________________
તા. ૧૫-૧૨-૪૦
પ્રબુદ્ધ જૈન
૧૫૧
વિચાર કર્યે રાખે તેમાં શું વળે? આખરે તે જાન આપ્યા વિના કયું કાર્ય સરી શકે એમ છે? ને માત્ર વિચાર કર્યાથી શું વળે?
પણ ......પણ આ આવી રીતે આવી મેધામલી લાખે જંદગીઓ વેડફી નખાય ? જાણે હા પાડતું હોય તેમ એક સૈનિક દારૂની બાટલી મેએ લગાવી જેનારની સામે આંખમીંચકારતે તે તેના ઉપર મારી નજર પડી.
આ લોકે આ પળમાં જ જીવે છે-આ પળ માટે જ જીવે છે. મને વિચાર આવ્યો. “તું અને તારા આદર્શો, તારી દુનિયા અને તારી આવતી કાલ મને એ બધાની શી પડી છે? મારે માટે તે આજ જ સત્ય છે, આજ જ પરમ સૌદર્ય છે, આજે મારી પાસે શરાબ છે, સુંદરી છે, યૌવન છે, યૌવનની મસ્તી છે. બીજું શું જોઈએ ? તમે તમારે વિચાર કર્યા કરે, અમે તે આ માણી જિંદગાની.” આવા કૈક વિચારે એના મગજમાં નહિ રમતા હોય ?
સાચું કેણુ? એ કે હું વિચારેને અંત નહોતે આવતે. બધા જે આજના જ વિચાર કરે, પળમાં જ અને પળ માટે જ જીવે તે જગત કયાં જઈને ઉભું રહે? ગમે તે હેય, હું ભલે સાચો ન હોઉં તો યે એ તો સાચા નહેતા જ.
છતાં–છતાં ત્યાંથી ચાલી જતાં મનને થયું કે આની આ લાપરવાહી અને બેફિકરાઈને અંશ પણ મારામાં અને મારા જેવા અનેક હિંદુસ્તાનીઓમાં હોય તે એ શું ઇચ્છવાયેગ્ય
ગુલાબદાસ બ્રોકર.
સાચું કોણ? બે એક મહિના પહેલાંની જ વાત છે. આ રસ્તે યુ- " પિયન સૈનિકોનાં ટોળાં ને ટોળાં ઉભરાતાં હતાં. કાદ ગાડીમાં, કિઈ ટેક્સીમાં, કોઈ બસમાં-બાકી રસ્તા ઉપર તે સેંકડે સૈનિકે
જ્યાં જુઓ ત્યાં નજરે પડતા હતા. જાણે કે મહાન ઉત્સવ ઉજવતા હોય તેવી આનંદની લહરિ તેમાંના દરેકેદરેકના ચહેરા ઉપર તરવરતી દેખાઈ આવતી હતી. તેની પાછળ કદાચ કોઈ કઈ જગ્યાએ મૃત્યુ વિષાદે ય છુપાઈ રહ્યો હશે–ણ જાણે ? પણ તેને જોઈ લેવાની નહોતી જેનારને ફુરસદ, નહોતી એ બતાવવાની એમાંના એકે સંનિને પરવા.
વિચારોમાં દટાયેલો હું પ્રાર્થનાસમાજ આગળથી ચાલ્યા જતા હતા. મુંબઈ જેવાને આ સેનિટે ઉમટયા હતા અને તેમને જેવાને મુંબઈ આખુ ઉમટયું હતું તે કશાનું મને જ્ઞાન નહોતું. હું તે મારી ધૂનમાં ચાલ્યા જતા હતા. ત્યાં ઓચિંતા જ એ હાસ્યમાં જ જીવન સર્વસ્વ ભર્યું હોય એવું એક હાસ્ય સંભળાયું. મેં ચમકીને ઊંચે જોયું, આજુબાજુ જોયું અને ત્યારે જ મને એ સનિકોનાં ટેળાં અને એમને આનંદ, ન દેશ, નવે વેશ, નવાં લોકો જોતાં તેમની આંખોમાં ભરાયેલું કુતૂલભર્યું વિસ્મય અને તેમની લાપરવાહી અને ફનાગીરી જોતાં લોકોની આંખમાં ભરાયેલે વિસ્મયભર્યો ભય, બધું હું જોઈ શકે.
એક પળમાં હું મારા વિચારને ભૂલી ગયો, મારી નાની દુનિયા અને તેનાં શેકકારૂભય અનેકાનેક નાટકને ભૂલી ગયો. આ સનિકે, ભરી ભરી જુવાનીથી મસ્ત તેમના ચહેરા, નિશ્ચિત મોતના માર્ગે તેમને ઘસડી જનાર યુધ્ધ, એ યુદ્ધની પિકળ
ઘણુઓ, યુદ્ધપ્રણેતાઓની સ્વાર્થબાજી, સેનિટેની માતાઓ, બહેન, પ્રિયતમાઓ, હજારો અવનવીન વસ્તુઓથી અને વિચારેથી મારૂં ચિત્તતંત્ર પળવારમાં ભરાઈ ગયું.
કયાં કયાંથી આવતા હશે આ લોકો ? યુદ્ધમાં તે જાય છે પણ શા માટે આ યુધ્ધ લડાઈ હ્યું છે તેને કશો ખ્યાલ એ લોકોને હશે ? જે હોય તે એ બધી મેટી મટી વાતો પાછવળનાં દંભ એ લેકે દેખી નહિ શક્તા હોય ? જો ન હોય તે તે માત્ર પગાર માટે રેટી માટે જ જાન ધરી દેતા હશે દુશ્મનની સંગીને સામે. બોઓ સામે, ઝેરી વાયુઓ સામે? એ
બધું તે લીક, પેટ માટે તે હરહંમેશ લાખ લાખ માણસે પિતાને જાન વેડફી નાખે છે; પણ આ લોકો માત્ર પેટ માટે જ બીજાઓની કતલ કરવા પણું નીકળ્યા હશે ? માણસ માણસને મારે, વધારે ઉત્સાહથી, વધારે નિર્દયતાથી, વધારે સફાઈથી, એટલા ખાતર આ લોકોને માનચાંદ મળતા હશે? એમની વાહ.. વાહ થતી હશે ? એમને વીર પુરૂષે ગણવામાં આવતા હશે?
કોઈ આદર્શ માટે માણસ મરે એ પણ સમજાય, મારે એ પણ સમજાય. પણ આ યુદ્ધમાં તે કયે એવો આદર્શ હતા? જે કે દંભ આદર્શના બહાના નીચે શરૂ શરૂમાં સેવા હતા એ પણ હવે તે ઉઘાડે પડી ગયું હતું. છતાં હરહમેશ આ અને આના જેવા લાખ જુવાનીઆઓ શા માટે એવા યુદ્ધની પાછળ પિતાના અને પારકાઓના જીવનની હોળી કરવા નીકળી પડતા હશે ?
વિચાર મગજમાંથી ધસમસાટ કરતા હતા, ચારે બાજુથી મગજને ઘેરી લેતા હતા–નદીમાં પૂર આવે અને આજુબાજુના પ્રદેશને પણ ચારે બાજુથી તેનાં પાણી ઘેરી લે તેમ. ગમે એમ હતું પણ તેમનામાં જીવનને કુરબાન કરી દેવાની તે તાકાત હતી? તે યે કેટલામાં હોય છે? મારા જેવા અનેક માણસે માત્ર
શ્રી
અરવિંદ અને યુદ્ધ.
(હિંદી ‘સર્વોદય 'ના નબરના અંકમાં શ્રી. કિશોરલાલ મશરૂવાળાને “મહાત્માઓમેં મતભેદ ” નામે એક લેખ પ્રસિદ્ધ થયેલ છે. તેનું ગુજરાતી ભાષાંતર અમદાવાદના “ પ્રસ્તબધુ 'ના તા. ૨૪-૧૧-૪૭ ના અંકમાં છપાયું છે. મૂળ લેખ વાંચી એક મિત્રે કિશોરલાલભાઈને બે સવાલો પડ્યા હતા. ૧. શ્રી અરવિંદની લડાઈમાં મદદ કરવા પાછળ રહેલી વિચારસરણી શું હશે ? .૨, કૃષ્ણ, ભીષ્મ અને વિદુર મહાભારતના યુદ્ધમાં હતુદી જુદી રીતે વર્યા તેના ખુલાસે શું થઈ શકે ? આ સવાલના જ્વાબરૂપે લખાયેલે તેમને કાગળ તેમની સંમતિથી નીચે છાખે છે.તંત્રી.)
શ્રી. અરવિદે યુદ્ધમાં મદદ કરી તે માટે તેમના પ્રત્યેને આદર ઓછો થવા ન દેશે.
વાત એ છે કે જગતમાં પેગંબર અને જ્ઞાનીઓમાં હિંસા-અહિંસા વિષે એક જાતનો મતભેદ અસલથી જ ચાલી આવેલો છે. બુદ્ધ, મહાવીર, ગાંધી જેવા એકાંતિક અહિંસા સ્વીકારે છે, ધર્મ તે અહિંસા જ. નબળાઈને લીધે ભલે માણસ તેને પૂરો અમલ ન કરી શકે અને ઓછાવત્ત મર્યાદામાં હિંસાને યે આશ્રય લે, પણ તે હિંસાને ધર્મ ન બતાવાય.
બીજા જેમાં રામ, કૃષ્ણ, જરથોસ્તમહંમદ વગેરે કદાચ ગણાવી શકાય તેઓ માને છે કે દુષ્ટને દંડ દે તે પણ સારા મનુષ્યને મહત્વને ધર્મ છે. પાપીના નાશ માટે ભગવાન અવતાર લે છે એવું ગીતાવાકય છે. ત્યાં પાપીને વધ સજ્જનનું કર્તવ્ય માન્યું છે અને તે સંતના રક્ષણ જેટલું જ મહત્ત્વનું ગયું છે. આથી ઉપરના સર્વે પેગંબરનાં ચરિત્રમાં યુદ્ધોમાં ભાગ લીધાને ઉલ્લેખ છે. એટલે તેમની દૃષ્ટિએ અહિંસા-વૃત્તિ જેવી જ ન્યાય વૃત્તિ પણ મહત્ત્વને ગુણ છે અને જ્યાં ન્યાય માટે હિંસાનો આશ્રય અનિવાર્ય હોય ત્યાં તે કરવાને ધર્મ છે.