SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ પ્રબુદ્ધ જૈન પણ જમાના બદલાય છે, પરિસ્થિતિ બદ્લાય છે, સાધના અને રહેણી કરણી બદલાય છે, તે સાથે જીવન આખું શું નથી બદલાતુ ? અને જીવન બદલાય છે તે તે સાથે 'દાનની પતિ પણ ન ખલાવી જોઈએ ? ભૂખ્યાંને જમાડવાં એ દાન છે તે દેશમાં દુષ્કાળ જ ન પડે તેવાં મોટાં જળાશયેા કરાવવાં એ પણ દાન નથી ? આજકાલ જૈનસમાજનુ એવુ એક પણ અનિષ્ટ નહિ હાય તેની સાથે વિદ્યા-વિજ્ઞાન-સાયન્સ એક કે ખીજો, કામચલાઉ કે કેવળ સિદ્ધિપ્રદ ઉપાય નહિ ચા∞ શકતુ હાય ! તે દુષ્કાળ, ગરીબાઇ, રાગચાળા, અજ્ઞાન–એનો સદંતર નાશ થાય, એને માટે મોટી જબરદસ્ત જ્ઞાનશાળા, જ્ઞાનપરા ઠેરઠેર યોજવી એ આપણા ધર્માંદાનું નવું સ્વરૂપ નહાવુ જોઇએ ? આજકાલ બધી કામેમાં એક નવીન અભિમાને પ્રવેશ કર્યાં છે. નવી વિધાથી આપણામાં સ્વદેશનું અભિમાન આવ્યું, તેની સાથે જ પેાતાના પ્રાન્તનુ અભિમાન આવ્યું. તેવુ જ પેાતાની કામનું પણ અભિમાન આવ્યું છે. કંઇક રાજ્યપ્રકરણી ખાતામાં કેમી તત્ત્વ ઘુસાડી હિંદની અનેક કામોને અંદર અંદર લડતી જોવાની સરકારની અભિલાષાનુ` આ પરિણામ છે, પણ તે સાથે સાથે જમાનાની નવી અભિમાન વૃત્તિના વિકારનુ પણ એ પરિણામ છે. દરેક કામ પોતાનું હિત કરવાને મંડળીઓ રચે છે, પેાતાની કામની શાળાઓ સ્થાપે છે, પેાતાની કામનાં છાત્રાલયો, શિષ્યવૃત્તિ વગેરે સ્થાપે છે. કેળવણીમાં આ ભેદભાવ અને ફુંકી દૃષ્ટિથી નુકસાન થાય છે. એ શાળા કે છાત્રાલયામાં વસનાર વિદ્યાર્થીને પેાતાને નુકસાન થાય છે, એ મેં મારી નજરે જોયુ છે. આ સંકુચિતતાથી આપણે સર્વેએ મુકત થવુ જોઈએ. તમારા દાનવીરે જ્યારે ભૂખ્યાંને જમાડતા ત્યારે કેમ કે નાત. નહાતા પૂછતા, પરમે કાઇની નાત પૂછતી નથી, તે આ જ્ઞાનની પરમે પણ કોઈની નાતજાત શા માટે પૂછાવી જોઈએ ? આ ઉપરથી જનભાઈઓને વધારે માર્મિક લાગે એવા એક પ્રશ્ન ઉપર આવું છું. જૈન દાનવીરાએ સૌથી વધારે પૈસા ચૈત્ય મંદિશ દેરાસરો કરવામાં અને યાત્રાના સંધેા કાઢવામાં ખરચેલા છે. જુના જમાનામાં, જ્યારે ધર્મપ્રચારનુ આજ એક મેટામાં મેટુ સાધન હતું, ત્યારે આ રિવાજો ખેાટા નહિ હેાય. પણ અત્યારે આ રિવાજો પ્રમાણે ચૈત્યોથી કે સંધાથી જૈન ધર્મ વિસ્તાર પામે એવી આશા રાખી શકાય એમ છે? અત્યારે માત્ર દહેરાના દેખાવથી કે સંધમાં ખરચાતા પૈસાથી આકર્ષાઈ કાઇ જૈન ધર્મ સ્વીકારે કે એ ધર્મ તર તેને આદર થાય એમ ભાતા છે? જનામાં જ અત્યારે દેરાસર જવુ અને સમાં જવુ એને ખરી ધાર્મિક વૃત્તિ કેટલા માને છે? હવે કોઇ પણ ધર્મ બૃહારની ગમે તેવી ભવ્ય વિધિથી કે આકષઁણુથી ટકી શકવાનો નથી તે બીજાપર અસર તેા કયાંથી જ કરવાના હતા ? અત્યારે આવા દેખાવા માત્ર કીર્તિના જ રહ્યા છે અને તેને કીર્તિ માનનાર મંડળ પણ, દહાડે દિવસે ટુ થતુ જાય છે, અને ધર્મના ખરા વિજય શેમાં છે? ધર્મના અનુયાયી । વધ્યા કયારે ગણાય ? અમુક સપ્રદાયના બાહ્ય ચિન્હા વધારે સંખ્યા ધારણ કરે તેમાં કે તેમના સિદ્ધાંત જગતના જીવનમાં ઉતરે તેમાં ? જૈન ધર્મના સિદ્ધાંતના વિજય શામાં ? વધારે સંખ્યા દેરાસરમાં જાય તેમાં કે દુનિયાનું રાજ્ય પ્રકરણ પધ્ધતિ હિંસા છોડી દે તેમાં ? એટલે જૈન ધર્મના ભવિષ્યને વિજય મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે જેટલે અંશે તે પોતાના