SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ પ્રબુધ્ધ જૈન કેટલાક સમાચાર અને નોંધ. સત્યાગ્રહીઓની ધરપકડ અને શિક્ષા. આજકાલના છાપાના સમાચારવિભાગ મોટા ભાગે આ ખારા આપવામાંજ રોકાય છે. મુંબઇના રાષ્ટ્રીય મહાસભાના ધણા ખરા આગેવાને પકડાઇ ગયા છે. મુંબઇ સરકારની પદ્ધતિ જુદા જ પ્રકારની છે. જે કાઇ સત્યાગ્રહ કરવાની નોટીસ આપે છે તેને સવારના વહેલાં પકડી જવામાં આવે છે અને તેના ઉપર કશું પણ કામ ચલાવવાને બદલે હિંદી રક્ષા કાનુનની ચેકસ કલમ નીચે તેમને અટકમાં લઇ જવામાં આવે છે. આ રીતે શ્રી ભુલાભાઇ દેસાઇ, સરેાજીની નાડુ, નગીનદાસ માસ્તર, એસ. કે. પાટીલ, ભવાનજી અરજણ ખીમજી, કનૈયાલાલ માણેકલાલ મુનશી, હંસા મહેતા, મંગળદાસ પકવાસા, ઝીણાભાઇ જોશી, ડૉ. ગીલ્ડર, લીલાવતી મુનશી, મણિલાલ જેમલ શેઠ વિગેરે અનેક જાણીતા રાષ્ટ્રીય મહાસભાના કાર્ય કરે આજે કાં તેા યરવડા જેલમાં અથવા નાસીક જેલમાં પરહેજ થઇ રહ્યા છે. પંજાબના એક નામે ચલાવવાની વૃત્તિ વેગ કરી બેસે એવુ આ પ્રકારની પ્રવૃત્તિએમાં ભારે જોખમ રહેલુ છે. દરેક કામને કેટલાક અંગત પ્રશ્નો હોય જ છે અને તેના ઉકેલ માટે આવાં કેામી સંમેલનેાની ચોકકસ ઉપયોગીતા છે. પણ એ પ્રશ્નો બાદ કરતાં રાષ્ટ્રીય ભાવનાની દૃષ્ટિએ–સ્વરાજ સાધનાની દૃષ્ટિએ આજે આપણા અંગત તેમ જ સામાજિક ધ્વનમાં જે મહત્વના ફેરફાર કરવાની ખાસ જરૂર ઉભી થઇ છે તે ફેરફારો પોતાતાના વર્તુલમાં કેવી રીતે નિપજાવવા એ ધ્યેય ઉપર જ અચુક ધ્યાન રાખીને આવાં કામી સમેલને ચલાવવાં જોએ અને તે જ આવાં ક્રેમી સંમેલને રાષ્ટ્રક્લ્યાણુના સાચા પૂરક બની શકે. આ ઉપર જણાવેલું તેખમ અને અન્તિમ ધ્યેયને કામી સ ંમેલનના કાર્યકર્તાઓએ હરપળે ધ્યાન ઉપર રાખવા ઘટે છે. જે કામી સંસ્થા આ બાબતની ઉપેક્ષા કરશે તે સંસ્થા પરિણામે દેશની ભારે દ્રોહી બનવાની જ છે. આજની મેસ્લેમ લીગ આ કથનનો મોટામાં મોટા પુરાવા છે. તા. ૧૫-૧૨-૪૬ સત્યાગ્રહીના રૂા. ૬, ૦૦૦] દંડ કરવામાં આવ્યા છે તે અન્ય સત્યાગ્રહીને એક આનાના દંડ ફરમાવવામાં આવ્યો છે. અન્ય પ્રાન્તના ઘણા ખરા મુખ્ય માણસે આજે જેલવાસી બની ગયા છે અને બાકી રહેલા પણ આ પંદર દિવસમાં એ જ માગે જવા માટે તૈયાર થઇને ખેડા છે. શ્રી. શાન્તિલાલ શાહને સજા જૈન સમાજના એક વિભાગની કાન્ફરન્સના અધિવેશનની આટલી લાંબી સમાલોચના શા માટે એમ જરૂર કેઇને પ્રશ્ન થશે; પણ જે આજની વસ્તુસ્થિતિ વિચારશે તેને લાગ્યા વિના નહિ રહે કે આપણુ જીવન હજુ અનેક પ્રકારની વિભાગી પ્રવૃતિ સાથે સંકળાયલુ છે. વળી વિશાળ દૃષ્ટિવાળા કાર્યકર્તાઓ આવી વિભાગી અને કેમી પ્રવૃત્તિઓમાંથી પણ સાર્વર્ઝાનક ઉત્કર્ષને પોષક અનેક ઇષ્ટ પરિણામે નિપજાવી શકે તેમ છે. આવા ખ્યાલથી આટલું લાંબુ વિવરણ કરવું યોગ્ય ધાર્યું છે. નિંગાળા ખાતે ભરાતુ સ ંમેલન આજ સુધીમાં ભરાયેલાં કામી અને સાંપ્રદાયિક સંમેલનોથી જુદી ભાત પાડે અને પ્રસુપ્ત જૈન સમાજને જાગૃત કરે તથા સાચી દોરવણી આપે એવી આપણે સૌ શુભેચ્છા અને આશા ચિન્હવીએ, પરમાનદ શ્રી. શાન્તિલાલ હરજ્જન શાહને તા. ૪-૧૨-૪૦ ના રાજ નવ માસની સજા ફરમાવવામાં આવી છે. શાન્તિલાલ શાહ મુ ંબ જૈન યુવક સંઘના એક સભ્ય છે. તેઓ મુંબઇની ધારાસભાના પાર્લામેન્ટરી બોર્ડના સેક્રેટરી હતા અને જન્મભૂમિ અને પ્રવાસી જેના હસ્તક ચાલે છે તે પીપલ સ્ટેટ્સ લીમીટેડના મેનેજીંગ ડીરેકટર હતા. સેવાપરાયણતા અને નમ્રતા, નિરભિમાનીપણું અને પ્રસન્નતા, વ્યવહારદક્ષતા અને સમયસૂચકતા—આવા તેમના વિશિષ્ટ ગુણાને લીધે અનેક કાર્યકર્તાઓમાં તેમનુ સ્થાન આજે અજોડ ન્યુ છે. તેમને જેલવાસ સ્વીકારવા બદલ અનેક અભિનન્દન ઘટે છે. શ્રી. મણિલાલ જેમલ શેતે શુભ વિદાય શાન્તિલાલ શાહ તા. ૪-૧૨-૪૦ નારાજ શ્રી. મુંબઇ ન યુવક સંઘના આશ્રય નીચે શ્રી મણિલાલ જેમલ શેને સત્યાગ્રહ કરીને જેલ જવાના પ્રસંગે શુભ વિદાય આપવા માટે સધની કચેરીમાં એક જાહેર સભા ખેલાવવામાં આવી હતી અને તેમનુ યોગ્ય સન્માન કરવામાં આવ્યું હતું. તેમને પણ સરકાર ખીજે દિવસે સવારે મળસ્કામાં ઉપાડી ગઇ અને કશું કામ ચલાવ્યા સિવાય તેમને નાસીક જેલમાં પુરી દીધા. શ્રી મણિલાલ જેમા શેઠ એટલે એક સાચે-સેવક. તદન સાધારણ સ્થિતિના અને બહુ જ સામાન્ય ભણતર પામેલામાત્ર સેવાની તપસ્યા વડે જ ઉંચે આવ્યા અને આટલી ખ્યાતિ પામ્યા. તેમની ધગશ તેમની તમન્ના-આજે કયાંય જોવા નહિ મળે તેમતે હસવાની કે આનંદ કરવાની કદિ પુરસદ જ ન હાય. અખંડ કામ કરવાની જ તેમને ધુન, એ કામ કામનું હોય કે રાષ્ટ્રનું હોય, જેન સ્વયંસેવક મંડળનું હોય કે ગુમાસ્તા પરિષદનુ હાય. તે પણ જૈન યુવક સંઘના સભ્ય છે અને વચગાળે સંઘના મંત્રી હતા. નિંગાળ અધિવેશનનું કામ તેમણે જ માથે ઉપાડયું હતુ અને આજે તે જેલમાં જાય છે છતાં એવી રચના કરી ગયા છે કે અધિવેશન ભરવામાં જરા પણ અડચણ આવે તેમ નથી. તેમને પણ આ મંગળ પ્રસંગે સૌ કોઇનાં અભિનન્દન ઘટે છે. લેડ લેાધીયનનુ' અકાળ અવસાન ગ્રેટ બ્રીટનના અમેરિકા ખાતાના પ્રતિનિબંધલાર્ડ લાધીયનના અવસાન સમાચાર ગ્લાનિ ઉપજાવે છે. તે એક સમર્થ રાજ કારણી પુરૂષ હતા અને આ વિગ્રહના સમયમાં અમેરિકાને એટલે કે યુનાઇટેડ સ્ટેટસને અંગ્રેજો પ્રત્યે એકસરખું અનુકુળ બનાવવાનું ભગીરથ કાર્ય તેમની જ કુશળતાને આભારી હતું. ગ્રેટ બ્રીટને એક મોટા 'રાજસેવક ગુમાવ્યા છે. તેની ખેાટ જદ્ધિથી પુરાવી મુશ્કેલ છે. પ્રેમાનંદ મણીલાલ જે. શેડ.
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy