________________
૩૮
પ્રબુધ જન
તા. ૧૫-૬-૪૧
અબ અને તેમાં પણ શાતિ અને અનસબંધી કન્યાના ની
પાછી અવળી ગંગા વહેવા લાગી છે ? આપણે આશા રાખીએ કે આવા બનાવે અપવાદરૂપ હોય અને આવાં વિચારવળણ ક્ષણ જીવી હોય અને રાજમાર્ગ તે છોકરા છોકરીઓને ઠીક ઠીક ઉમ્મર સુધી અવિવાહિત રાખીને બને તેટલું ઉંચું શિક્ષણ આપ- વાનો અને યોગ્ય ઉમ્મરે અને એગ્ય કાળે પરણનારે ઉભયની પુરી અને પાકી સંમતિ મેળવીને લગ્નસંબધે જવાને જ રહે અને તેમાં પણ જ્ઞાતિ અને ઘોળના બંધનો તોડવા ઉપર ખૂબ જ ભાર મુકાય. કારણ કે જે સામાજિક ક્રાન્તિ આપણે ઝંખી રહ્યા છીએ તેની ખરી ચાવી તે ઉપર જણાવેલ રાજમાર્ગને અનુસરવામાં જ રહેલી છે. સશક્ત અને પ્રાણવાન સ્ત્રી પુરૂષને સમાજ આ વિના શક્ય નથી, સંભવિત નથી. અને આ સમાજ ઉભો થયા પહેલાં સ્વરાજ હાંસલ કરવાની આશા સેવવી એ ખરેખર વધારે પડતું અને અશકયને શક્ય બનાવવા જેવું છે.
પરમાનંદ મેટ્રીક પસાર થયેલા વિદ્યાથીઓને
શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં મેટ્રીક પાસ થયેલા અને યુનિવરસીટીની ડીગ્રી મેળવવા માટે અભ્યાસ કરનાર વિદ્યાર્થીએને દાખલ કરવામાં આવે છે. વિદ્યાલયની પચીસ વર્ષ પહેલાં
જ્યારે શરૂઆત કરવામાં આવી ત્યારે સાધારણ રીતે ડીગ્રીઓ મેળવનાર વિધાર્થીઓને ધંધામાં અથવા નોકરીમાં જોડાવા માટે ડીગ્રી મેળવવાનું જરૂરી હતું. પણ સંજોગ ઝડપભેર બદલાયા છે. અને ડીગ્રી મેળવનારાઓની સંખ્યામાં ઘણો જ વધારો થવા પામ્યો છે અને એ વધારે ચાલુ જ છે. આના પરિણામે ગ્રેજ્યુએટ અને ડીગ્રીધારી અનેક ભાઈઓ ધંધા વા નોકરી વિનાના બેકાર હાલતમાં ફરે છે અને આર્થિક મુશ્કેલીના લીધે ત્રીસથી પચાશ સુધીની નોકરી મળે તે તેઓ કબુલ કરી લે છે. આવી પરિસ્થિતિ આપણા ડીગ્રીધારી વિધાથી ભાઇઓમાં ઘણાની છે. વિવલયની જ્યારે શરૂઆત કરવામાં આવી ત્યારે ડીગ્રીધારીઓની વધુ માંગણી હતી અને તેઓની કિંમત વધુ અંકાતી હતી. પણ હવે સમય બદલાયો છે. કઈ ચકર ને, તેજસ્વી અને લાગવગવાળા વિધાર્થીઓને પણ અમુક સ્થાન મેળવતાં ઘણી જ મુશ્કેલી સહન કરવી પડે છે ત્યારે સાધારણ ડીગ્રીવાળા ભાઈઓની હાડમારી વધુ થાય એ સ્વાભાવિક છે. ગ્રેજ્યુએટ થવાની અને ડીગ્રી મેળવવા હાંસ ધરાવનાર વિધાથી ભાઈઓને વિનંતી કરવાની