સિદ્ધાન્તને જગતના વનમાં એતપ્રેત કરી શકે તેમાં છે તેટલા એ સિદ્ધાન્તાના તા. ૩૧-૫-૪૦ સંઘના સભ્યાને વિનતિ શ્રી મુંબઇ જૈન યુવકસધ જૈન સમાજના ત્રણે વિભાગના સભ્યોનો બનેલો છે. આપણે આપણી પ્રવૃત્તિને સમાજના બધા ભાગને સ્પર્શી શકે અને સધના કાર્યને વેગ મળે તેવી રીતે આગળ ધપાવવા પ્રયત્નશીલ થયા છીએ. આ ભાવનાને પહોંચી વળવા માટે આપણે સમાજનુ માનસ કેળવવા માટે “ પ્રબુધ્ધ જન” પાક્ષિક પત્ર શરૂ કરવાનુ સાહસ ખેડયું છે. ઉપરાંત વાંચનાલય અને પુસ્તકાલય જાહેરને માટે ખેાલવાના પ્રબંધ કર્યો છે. આ બન્ને કાર્યો ખૂબ સમૃધ્ધ બનાવે એવા સભ્યાની સેવા મેળવી શકવાને સધ ભાગ્યશાળી થયા છે એથી આનંદ થાય છે. હવે સમાજને આપણા ઉદ્દેશ્ય બરાબર સમજાય એવી રીતે કેળવવાની પ્રવૃત્તિ હાથ ધરવાની જરૂર છે અને આને માટે કાંઇક સંગીન ચાંજના યેાજવામાં આવે અને તેને પેાતાનીજ ગણી સધના સભ્યોમાંથી કાઇ એકાદ એ સભ્યો ઊપાડી લે એ જરૂરનુ` છે. યુવક સંધને દશ વર્ષ થયા તેટલા સમયમાં તેણે પોતાની શકિત મુજબ સમાજનું વાતાવરણ કેળવવા માટે ઠીક ઠીક પ્રયાસ કર્યો છે. છેલ્લાં ત્રણ વર્ષથી સંઘનુ બંધારણ વધુ વિશાળ બનાવવામાં આવ્યુ છે અને તે રીતે ત્રણે વિભાગના સભ્યોનો સાથ સુલભ બન્યો છે. એટલે હવે આપણા પ્રયાસ ફીરકાભેદ સિવાય આખા જૈન સમાજને કેળવવા માટે અને આપણા દેશના વધુ પ્રચાર કરવા માટે વધારે મોટા પાયા ઉપર ઉપાડવાની જરૂર છે. આપણા સમાજના ત્રણે વિભાગમાં અત્યારે નિરાશાજનક વાતાવરણ છવાયેલું છે. સામાજિક, ધાર્મિક કે રાષ્ટ્રીય ઉન્નતિની માહાત્મ્યના સ્મારકો કે ઉત્સવાનાં નથી. એટલુંજ નહિ, એથી આગળ જઈ હું તે એમ માનું છું કે ભવિષ્યમાં ધર્મના પ્રચાર કે વિસ્તાર કરનાર વ્યકિત કાઇ પણ એક સંપ્રદાયની નહિં હાય, સંપ્રદાયના વાડાથી પર હશે. હવે ધીમે ધીમે ધર્મ, ફિલસુફ્રી, સમાજશાસ્ત્ર, ચિત્રશાસ્ત્ર અને કાવ્ય નજીક નજીક આવતા જશે. હવે જેતે ખરી ધર્મની લાગણી હાય તેણે જગતના જ્ઞાનને વધારે વિસ્તૃત અને સજીવન, વનેાન્મુખ કરવા પ્રયત્ન કરવા જોઇએ. જૈનભાઈઓના ધર્માંગ્રહ જોઇ કોઇને પણ એકવાર તેા આદર થયા વિના પણ ન રહે, ઉપરના ભાગે તેમને આગ્રહ નહિ વળે તે તેમનુ બધુ ધ મમત્વ ફાગટ જશે એવી મને ભીતિ રહે છે. એક બીજી દૃષ્ટિએ પણ વિચાર કરશો. જમાના બદલાતાં વેપારીઓએ વેપારનુ સ્વરૂપ બદલાવ્યું છે કે નહિ ? જુના વેપાર ઉપરાંત મીલ વગેરે પાશ્ચાત્ય ઢબનાં કારખાનાં કાઢ્યાં છે કે નહિ ? આ નવું સ્વરૂપ એકદમ અપનાવી લેવામાં બ્રાહ્મણધમાં કરતાં ના ધણા આગળ ગયેલા છે, પછાતમુધ્ધિ ગણાતી બ્રાહ્મણ વૃતિ પરદેશ તરફ્ હન્તુ નથી વળી, જૈનભાઇએ સમુદ્રગમનને કશા બાધ ન રાખતાં પરદેશના વેપારમાં ઝુકાવ્યું છે, અને અત્યારે દુનિયાના એવા એક પણ ખુણા નહિ હોય જ્યાં વેપારની સંભવિતતા હોય અને જૈન ન હાય ! તેા વેપારમાં તેમણે જીવનને નવા માર્ગ આપ્યો તે ધર્મદાનમાં શા માટે નહિ ? પરદેશના સંસર્ગથી ઉલટુ' જન ભાઇએએ સૌથી પહેલાં સમજવુ જોઇએ કે આપણા ધર્માદાએ નવાં રૂપ લેવાની જરૂર છે. રામનારાયણ વિશ્વનાથ પાઠક * કેટલાક સમય પહેલાં અમદાવાદ જૈન યુવક સંઘ તરફથી રાજાએલ પર્યું પણ્ વ્યાખ્યાન માળામાં શ્રી. રામનારાયણ વિશ્વનાથ પાઠક આપેલા એક અપ્રગટ વ્યાખ્યાનમાંથી,
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy