આદરમાનથી બેસવા માટે આસન આપ્યું.”
પિતાની પહેલાના હતા એટલે તેમને વડીલ ગણવામાં સંજન પુરૂષને મેગ્ય અને માનવધર્મને શોભાવતી રીત સ્વીકારી ગૌતમ સ્વામીએ વિવેક દર્શાવ્યો અને તેજ રીતે કેશી કુમારે પણ માનવધર્મનું અવલંબન કરી સજ્જન પુરૂષને એગ્ય સત્કાર કર્યો અર્થાત પરસ્પર આદર દર્શાવ્યું તેમાં બન્નેએ બાહ્ય અન્તર કાપી નાખ્યું. આવું વાતાવરણ સુલભ થયું તેનું ખરું કારણ એક અકસ્માત નહિ ગણાય, પરંતુ હિન્દની ભૂમિ પર અનેક જમાનાની સંત પુરૂષોની વાણી, વિચાર અને આચારની, સમાજ પર પડેલી છાપનું પરિણામ ગણાય. બન્ને સંત પુરૂષ મળ્યા અને તેમની આસપાસ અન્ય સંપ્રદાયના લોકો અને નગરજને વીંટાઈ વન્યા. હવે પ્રશ્નોત્તર આરંભ થં.
શરૂઆત કેશકુમારે કરી અને તે પણ મીઠી અને વિનય પૂર્વકની વાણીથી કરી. સુત્રમાં લખે છે-“કેશીએ ગૌતમને કહ્યું કે, “હે મહાત્મન્ ! હું કંઈક પૂછવા માગું છું.' ગૌતમે જવાબ આપ્યો “હે.. પૂજ્ય ! આપની મરજી મુજબ પૂછો' બાહ્ય-અંતર ગયું હતું જ. કેશીકુમારની મીઠી વાણીથી અને ગૌતમસ્વામીના સરળ જવાબથી માનસિક અંતર પણ તૂટવા માંડયું. જે તફાવત હતો. તેને અંગે બે પ્રશ્નો થયા તે પ્રશ્નોના જવાબ મળ્યા એટલે માનસિક અંતર પણ તૂટયું. ધૂમમાં છાનું શું હોય કેઈ પણ પ્રશ્ન ન થઈ શકે ? તે તે ધર્મ કેમ કહેવાય ? “આપની મરજી મુજબ પૂછ.' મારા ગુરૂ આમ માને છે, તેવો કોઈને પણ આગ્રહ હતો નહિ. કેશીને પિતાને પાર્શ્વનાથ ભગવાને દર્શાવ્યું તે જ યોગ્ય અને ગૌતમસ્વામીને મહાવીર ભગવાને કહ્યું તે જ . આવું, વાતાવરણમાં કશું આવ્યું જ નહિ. વ્યક્તિ પર વાત ગઈ જ નહિ. વાત આગળ ચાલી ત્યારે વ્યક્તિને જરાક ઉલ્લેખ હતો તે પણ અદૃષ્ય થયું. મુમુક્ષુ જીવનના અર્થો લક્ષ્યપર જ નજર ઠેરવે છે. એટલે બન્નેને
હવે એકજ વાત રહીલક્ષ્ય સમજવું અને સમજાવવું. કયા હેતુથી શું પરિણામ છે, તે મુદાપરજ વાર્તાલાપ ચાલ્યો. તે ગેખીમાં બન્નેના હેતુ શું શું હતા તે પ્રગટ થયા. એટલે વ્રત આચાર ઈત્યાદિની સ્વાભાવિક ભિન્નતા હતી તે સમજાઈ ગઈ.. અર્થાત ભિન્નતા હોય તે સર્વાગી નથી હોતી, પરતું મર્યાદિત હોય છે. તે મર્યાદા અંક્તિ થઈ ગઈ. ભિન્નતા અંગે જે સમાધાન ગોતમસ્વામીએ કર્યું, તે સમાધાન પોતાની સમજણમાં જે મુજબ હતું તે જ કહીને કર્યું. ગૌતમ સ્વામીના જવાબમાં એ તત્વ આવ્યું કે ધર્મ છે તે મનુષ્ય અને સમાજના કલ્યાણ માટે છે, એટલે સતત જાગૃતિ અર્થે વર્તમાન કાળને તપાસી, ભવિષ્યકાળના તરફ આગળ વધવાનું કહે, અને તદનુસાર ધર્મનું સ્વરૂપ ઘડાય અને બદલાય પણ ખરૂં, અર્થાત ધર્મને આધાર લેકકલ્યાણ માટે છે, ભૂતકાળની પરંપરા માટે નહિ. ભૂતકાળ ધર્મ પર ગૌણ થાય છે, અને ભૂતકાળની જેમ ભૂતકાળની વ્યકિત પણ ગૌણ થાય છે. માત્ર મનુષ્ય કલ્યાણની સિદ્ધિપર નજર જાય છે. આ ભૂમિકા પર બાહ્ય તફાવતનું નિરાકરણ થઈ ગયું. પરંતુ આટલેથી મેળાપ પતી જાય તે ઘણું અધુરૂ રહે. અધ્યાભવન અંગેના તફાવત હોય ? તે માટેના પ્રશ્નો બાકી હતા. એટલે પછીના કેશીકુમારનાં પ્રશ્નો ' અક્ષોભ જીવન માટેના થયા.
કેશીકુમાર પાર્શ્વનાથના માર્ગમાં હતા તે પાર્શ્વનાથ ભગવાન નના આદર- માટે નહિ પણ જીવનસિધ્ધિ માટે, એટલે તેમની પ્રશ્ન પરંપરા જીવનસિદ્ધિના અર્થાત આત્મકલ્યાણના માર્ગો કયા . કયા તે જાણવા માટેની થઈ. ગૌતમ સ્વામીના જીવનમાં તે અંગે
જે હતું, પિતાને જે સમજાયું હતું, અને પોતે જે અમલમાં મુક્યું હતું, તે તેમણે કહ્યું. મુમુક્ષુ જીવની વાતમાં જ આ મેળાપની બાકીની ઘડિઓની સાર્થકતા હતી. વાણી, વિચાર અને આચરણ શું શું થાય, તેના ઉત્તર ગૌતમ સ્વામીએ સ્વાનુભવથી આપ્યા. અઢી હજાર વર્ષ પછી કે ગમે તે કાળે સનાતન જ્ઞાન, ચિંતન–આચરણ તથા જીવન મુક્તિનાં પ્રશ્નો એના એ જ રહે,
જ્યારે તેના સર્વના ખુલાસા વાણી-વિચાર વર્તન અને ચરિત્રથી જે મળી રહે. અને તેને પાર મળે આ જ “ધર્મ.” ગૌતમ સ્વામીએ. ખુલાસે કર્યો કે “કામ, ક્રોધ, માયા, અને લેભરૂપી કષાય એ અગ્નિ છે. “જ્ઞાની તીર્થંકર રૂપી મહામેધથી ઉત્પન્ન થયેલ અને તેમનાં વચને રૂપી પ્રવાહમાંથી પ્રાપ્ત થયેલ શાસ્ત્રને ઉપદેશ-શીલ અને તારૂપી ઉત્તમ જળ-લઈ, સતત તેમના ઉપર છાંટું છું, અને તેથી પેલા સર્વ અગ્નિ શાન્ત થઈ ઉપદ્રવ કરી શકતા નથી. કેશીકુમાર પિતાને મળેલા ખુલાસાથી પ્રસન્ન થયા. અંતે કેશીકુમારે કહ્યું કે “હે ગૌતમ, તમારી પ્રજ્ઞા સુંદર છે, મારે સંશય દૂર થયે. હે સર્વ સંશના પારને પામેલા તથા સર્વ શાસ્ત્ર જ્ઞાનના સમુદ્ર સમાન ગૌતમ ! તમને નમસ્કાર હો !” સૂત્રકાર લખે છે કે ત્યાર પછી તે નગરમાં કેશી અને ગૌતમને નિત્ય સમાગમ થયા કર્યો, અને તેને લીધે શાસ્ત્ર' જ્ઞાન અને ચારિત્રને સારી પેઠે ઉત્કર્ષ થયો, પ્રસન્ન થયેલે શ્રોતૃવર્ગ પણ સન્માર્ગે જવા ઉધમવત થયો.
બન્ને સંત પુરૂષને મેળાપ વચ્ચે, બન્નેને મેળવો અને સર્વનું કલ્યાણ વધ્યું. મતમતાંરની વિષમતા કે કટુતાથી પ્રજાજીવન મુક્ત રહ્યું. આવી નિર્મળ ગાડી અને પદ્ધતિમાં શિષ્યોદ્વારા મહાવીર ભગવાનને પ્રભાવ પ્રતિબિંબિત થયો છે. જે ૨૫૦૦ વર્ષ પછી પણ આપણુને માર્ગદર્શન કરાવે છે.'
. ' હીરાલાલ અમૃતલાલ શાહ