________________
તા. ૩૧-૩-૪
પ્રબુદ્ધ જૈન
આઈ કમીબાઈ ટ્રસ્ટ
તમામ
હંસરાજ મારારજી પબ્લીક સ્કુલના મકાનનું ખાતમુહૂર્ત અધેરી ખાતે સરદાર વલ્લભભાઇ પટેલે થેાડા વખત પહેલાં કરેલું. આ સ્કુલ બાઇ કીબાઇ અને હંસરાજ મારારજી ચેરીટી ટ્રસ્ટમાંથી ઉભી કરવામાં આવી છે. આ ટ્રસ્ટના ઇતિહાસ બહુ ધક છે. ઉપરના જણાવેલ ખાતમુર્તીના પ્રસંગે ટ્રસ્ટી મંડળ તરફથી દિવાન બહાદુર કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરીએ ટ્રસ્ટનો ઇતિહાસ રજ્જુ કરતાં જણાવેલું કે “સ્વર્ગસ્થ શું હંસરાજ મેરારજી જ્ઞાતિએ કચ્છી ભાટિયા હતા. તેમણે મુંબાઇ તથા કલકત્તામાં જ્યુટ તથા તથા ડ્રેસિયનના વ્યાપારમાં લાખો રૂપીઆ પેદા કર્યા હતા. એમનું અવસાન ઇ. સ. ૧૯૧૪ માં થયું હતું. એમણે એક વિલ કરી પેાતાની મીલ્કત પોતાનાં ધર્મપત્ની સ્વ. આઇ કીઆઇને બક્ષીસ આપી હતી. સ્વ. ભાઇ કીબાઈ છે. સ. ૧૯૨૨ ના ફેબ્રુઆરી માસમાં ગુજરી ગયાં. એમણે પોતાના મરણ પહેલાં ઘણે વખત વિચાર કર્યો કે મારે શું કરવું? પતિના વંશ કાયમ રાખવા માટે એક પુત્ર દત્તક લેવા કે મીલ્કત ધર્માંદામાં આપવી ? દત્તક પુત્ર તથા ધર્માદા એ બે વચ્ચે મનમાં સવિષમ થયા કરતું હતું. એમણે તેથી એ બાબત પર અમારા એક સહદ્રષ્ટી ભાઇ મુળજીભા જે કીબાઇના નજીકના સગા થાય છે તેમની સલાહ લીધી. ભાઇ મુળજીભાઇએ સમજાવ્યું કે દત્તક લેવામાં પુત્ર કેવા નીકળે, તેની કાને ખબર છે? વળી લાખા રૂપીઆની મીલ્કત મળવાથી તેના કદાચ દુરૂપયોગ થવાનો સંભવ રહે. તેના કરતાં આખી રકમ ધર્માદામાં આપવાથી કુટુંબનું નામ અમર થશે. માટે ધર્માદા માટે ટ્રસ્ટ કરવુ એજ ઉત્તમ માર્ગ છે. ભાઇ શ્રીબા ની પણ કેળવણી આગળ વધારવાની તથા ગરીબોને માટે ટૌધકીય મદદ આપવા અર્થે મીલ્કત ધર્માદા કરવાની ઘણી ઇચ્છા હતી. પેાતાના ડેા. જહાંગીરજીની સલાહ લેતાં તે પણ શેડ મુળભાના તથા બાઇ બીબાઇના મતને મળતા થયા અને એ બેની સુચના તથા પ્રેરણાથી બાઇકીબાઈએ વિલ કર્યું જેમાં એમણે પોતાના પતિ તરફથી મળેલી તમામ મીલ્કત તથા પોતાના પિતા સ્વ. શેઠ કલ્યાણજી લધા તરફથી મળેલી તમા મીલ્કત— જે અન્યને મળીને લગભગ પચ્ચીશ લાખ રૂપીઆની થતી હતી તે- ધર્માદા આપી. એક અશિક્ષિત ગણાતી બાઇએ પણ ૬-તક પુત્ર લેવાથી નામ અમર થાય તે કરતાંધર્માદામાં મીલ્કત આપવાથી નામ વધારે અબર થાય છે એમ માન્યું તે માટે તેમને અભિનંદન ઘટે છે. બાઇ કબીબાઇની ઇચ્છા હતી તે પ્રમાણે એમણે સીલ્કતના મોટા ભાગ કેળવણી તથા વૈદ્યકીય મદ જેવાં ઉત્તમ કાર્યોમાં ઉપયોગ કરવા પોતે પેાતાના ટ્રસ્ટીઓને ફરમાવ્યું અને તેને પરિણામે ખાઇ કીબાઈ ટ્રસ્ટ અસ્તિત્વમાં આવ્યું આ. ટ્રસ્ટનો અમલ થવામાં ફૅટલાંક વિધ્રો આવ્યાં. વચગાળે કોર્ટના ઝગડા શરૂ થયા. ઇ. સ. ૧૯૭૦ માં કાર્ટ નવું ટ્રસ્ટીમંડળ નીમી આપ્યું અને ટ્રસ્ટના વહીવટ માટે એક યોજના નકી કરી આપી. આ સ્કીમથી નન્નુર થયેલી આ સંસ્થા આજે ચાલી રહી છે. એ દવાખાનાં, એક, હાઇસ્કુલ, એક આરગ્યજીવન અથવા તે સસ્તા ભાડાની ચાલ, એક છાત્રાલય, એક અન્નક્ષેત્ર અને એ ધર્મશાળા. આ ઉપરાંત ઇંગ્લેંડની પબ્લીક સ્કુલના ધેારણે અંધેરીમાં કેટલાક વખતથી ‘હંસરાજ મારારજી પબ્લીક સ્કુલ શરૂ કરવામાં આવી છે. આ સ્કુલનાં મકાનો આંધવા માટે અંધેરી અને વરસેવા વચ્ચે ૧૩૦ એકર જેટલી
७
વિશાળ જમીન ટ્રસ્ટીએ મેળવી શકયા છે અને તે જમીન ઊપર મકાનો બાંધવા માટે રૂા. ૪૬૨૦૦૦] ની રકમ હાઈકોર્ટ મંજુર કરી છે. એક અશિક્ષિત બહેનની સત્તિ અને શુભ ભાવનાનુ કેવુ સુંદર અને ભવ્ય પરિણામ ! હુંસરાજ મેારારજી પબ્લીક સ્કુલ,
ઉપર જણાવ્યું તેમ ખાઇ કબીબાઈ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તરફથી અંધેરી ખાતે કેટલાક સમય પહેલાં ‘ હંસરાજ મેારારજી પબ્લીક સ્કુલ ’ નામની એક અંગ્રેજી હાઈ સ્કુલ શરૂ કરવામાં આવી છે. આ સ્કુલ હાલ ભાડાના મકાનમાં બેસે છે પણ આ સ્કુલને પેાતાનાં જરૂરી મકાનો તેમજ ક્રીડાંગણા માટે અંધેરી વરસાવા રોડની બાજુએ કેંગ્રેસ ગવર્મેન્ટ ચાલતી હતી તે દરમિયાન નામના જ ભાવમાં સો એકર લગભગ જમીન મળી છે, જ્યાં નવાં મકાનોને પાયા નાંખવાની ક્રિયા હજુ થોડા સમય પહેલાંજ સરદાર વલ્લભભાઈ પટેલના હાથે કરવામાં આવી હતી. આ સ્કુલની અંદર ૯ થી ૧૮ વર્ષ સુધીના વિદ્યાર્થીઓને ભણુવાની સગવડ છે. અંગ્રેજી પહેલાં ધોરણથી અહિં અભ્યાસ શરૂ કરાવવામાં આવે છે અને મેટ્રીક સુધી ભણાવીને જેને આગળ અભ્યાસ માટે પરદેશ જવુ હોય તેને સીનીયર કેમ્બ્રીજ કે લંડન મેટ્રીકની પરીક્ષા માટે તૈયાર કરવાની યોજના કરવામાં આવી છે. આ સ્કુલના હોસ્ટેલમાં ભણતા વિધાર્થીએજ આ સ્કુલમાં ભણી શકે છે. બહારના વિદ્યાર્થીઓને અહિં દાખલ કરવામાં આવતા નથી. આ સ્કુલમાં દાખલ થનાર વિદ્યાર્થીએ વાર્ષિક રૂા. ૬૦ જી એટલે માસિક રૂા. ૫૦) ની ી આપવી પડે છે અને તેમાં તેના રહેવા ખાવા તેમજ ભણવા વગેરે સ ખર્ચના સમાવેશ થાય છે. સામાન્ય નિશાળા કરતાં અભ્યાસક્રમ, શિક્ષણ પદ્ધતિ તેમજ ધ્યેયની અંગે. આ સ્કુલમાં અનેક વિશિષ્ટતાઓ છે જેનુ નિરૂપણું સ્થળ સાથના અભાવે અહિં અશકય છે. આ સ્કુલની કલ્પના વિલાયતની કેટલીક સારી સ્થિતિનાં બાળકોને ભણવાની પબ્લીક સ્કુલો ઉપરથી અથવા તો શ્રીમન્તા, જમીનદારો તેમજ ઉચ્ચાધિકારીએઞના બાળકોને ભણવા માટે દહેરાદુન ખાતે ખાસ ઉભી કરવામાં આવેલી ‘ડુન સ્કુલ’ ઉપરથી કરવામાં આવી છે. ફરક માત્ર એટલો કે આ સ્કુલના સંચાલકો તેમજ પ્રયાકા તેમજ ધ્યેયઘટના એવા પ્રકારનાં છે કે આ સ્કુલનું વાતાવરણ ભારતીય સંસ્કૃતિવાળુ રહેશે એમ આપણે નિઃશકપણે કહી શકીએ. પ્રશ્ન એટલા જ વિચારવા જેવા રહે છે કે આવી અતિશય ખરચાળ અને સારી સ્થિતિનાજ મા-બાપાનાં બાળકો લાબ લઇ શકે તેવી સ્કુલ પાછળ કોઇ પણ ચેરીટી ટ્રસ્ટના પૈસા ખરચાય તે વ્યાજની ગણાય કે નહિ ? અલબત મુંબઇની હાઈકોર્ટે આ સ્કુલની યાજના બમ્બુર કરેલી છે અને તેથી આ સ્કુલના ક્રાયદેસરપણા સામે કાઇ પ્રશ્ન ઉઠાવી શકે તેમ નથી. વળી આવી સ્કુલની ઉપયોગિતા કે આવશ્યકતાને પણ આપણે જરૂર સ્વીકારીએ પણ બીજી રીતે વિચારતાં આપણુને એમ લાગ્યા વિના નહિ રહે કે અમાપ દાક્રિયવાળા આપણા દેશમાં ધનસપન્ન નહિ એવા માબાપાના બાળકને વ્યાપક અને સંગીન કેળવણી આપવાને લગતી કોઇ ચેોજના પાછળ આવડા મેટા ટ્રસ્ટની રકમ ખરચવાની ગેડવણુ કરવામાં આવી હત તે સદ્ગત કીબાઇની શુભ અને અનુકરણુયોગ્ય ભાવના વધારે સાર્થક અને કૃમિન્ત અનત પાનદ