કે તેઓએ હાલના સંજોગો અને પિતાની આર્થિકસ્થિતિના પુરો વિચાર કર્યા પછી જ આગળ અભ્યાસ કરવાને નિર્ણય કરવો જોઈએ. જેઓ શ્રીમંત છે અથવા જેઓ ખુબ ચાલાક અને અભ્યાસ અને બુદ્ધિમાં તેજસ્વી છે તેઓ પિતાની શકિતના બળે અથવા તે લાગવગથી ધંધામાં યા નોકરીમાં જોડાઈ જાય છે પણ એવા દાખલાઓ ખુબ ઓછા હોય છે. એટલે એવી લાલચમાં ભાવાની જરૂર સાધારણ વિધા
લના લામાનાની જર સાધારણ થી- થએ નજ કરવી જોઈએ. શ્રી મહાવીર વિદ્યાલયમાં લોન લેઈ અભ્યાસ કરતા વિદ્યાર્થીને ગ્રેજ્યુએટ અથવા ડીગ્રી મેળવી પસાર થતાં બે હજાર થી ચાર હજારનું દેવું થાય છે. ઉપરાંત પાંચ સાત વર્ષનું દરેક વિદ્યાર્થીએ કમમાં કમ પાંચ સાત અંગત ખરચ થાય એ જુદુ ગણવું. ત્યારે મેટ્રીક થયા બાદ તુરત નોકરીમાં યા મન પસંદ ધધામાં જવાથી હું વિધાર્થી ભાઈઓને થતા ફાયદા સમજાવવા નીચેની વિગત આપું છું. મુંબઈ, અમદાવાદ જેવા મોટા શહેરોમાં સાધારણ રીતે ધંધાદારી વેપારીને ત્યાં કલાર્કને ત્રીસથી પાંત્રીશ સુધીનો પગાર હોય છે ખુબ હોંશીઆર હોય તો ચાલીશ પણ મેળવે. પણ આપણે પાંત્રીશ ગણીએ અને દરેક વર્ષે પાંચ પાંચને વધારે ગણીએ તે નીચે પ્રમાણે પહેલા વર્ષે ૪૨૦,
બીજા વર્ષે ૪૮૦, ત્રીજા વર્ષે ૫૪૦, ચોથા વર્ષે ૬૦૦, પાંચમા વર્ષે ૬૬૦ એમ પાંચ વર્ષમાં તેઓ સતાવી રૂપીઆ મેળવી લેવા ઉપરાંત ધંધાને અનુભવ મેળવી ખુબ હોશીઆર અને ચાલાક બને છે જ્યારે પાંચ વર્ષ ગ્રેજ્યુએટ થનાર ભાઈ બેહજારનું દેવું અને સતાવીશ કમાઈ શકે તે ન કમાય એટલે સુડતાલીશ ગુમાવે છે. પરિણામે પાંચ વર્ષે પણ મેટ્રીક થનાર અને ધંધા યા નોકરીમાં જોડાનાર ભાઈથી પણ ઓછા પગારની નોકરી મેળવવા તે ફાંફાં મારે છે એ જુદું હોય છે. ઘણી લાગવગ અને પુષ્કળ પ્રયત્ન પછી ચાલીશ પીસ્તાલીશની જે કાંઈ નોકરી મળે એ લાચારીથી તેને કબુલવી પડે છે. આવી હાડમારી અને મોટા દેવામાંથી મુકત રહેવા સારૂ સાધારણ વર્ગના અને સાધારણ સ્થિતિના વિદ્યાર્થીઓ તેમના વાલીઓ તમને મેટ્રીક પસાર કર્યા બાદ તુરત કોઈ પણ ધંધામાં યા નાકરીએ જોડી દે એ વધારે જરૂરનું અને લાભદાયી છે. મેટ્રીક પાસ થઈ, સેનેટરી, રેડીઓ, એજીનીયરીંગ, રિન આદિ બીન જ હુન્નર ઉદ્યોગોમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિધાથભાઈઓ માટે શ્રી મહાવીર વિદ્યાલયમાં સગવડ કરી આપવાનો શ્રી મહાવીર વિદ્યાલયના સંચાલકોને આગ્રહ કરું છું. બંધારણ અંગે કોઈ મુશ્કેલી જણાતી હોય તે એમાં ફેરફાર જનરલ સભા પાસે કરાવી લેવા માટે એગ્ય કરવા તેના સંચાલકો ધ્યાનમાં લેશે એવી આશા છે. આવી કેટલીક લાઈનને અભ્યાસક્રમ વર્ષ બે વર્ષને જ હોય છે અને વધુ ખરચાળ પણ હોતું નથી અને એ લાઇને પસાર કરનાર વિદ્યાર્થી ભાઈઓ માટે નોકરી યા ધંધાનું ક્ષેત્ર પણ બહોળું છે તેથી તેઓ તુરત ઠેકાણે પડી જાય છે. માટે વિદ્યાર્થીઓને આવી જાતની જોગવાઈ આશીર્વાદ સમાન બનશે. મને આશા છે કે શ્રી મહાવીર વિદ્યાલયના સંચાલકો, અને વધુ અભ્યાસ કરવા ઇચ્છતા વિધાર્થી ભાઈઓ મારી આ સુચના ઉપર જરૂર વિચાર કરશે. મણીલાલ મકમચંદ શાહ ભગવાન કેશીકુમાર અને
ૌતમસ્વામી” [તા. પ-૪-૪૧ ના રોજ ભગવાન મહાવીર જન્મ નિમિતે એલ ઇન્ડીયા રેડીઓ દ્વારા જાયેશ્રી. હીરાલાલ અમૃતલાલ શાહને વાર્તાલાપ ઓલ ઈન્ડીઆ રેડીની સંમતિ અને સમાજન્યથી નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી)
હિન્દના ઇતિહાસમાં અનેક મહાપુરૂષોનાં જીવન-ચરિત્રો સમાઈ જાય છે. ગઈ કાલે જ તેવા એક મહાપુરૂષની જયન્તી, આખા હિન્દમાં ઉજવાઈ છે. અને તે જન ધૂર્મન વશમાં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીની છે. તેમનું ચરિત્ર ખૂબ જાણીતું છે. આજે ૨૫૦૦ વર્ષ પહેલાંને તેમને પ્રભાવ યાદ કરીએ, અને તે તેમના શિષ્યના ચરિત્રથી યાદ કરીએ તે યોગ્ય થશે; કારણ કે કહેવત પ્રમાણે “કુવામાં હોય તે જ અવેડામાં આવે છે.
મહાવીર સ્વામીના મુખ્ય શિષ્ય ગૌતમ સ્વામીને એક સુંદર પ્રસંગ “ઉત્તરાધ્યયન સૂત્ર” નામના જૈન ધર્મના શાસ્ત્રગ્રંથમાં છે. મહાવીરસ્વામીના નિર્વાણ પામ્યા પછી આ પ્રસંગ બન્યા લાગે છે.
આ પ્રસંગમાં બીજા મુનિ શ્રી કેશીકુમારને ઉલ્લેખ છે. જે મહાવીર સ્વામી પહેલાં ૨૫૦ વર્ષે થયેલા ત્રેવીસમાં તીર્થકર પાર્શ્વનાથ સ્વામીના માર્ગના “વિદ્યા અને આચરણમાં પારગામી મહાયશસ્વી” સાધુ ન હતા. પાર્શ્વનાથ ભગવાને ધર્મનું જે સ્વરૂપ ને
જસાધારણ .ચલિત માન્યતા મુજબ તેમ જ આ વિષયના કેટલાક જ્ઞાતા- * . ઓના અભિપ્રાય મુજબ પ્રસ્તુત બનાવ ભગવાન મહાવીરના જીવનકાળા દરમિયાન બનેલ ગણવામાં આવે છે, તંત્રી.