SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ समस्त आंणाए उबट्ठिए मेहावी मारं तरति । સત્યની આણુમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે. પ્રબુધ્ધ જૈન सत्यपूतं वदेद्वाक्यम् પ્રબુદ્ધ જીન ૧૫ ધાર્મિક ઝગડાઓનું મૂળ. જગતમાં ભાગ્યે જ એવા કોઇ ધર્મ બાકી રહ્યો હશે કે જે ધાર્મિક ઝગડાથી મુકત હોય. દરેક ધર્મમાં નાનાવિધ પંથા પ્રચલિત છે. એકજ મૂળ પુરૂષને માનવા છતાં પરસ્પર વિરેધ ધરાવતા પથાના તાટા નથી. ધર્મનું સ્વરૂપ સમજી કોઇ ધર્મને અપનાવતું નથી, પણ પેાતાના બાપદાદા જે ધર્મ પાળતા આવ્યા હાય તેને જ સૌ પાળે છે. પેાતે જે ધર્મમાં જન્મ્યા છે તે ધર્મ, જેતે વિલો ગુરૂ માને છે તે ગુરૂ, અને જેને દેવ માને છે તે દેવ. એટલુ જ જગતમાં સત્ય છે અને બાકી બધા ઉંધે રસ્તે છે એવી ધર્મચુસ્ત વર્ગની માન્યતા હાય છે. પેાતાના ધર્મને માનનારાને જ ઉધ્ધાર થશે અને બાકી બધા ભમ્યા કરશે એવી દરેક ધર્મવાળા માન્યતા ધરાવે છે. એવી માન્યતાને લઇ પોતાના ધર્મની કોષ્ટતાના પ્રચાર કરે છે. મારૂ ‘તેજ સારૂં', એવું મમત્ત્વ ધરાવી ખીજા ધર્માંની નિન્દા પણ ધર્મપ્રેમી વર્ગ · જ કરે છે. પ્રત્યેક ધાર્મિક ઝગડાનું કારણ મમત્વ છે. ધર્મ ગુરૂએ આપણા ધર્મ જ બરાબર છે અને બીજા ધર્માં બરાબર નથી એવા પ્રચાર પાતાના ભકતામાં કરે છે. અજ્ઞાન લેાકા એ વાતને માની લઈ પછી ધર્મને નામે ઝગડયા કરે છે. સ્વામી વિવેકાન દે . એક સ્થળે જણાવ્યું છે કે “ પ્રત્યેક ધર્મમાં ધર્મગુરૂ એક પાપસનાત જ છે; કારણ કે તે અન્ય ધર્મની નિન્દા અને ટીકા કર્યાં કરે છે, તેઓ ધર્મરૂપ તંતુને સુધારવા માટે એક જ તંતુને એટલી હદ સુધી તાણી રાખે છે કે તેટલામાં બીજા એ ત્રણ તંતુ સ્થાનભ્રષ્ટ થઈ જાય છે, પ્રેમ કાઇની નિર્ભર્લ્સ'ના કરતા જ નથી. એ નિદાનું કાર્ય કેવળ મહત્વાકાંક્ષાનુ જ છે.” ધર્મને જે સત્ય સ્વરૂપમાં સમજે છે તેને મારૂ તેજ સારૂ એવી કલ્પના પણ આવતી નથી. તે તા એક સત્યના જ સ્વીકાર કરે છે. જુદા જુદા ધર્મો એ સત્યને પ્રાપ્ત કરવાના જુદા જુદા માર્ગો છે, જેને જે માર્ગ અનુકુળ જણાય તે તે માર્ગે ચાલી પેાતાના ઇચ્છિત ધ્યેયને પ્રાપ્ત કરે એવી સમજ ધાર્મિક ઝગડાથી તેને દૂર રાખે છે. દરેક એવી સમજ ધરાવે તે ધાર્મિક ઝગડા સ્વયં અદ્રશ્ય થઈ જાય, પણ તેને બદલે મહત્વાકાંક્ષી ધમ ગુરૂએ પેાતાના અનુયાયીએ કેમ વધુ મતાગ્રહી અને તેને જ ઉપદેશ આપે છે. સાચા જ્ઞાનીને કાઇ પણ વસ્તુને આમ હતેા નથી. પણ અજ્ઞાની પુરૂષ તે મતભેદો વધારે છે અને તેમને કાયમ કરે છે. ૧૯૪૧ મતાગ્રહી ગુરૂ સતત એક જ વસ્તુને પ્રચાર પેાતાના અંધ શ્રધ્ધાળુ ભકતામાં કરે છે કે અમે કહીએ છીએ તે જં ધર્મ અને તેજ સત્ય. પેાતાના વાક્ચાતુર્યથી ભકતાનું વર્તુળ રચી પ્રતિષ્ઠા મેળવવામાંજ રચ્યાપચ્યા રહે છે. તત્વ જાણવાની એમને દરકાર હાતી નથી. ચાલી આવતી પર ંપરા ટકાવી રાખવાના જ પ્રયત્ન કરે છે. કાળની ગતિ સાથે પ્રગતિ સાધવાને બદલે જુની રૂઢિઓને પકડી એસી રહે છે, મુખપાઠ કરેલા જૈન તા. ૧૫-૬-૪૧ ધર્મગ્રંથોના સ્વબુદ્ધિ પ્રમાણે અર્થ કરી ધર્મપારંગત હાવાના દાવા કરે છે. અજ્ઞાનીજને પોતાની અજ્ઞાનતાથી એમને ધર્મધુરધર માની એમના આદેશને અનુસરે છે. સ ંસાર ત્યાગી સાધુ કે સન્યાસી બનેલા માટે પેાતાની માન્યતાઓના પ્રચાર માટે પૂર્ણ સગવડ હેાય છે. પ્રતિદિન ભિન્ન ભિન્ન સ્થળે વિહરવાનું હાવાથી અને અન્ય કઇ કાર્ય ન હેાવાથી એએ પોતાના વિચારો મેટા વિસ્તારમાં સહેલાથી પ્રચારી શકે છે. જગતના માટા ભાગ આજે પણ વેશપૂજા કરે છે. ધર્મગુરૂઓની અસર ધણી મેટી છે. મનુષ્યાનાં મનમાં પરંપરાથી ચાલી આવતા રીવાજો અજ્ઞાનને લીધે એટલા બધા સજ્જડ જડાઇ ગયા હૈાય છે કે તેના પરિણામે તેમની સારાસારા વિચાર કરવાની શક્તિ પણ ક્રુતિ બની જાય છે. રૂઢિચુનગ ધર્મને નામે બધુ અપનાવી લે છે. સમાજ સુધારકો માટે નવીન વિચારોને પ્રચાર કરવાનું કાય જેટલું કઠિન છે, તેટલું ધર્મગુરૂઓ માટે સહેલું છે. સંસારી સુધારકોને અનેક જાતની જવાબદારી અદા કરવાની હોવાથી એને પેાતાના કાર્ય માટે બધા સમયને ભેગ આપવાનું અશકય છે, જ્યારે ત્યાગી વર્ગ ચાહે તે વસ્તુને સહેલાઈથી પ્રચાર કરી શકે છે. પ્રત્યેક ધર્મના સંસ્થાપક વિશ્વપ્રેમના સ ંદેશ સુણાવ્યા છે. માનવ માત્ર માટે એમનાં દ્વાર ખુલ્લાં હતાં. એમને ભાગ સરળ હતા. માનવ માત્ર પર પ્રેમની વર્ષા કરનાર મહાત્માઓને કાઇ ભેદ નહાતા. જાતિ પંથના ઝગડાઓથી દુર રહી ખીજાએને પણ દુર રાખતા. આજે આપણે અનેક મંદિશ કે દેવાલયેમાં માત્ર તે ધર્મના અનુયાયીઓ માટે' એવા પાટીયા લાગેલા જોઇએ છીએ. અમુક ધર્મની વ્યકિતઓ સિવાય અન્ય આવવુ નહિ એમ લખેલું હાય છે. આ શોધ કયા ફળદ્રુપ મગજમાંથી ઉદ્ભવી હશે ? જેમની સ્મૃતિએ બનાવી આપણે મંદિર સ્થાપ્યા છે તેમના તા એ સદેશ નથી ત્યારે એ શોધ કોણે કરી હશે ? માનવ માત્ર માટે સર્જિત થયેલી વસ્તુ પર પણ અજ્ઞાન માનવોએ માલેકીની છાપ લગાડી દીધી. હિન્દુ ધર્મ હિન્દુ માટે જ અને જૈન ધર્મ જના માટે જ એવી માન્યતા મજબૂત કરી. એક વ્યકિત મુસલમાન થઇ શકે, ક્રિશ્ચિયન થઈ શકે પણ હિન્દુ કે જૈન થઇ શકતી નથી. એક વખતે એ ધર્મો માનવ જાત માટે ખુલ્લા હતા. આજે માત્ર એ ધર્મમાં જન્મેલા માટે જ છે. એક વખત અનેક પતિતા અને શુદ્રોએ પણ એ ધર્મ દ્વારા મુક્તિ મેળવી હતી; પણ આજે એમને માટે એ ધર્મોનાં દ્વાર બંધ છે, આ સંકુચિતતાનો પ્રચાર ધર્મ ગુરૂઓને આભારી છે. ધર્મગુરૂએ પેાતાનુ સ્થાન અવિચલિત રાખવા ઠેર ઠેર સંકુચિતતાને પ્રચાર કર્યો છે. પ્રતિષ્ઠાને ખાતર નાના મત પંથ પ્રચલિત કરવાની જવાબદારી પણ ધર્મગુરૂએ જ માથે લે છે. માત્ર થોડા લાખની સંખ્યા ધરાવતા જૈન ધર્મમાં અનેક સંખ્યાબંધ ગચ્છો છે. કાઇ એવા દાવા તેા ન જ કરી શક કે આ બધા ગઢે ભગવાન મહાવીર સ્વામીએ જ નિરૂપેલા છે, પોતે માની લીધેલી માન્યતાઓને લઇને સૌ પેાતાને જુદા જુદા માર્ગ સ્થાપી એસી ગયા. દરેક ગચ્છવાળા માને છે કે પોતે જ ભગવાન મહાવીરે બતાવેલા માર્ગે છે અને પેાતા સિવાય બીજા બધા ઉધે રસ્તે ચઢી ગયા છે. પોતાના સિવાયનાગેને તેઓ મિથ્યાલી માને છે. પેાતાના ગચ્છ સિવાયના બીજા ગચ્છવાળાના પુસ્તી ન વાંચવા, તેમને ગુરૂ ન માનવા એવા પ્રચાર ગચ્છના ગુરૂ કર્યાં કરે છે. પરસ્પરનાં મંદિ રામાં જવાથી પણ મિથ્યાત્વ લાગી જશે એવેશ ઉપદેશ ધર્મગુરૂએ આપે છે. મિથ્યાત્વના ભયથી અજ્ઞ જને તે જેમ કહે
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy