SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૯-૨-૪૦ જે રૂપ આપે અને જે સ્થિતિમાં રાખે તે સ્વીકારવું જ પડશે. આમાં આશ્ચર્ય શું ? ઉનાળાના દિવસોમાં લેકે મૂર્તિને પંખે કરે છે. શિયાળામાં પરમાત્માને રજાઈ ઓઢવી પડે છે, ચોમાસામાં સળેખમ થતાં દૂધની સાથે હું પણ ખાવી પડે છે ! આરતી વિધિ તે ભગવાન અને ભક્ત વચ્ચેની છે. મંદિરના આ ઉપગને સામાજિક કહી શકાય, પણ જ્યારે મા સંસ્થાપકના અનુયાયીઓ વધી જાય છે ત્યારે મંદિરમાં જઈ પૂજા કરવાનો, દર્શન કરવાને, પ્રસાદ લેવાને બધાને હક થઈ પડે છે. જેને આપણે પિતાના ગણીએ છીએ તેમને મંદિરમાં લઈ જઈએ છીએ અને દર્શન પ્રસાદના ભાગી બનાવીએ છીએ. સાથે સાથે આવા સ્થળે જેમ આપણે મૂર્તિના દર્શન વડે કૃતાર્થ થઈએ છીએ તેમ સાધકોની ભક્તિપૂર્ણ આંખો જોઈને પણ આપણે કૃતાર્થ થઈએ છીએ. આ તે કર્મકાંડ અને ઉપાસનાકાંડની વાત થઈ. સાધુ સંતાએ મદિરની ઉપયોગિતા તેથીએ આગળ વધારી. મંદિરને ધર્મોપદેશ અને ભકિતપ્રચારનાં ધામ બનાવ્યાં અને આ રીતે મંદિરને સામાજિક જીવનના કેન્દ્રનું રૂપ આપ્યું. તેની મીમાંસા પણ આજે આપણે જાણવી જોઇએ. આપણું મંદિર [ આ લેખ કાકાસાહેબ કાલેલકરે મૂળ હિન્દીમાં લખેલે અને તેને ન અનુવાદ શ્રી જેઠાલાલ જોશી એ કરેલ જે “નવરચના' માસિકમાં પ્રગટ થયેલે. પ્રસ્તુત લેખ કાકાસાહેબે જૈનેતર હિંદુ મંદિરને ખાસ ધ્યાનમાં રાખીને લખેલે હોઈને તેમાં જણાવેલી કેટલીક બાબતે જૈન મંદિરોને લાગુ પડતી નથી એમ છતાં પણ અનેક મંદિરનો વહીવટ કરનાર જૈન સમાજને પણ આ લેખમાંથી ઘણુ નવા-વિચારવા જેવું મળે તેમ છે એમ લાગવાથી એ આ લેખ ઉદ્ધત કરી અહિ પ્રગટ કરવામાં આવે છે.] મંદિરની સંસ્થા ઘણી જૂની છે. વૈદિક કાળમાં કદાચ મૃતિ પૂજા ન હતી. મહાભારત કાળમાં પણ નહિ હોય. મંદિરમાં જઈ પરમાત્માની ઉપાસના કરવાની પ્રથા કદાચ આપણે બૌદ્ધ સંપ્રદાય પાસેથી શીખ્યા હોઈશું. સંભવ છે કે બાલ્પિક '(Balhik) દેશમાંથી આવી વસેલા રામને અથવા યવને પાસેથી આપણે એ લીધી હોય. ઈતિહાસ-સંશોધકે આ પ્રશ્નને નિર્ણય ગમે ત્યારે કરે, પણ આટલું તે નિર્વિવાદ છે કે હિંદુઓના સામાજિક જીવનમાં મંદિરને મહત્વનું સ્થાન પ્રાપ્ત થયું છે. માણસને મંદિરની કલ્પના કઈ રીતે થઈ હશે ? કોઈ ભકતે અથવા સાધકે હૃદયને ઉનત કરનારું કોઈ સ્થળ પસંદ કરી ત્યાં પિતાના ધ્યાન અને ભકિત માટે કંઈ આલંબન પસંદ કર્યું હશે અથવા રાખ્યું હશે. ત્યાં તેને તેની શ્રદ્ધા પ્રમાણે અથવા ઈશ્વરના અનુગ્રહ પ્રમાણે ધર્મ પ્રાપ્તિ અથવા કામનાસિદ્ધિ થઇ હશે. લોકેને તેની ખબર પડી. પછી તે પૂછવું જ શું? જેમ કે વૈધના હાથગુણુની ખ્યાતિ થતાં જ બધા દર્દીઓ તેની પાસે દોડતાં આવે છે તેમ કોઈ મંદિરની “જાગતા થાનકીના નામે ખ્યાતિ થતાં જ બધા આતં લોકે તે જ સ્થાન પ્રત્યે દેડનાં આવે છે. અને પિતાના ભક્તિભાવથી તેને ભરી દે છે. જ્યારે સાચા હૃદયનું એકાગ્ર સમર્પણ નથી થઈ શકતું ત્યારે માણસ શું કરે ? તેણે હૃદયની અવેજીમાં પિતાની સંપત્તિનું જ સમર્પણ કરવું રહ્યું. રાજા પાસે જ્યારે અરજી લઈને જવું હોય છે ત્યારે ખાલી હાથે આપણે નથી જઈ શકતા. રાજા તે રોજને ભૂખે જ છે. તેને તૃપ્ત કર્યા પછી જ તે પ્રાર્થના સાંભળે છે. સંસ્કૃતમાં રાજાને અને પરમાત્માને ઈશ્વર જ કહે છે. ત્યારે પરમાત્માને પણ એ જ અભાવ હવે જોઈએ. રાજા જે વાતેથી સતપાય છે તે જ વસ્તુઓ ઇશ્વરને પણ અર્પણ કરવી જોઈએ. રાજા ભવ્ય મંદિરમાં રહે છે. ભાટ-ચારણે સવારે બિરૂદ ગાઈ તેને જગાડે છે. બેગ-વિલાસની સામગ્રી તેની ચારે બાજુએ હંમેશાં તૈયાર હોય છે. પાલખી જેવા સુખકર વાહનમાં બેસી તે સહેલ કરે છે. તેને રોજને ખોરાક મિષ્ટાન્ન છે. પત્ર- પુષ્પ- કુળ, ધૂપ- દીપ, પંચામૃત- આ બધી તેની દરરોજની જરૂરિયાત છે. આ જ વસ્તુઓ વડે દેવ- તાને સતાવવા જોઈએ. ખરેખર માણસની કલ્પના જેટલે સુધી પહોંચી શકે ત્યાં સુધી તે દયાળુ પરમાત્માએ નીચે ઉતરવું જ જોઈએ. જે કલ્પના આપણને તેણે આપી નથી તેમાં આપણો શો વાંક ? આ પ્રમાણે કદાચ મૂર્તિની ષોડશે પચાર પૂજા કરવા માટે જ મંદિર નિર્માણ કરવામાં આવ્યા હશે. બુધ્ધ અને મહાવીર જેવી વિરકત વિભૂતિઓનાં મંદિરમાં ભેગ વિલાસને સ્થાન ન હોવું જોઈએ. સ્મશાનવાસી યોગીરાજ મહાદેવના મંદિરમાં પણ વૈભવને સ્થાન ન હોવું જોઈએ. પણ બિચારા ભગવાન તો ભક્તને આધીન હોય છે. જ્યારે મહાત્માઓને પણ લોઢાની ભક્તિથી હેરાન થવું પડે છે. તે પછી પરમાત્માને તે ભક્ત કર્મકાંડી લોકો પૂજા કરે છે ત્યારે એકલાં જ કરે છે; જ્યારે ઘણાં માણસે એકઠાં મળી કર્મકાંડી પૂજા કરે છે ત્યારે ઘણી અગવડ પડે છે. પૂજાવિધિની જટિલતાની તે એક મુશ્કેલી છે જ. કર્મકાંડીઓ ઘણે ભાગે સકામ પૂજા કરે છે. દરેકની કામના જુદી હોવાથી સામુદાયિક પૂજા કરવી મુશ્કેલ થઈ પડે છે, મેટા મેટા હોમ-યો, ઈષ્ટિ અને સમારાધનામાં સામુદાયિક વિધિ જરૂર પળાય છે, પણ હવે તેના દિવસે ચાલ્યા ગયા છે, કાશીવિશ્વનાથના મંદિરમાં જુઓ. એક ભક્ત આવે છે, પૂજા કરે છે, અભિષેક કરી ફળ બિલ્લીપત્ર ચઢાવી જાય છે. તે મંદિરની બહાર નીકળે છે તે પહેલાં જ બીજો ભક્ત આવે છે; પહેલાંની પૂજા ફેંકી દે છે અને નવો અભિષેક અથવા પત્ર-પુષ્પ અર્પણ કરે છે. તેની પૂજાની પણ તેજ દશા થાય છે, જે પડેલી પૂજાતી એણે કરી હતી. સવારથી બપ? સુધી આ જ ચાલુ રહે છે. લેણ દળવાની ઘંટીએ એક આવે છે, પિતાનો લેટ દળાવી લે છે. પછી બીજે આવે છે તે પણ તેમજ કરે છે. દરેકનો ઘટી જોડે સંબંધ છે, પણ દળાવનારાઓમાં પરસ્પર કંઈ સંબંધ હોતા નથી. આદર બુદ્ધિની મંદતાની કમનસીબ પળે મનમાં વિચાર આવ્યું કે હાલમાં એક માણસ ટેબલ ઉપર . ચા પી ચાલ્યા જાય છે. પછી ટેબલ સાફ કરવામાં આવે છે, બીજા લે કે ત્યાંજ આવી ફરી ચા-કોફી પીએ છે, ફરીથી ટેબલ સાફ કરવામાં આવે છે. પાછા નવા ભકતે આવે છે, શું આજ દશા મંદિરોની નથી ? પણ મનને ધમકાવી સમ્જાવ્યું કે આ પ્રમાણે વિચાર કર અગ્ય છે. ભગવાન તે નિરપેક્ષ છે. ભકતના સંતાપ ખાતર બધી જાતની વિટંબણા પુત્ર જાગી ચરણ કરી શકે છે. પરમાત્માએ પોતે કહ્યું નથી ? “જે કથા માં પ્રારને તાંતવિ મનrળ ' | vá gધું છું તો જો સત્તા પ્રથતિ ! तदहं भक्त्युपहृतं अश्नामि प्रयतात्मनः' ॥ વગેરે. ભગવાનને ઉપહાસ કરવો વાજબી ન કહેવાય. શરમને લીધે મન દબાઈ ગયું; તે પણ ધીમે અવાજે કહેવા લાગ્યું. આપણે ભગવાનને ઉપહાસ કયાં કરીએ છીએ ? આપણે તે સકામ પૂજા
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy