SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુધ જૈન તા. ૧૫-૪-૪૦ આ સ્થાયી સમિતિના કેટલાક આગેવાનો છે. મુ. વિભા- ગમાં પડેલા પક્ષોને એકત્ર બનાવવાની અને એ રીતે મૃતપ્રાયઃ કેન્ફરન્સને સજીવ અને પ્રાણવાન બનાવવાની હિલચાલ કરી રહ્યા છે. ઉભા થયેલા પક્ષે સંધાય અને પરસ્પર એક્તા ઉભી થાય એ કોણ ન ઈચ્છે? પણ આજના ઉગ્ર મતભેદનું પ્રાબલ્ય વિચારતાં બધા પક્ષો વચ્ચે સ્થાયી એકતા શક્ય કે સંભવિત નથી લાગતી. એમાં પણ જે પક્ષને જ્યાં ત્યાં ધર્મ વિરૂદ્ધની ગંધ આવ્યા કરતી હોય અને એવી ગંધ આવતા ભડકવા અને ભાગવાની ટેવ પડી હોય તે પક્ષને આજના પ્રાગતિક કાળમાં બહુમતી મુજબ નિર્ણ કરતી અને કાર્ય ચલાવતી પરિષદમાં કેટલું સ્થાન હોઈ શકે એ શંકાસ્પદ છે. આમ છતાં પણ આવી આખી કોમના પ્રતિનિધિવને દા કરતી સંસ્થાના આગેવાનને ધર્મ છે કે આખી કોમને બને તેટલા એકતાના સૂત્ર વડે સંગઠિત કરવી અને તે દૃષ્ટિએ શક્ય તેટલી એકતા સાધવાની તેમની પ્રવૃત્તિ આવકારદાયક છે અને તે ખાતર ભિન્ન ભિન્ન પક્ષોએ પિપિતાના સિધ્ધાંત કે સ્વત્વને બાધ ન આવે એવી બાંધ છોડ કરવી એ પણ એટલું જ અપેક્ષિત છે. પણ આવી એકતાના અભાવે કોન્ફરન્સ ચાલતી નથી અથવા તે આવી એક્તા થયા પછી કોન્ફરન્સનું કામ આગળ ધપાવવામાં જરા પણ મુશ્કેલી નહિ આવે. આ બન્ને માન્યતાઓ ભૂલ ભરેલી અને ગેર રસ્તે દોરવનારી છે. આજને કાળ અને વિચાર સંધર્ષણ એવા પ્રકારનું છે કે ભિન્ન ભિન્ન આદર્શી ઉપર ઉભા થયેલા વિચાર પક્ષે એકત્ર થાય તે પણ કયાં સુધી એક સરખા જોડાયેલા રહેશે એ શંકાસ્પદ રહેવાનું જ. રાષ્ટ્રીય મહાસભાને આજ સુધીને ઈતિહાસ આ બાબતની સાક્ષી પુરે તેમ છે. એકતા થાય તે ઇષ્ટ અને આવકારદાયક છે; ને થાય અથવા ઉભી કરેલી એકતા તુટી પડે તે પણ કિન્ફરન્સનું કામ ચાલવું જ જોઈએ અને જરૂર ચાલે જે કોન્ફરન્સના કાર્યની પાછળ આખે આત્મા રેડીને અને સમયને પુષ્કળ ભોગ આપીને સ્થળે સ્થળે કરનારા પ્રતિષ્ઠાપાત્ર કાર્યકર્તાઓ કેન્ફરન્સને મળે તે. ખામી છે ખુબ ભોગ આપીને કાય કરનારાઓની. આગામી સ્થાયી સમિતિની બેઠક જે કેન્ફરન્સને ચિરંજીવિની બનાવવા માંગતી હોય તો તેણે આવા કાર્યકર્તાઓ શી રીતે ઉભા કરવા એજ એક વિચાર કરવો મકાને તેના માલીક પાસેથી પુરા ભાડેથી લઈ ઓછા ભાડે જૈન સમાજના દરેક વર્ગને આપવાની શરૂઆત કરી છે. ભાટુંગા ખાતે શેઠ પાંચારીઓની ચાલીમાં છવીસ કુટુંબને માસીક ચાર રૂપીઆના ભાડાથી વસાવી રાહત આપી છે તેવી જ રીતે ભાટુંગા ખાતે બીજી એક ચાલીમાં છત્રીશ કુટુંબોને રૂા. ચાર અને પાંચના ભાડાથી વસાવ્યા છે. વધુ ચાલીઓ અથવા મકાને મેળવવા તેના ટ્રસ્ટીઓ પ્રયાસ કરી રહ્યા છે. બન્ને ચાલીએ હવા ઉજાસવાળી અને સગવડભરેલી છે. પાટણ જૈન મંડળે પાટણના જન ભાઈઓ માટે બે મકાન સસ્તા ભાડાથી મરીન ડ્રાઈવ ઉપર બંધાવ્યા છે. તેને હેવાલ પ્રબુદ્ધ જૈનમાં પ્રગટ થઈ ગયો છે. આ મકાનો રૂા. ૧૫ના માસીક ભાડાથી જેટલી વધુ સગવડ આપી શકાય તેવી રીતે બાંધવા માટે મંડળને ધન્યવાદ ઘટે છે. વળી પાટણના જૈનેના માટે વધુ એક મકાન કાલબાદેવી રોડ બદામની વાડીમાં મહુમ અમીચંદ બાબુના સુપુત્રોએ એક લાખ છત્રીશ હજારની કીંમતે ખરીધું છે. તેમાં વીસેક હજારને ખર્ચ કરી હવા ઉજાશ પુરતા પ્રમાણમાં આવી શકે તેવા બબ્બે ઓરડાના બ્લોકો ફક્ત રૂા ૫ ના ભાડાથી પાટણના ઓછી આવકવાળા જન ભાઈઓને આપવાની ભાવના રાખી છે. આ ઉપરાંત માટુંગા ખાતે સુરતના દશાઓશવાળ જૈન ભાઈઓ માટે શેઠ પ્રેમચંદ રાયચંદના સુપુએ બે મકાને બંધાવ્યા છે. તેમાં એક મકાનમાં બાર બ્લેક રૂા ૧૬ થી ૨૫ સુધીના ભાડાથી અને બીજા મકાનમાં સત્તર રૂમ રૂ. ૫ થી ૧૭ સુધીના ભાડાથી સુરતનાજ દશા ઓશવાળ જ્ઞાતિના જેને ભાઇઓને આપી કુલે ઓગણત્રીશ કુટુંબને વસાવવામાં આવ્યા છે. આ રીતે આપણી સમાજમાં હવા ઉજાસવાળા મકાને પિતાની જ સમાજના ભાઈઓને પુરાં પાડવાની વૃત્તિ વધતી જાય છે એ એક શુભ શરૂઆત છે. સસ્તા ભાડાના મકાનમાં રહે- નાર ભાઈઓને કેવી સગવડ આપવી જોઈએ તે સંબનાર ધમાં આપણે પારસી અને બીજી કોમ તરફથી એવાં મકાને બંધાય છે તેને અભ્યાસ કરવાની ખાસ જરૂર છે. અને તેથી આવા મકાને પુરા પાડવાની ભાવનાવાળા આપણા શ્રીમતે અને કાર્યકરને પારસી, કપાળ, ભાટીઆ અને દક્ષિણી કેમેએ બિડીંગ સોસાયટીઓની સ્થાપના કરી તે દ્વારા આવા પ્રકારના મકાને પુરા પાડવાની યોજનાઓ અમલમાં મુકી છે તેને અભ્યાસ કરી એ દિશામાં યોગ્ય પ્રયત્ન કરવાની જરૂર છે જેથી કરીને સમાજના તમામ વર્ગને એમની જરૂરીઆત પ્રમાણે ઓછા ભાડાના મકાને પુરા પાડી શકાય. આપણી સમાજના શ્રીમતે આવી યોજનાઓ અમલમાં મુકવા માટે તેને લગતા નિષ્ણાતને સાથ મેળવવા પ્રયત્ન કરી બિલ્ડીંગ સોસાયટીઓ ઉભી કરે તે તેને લાભ આપણા સમાજને નાનો મોટો વર્ગ જરૂર ઉઠાવે અને એ રીતે સમાજને ઉપયોગી જરૂરીઆત પુરી પાડી શકાય. આશા રાખવામાં આવે છે કે આ બાબત તરફ સમાજના શ્રીમતે પુરૂ ધ્યાન આપશે અને આજે કરવામાં આવેલી નજીવી શરૂઆતને સારે વેગ આપવામાં આવશે. મણિલાલ મોકમચંદ શાહ ' પરમાનંદ જૈનો માટે સસ્તા ભાડાના મકાને આ પત્રમાં ઘણી વખત જેને માટે રહેવાના સુખાકારી હવા ઉજાસવાળા મકાને ઓછા ભાડાથી જનેને મળી શકે એ માટે લખવામાં આવ્યું છે. તેની કંઈક અસર સમાજમાં થઈ રહી હોય એમ જણાય છે. શેઠ દેવકરણ મુળજી સખાવત ફંડના ટ્રસ્ટીઓએ, તેમજ પાટણ જન મંડળ અને શેઠ પ્રેમચંદ રાય- ચંદના પુએ એ દિશામાં શુભ શરૂઆત કરી છે.' ''' શેઠ દેવકરણુ મુળજી ટ્રસ્ટ ફંડના ટ્રસ્ટીઓએ સારાં મકાન ભાડે લઈ ઓછા ભાડામાં જૈન કુટુંબો વસાવવા પાછળ રૂા. ચાર લાખના વ્યાજની રકમ જેટલી નુકસાની ખમવા માટે હરાવ કર્યો છે. અને એ ઠરાવ અનુસાર, તેઓએ ચાલીએ અથવા
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy