SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ પ્રભુધ જૈન બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને ઇશુનું શરણ એ ફ્રાન્સિસના મુખ્ય સિદ્ધાંતા હતા એટલે સંસારની દિવાલામાં જકડાયેલા રહેવાનું કે મેાજશેખમાં રાચવાનું તેને શાનુ ગમે ? ફ્રાન્સિસને પિતા દુનિયાદારી માણુસ હતા એટલે જગતના વ્યવહાર વિલાસમાં ફ્રાન્સિસ પૈસા વાપરે તે તેને પાલવે, પણ ગરિમાં દ્રવ્યને ‘ અપવ્યય ’ થાય તે તેનાથી કેમ સહન થઇ શકે ? અપવ્યય કયા અને સદુપયોગ કયો એ સમજવા જેટલી અથવા તેા સમજવા છતાં તેને વિરોધ નહિ કરવા જેટલી વિવેકબુદ્ધિ કે વ્યવહારદૃષ્ટિ તેનામાં ન હતી. આવા પ્રકારના દૃષ્ટિભેદના કારણે પિતા પુત્ર વચ્ચે અથડામણના પ્રસંગે અવારનવાર ઉભા થતા અને સમય જતાં આ પ્રસંગેા એટલા બધા વિષમ થતા ગયા કે છેવટે ફ્રાન્સિસને ગૃહત્યાગ કરવો પડયો. ફ્રાન્સિસના ગામમાં આવેલું સંત ડેમીઅલનુ દેવળ ખંડેર જેવું થઇ ગયું હતું. આ દેવળની મરામતનો આદેશ શુ તરફથી ફ્રાન્સિસને સંભળાયા. આ આદેશ એજ ફ્રાન્સિસના સન્યસ્તના પાયા. દેવળની મરામત માટે દ્રવ્ય તે જોઈએ અને દ્રવ્ય કર્યાંથી લાવવું એ એક પ્રશ્ન હતા. ક્રાન્સિસને પૂરે વિશ્વાસ હતા કે પિતા એક પાઈ પણુ આપે તેમ નથી, એટલે ફ્રાન્સિસે ઘરમાંથી ઘેાડી ચેરી કરી. દેવળના પાદરી ફ્રાન્સિસની સ્થિતિથી અજાણ ન હતા, એટલે બાપ દીકરાની તકરારવાળા પૈસા સ્વીકારવાની તેણે ના પાડી. ફ્રાન્સિસ આ પૈસાને શું કરે એટલે દેવળની બારીમાં એ પૈસા નાંખી તે ભાગી ગયા. શરૂઆતમાં ફ્રાન્સિસ પિતાના ભયથી સતાતા કરવા લાગ્યો પણ શુના દાસને આવું ડરપોકપશુ ન શોભે એમ સમજી તે ચિંથરેહાલ દશામાં પોતાને ઘેર ગયા. આવી દશા જોતાં જ તેના પિતા ચિડાયા અને તેને એક કોટડીમાં પૂરી દીધો. આ બધનમાંથી તેની માતાએ ધ્યા લાવી પિતાની ગેરહાજરીમાં છેડી મૂકયા. ફ્રાન્સિસ છૂટકારો પામતાં સીધા દેવળમાં જાડયા, બહારથી પાછા આવતાં ફ્રાન્સિસના પિતાએ જ્યારે બધી હકીકત જાણી ત્યારે તે બહુ જ ગુસ્સે થયા અને એ ગુસ્સામાં જ દેવળમાં જપ્ત પુત્રને ફરમાન કર્યું કે તેણે વતન છેાડી તરત જ ચાલ્યા જવું, ફ્રાન્સિસે હતાશ ન થતાં તરત જ જવાબ આપ્યો કે હું શુનો દાસ છું અને તેના સિવાય હું કોઈના હુકમ માનવાના નથી.’ પિતાએ આવા ઉધ્ધત જવાબની આશા રાખી ન હતી. તેમને ક્રેધ ખૂબ જ વધી ગયા અને કટાક્ષ કર્યો કે એક બાજુ પૈસા તફડાવવા અને બીજી આજુ ધર્મને આવા દાવા ! આ કટાક્ષથી ફ્રાન્સિસે બારીમાં પડેલા પૈસા પિતાને હવાલે કર્યો. પણ આ વસ્તુસ્થિતિ આટલેથી જ ન અટકી, ફ્રાન્સિસ વિરૂદ્ધ જાત જાતની ફરિયાદો પાદરી પાસે ચાલુ આવ્યા જ કરતી હતી એટલે પાદરીએ ફ્રાન્સિસને કહ્યું કે તારા પિતાની બધી મિલ્કત તું તેમને સોંપી દે. ફ્રાન્સિસે તરત જ આ કમાનને અમલ કર્યો અને પિતાની છેલ્લી મિલકત પેાતાનાં પહેરેલાં કપડાં –ઉતારી આપી દિગંબર થૈ જાહેર કર્યું કે આજથી ફ્રાન્સિસ શુના પુત્ર છે. આ દૃશ્યની પાદરી ઉપર ભારે છાપ પડી અને એ પાદરીએ જ તેને પહેરવાને વસ્ત્ર આપ્યાં. ફ્રાન્સિસને માર્ગ હવે સાક્ થઇ ગયા. તેની પ્રવૃત્તિને રૂધનાર કાઇ ન હતું એટલે દેવળની મરામતને પ્રશ્ન તે વિચારવા લાગ્યો. દેવળની મરામત માટે જોતાં સાધન અને સામગ્રી તેણે ભિક્ષાથી મેળવી લીધાં અને જાતમજુરીથી ભારે શ્રમ લઈ તેણે સત ડેમીઅલના ઋણું દેવળની તેમજ તેવાં જ ખીજા દેવળેાની ભરામત કરી. શુ તરફથી મળેલા આદેશનો અમલ પોતાથી થઇ શકયા એટલે ફ્રાન્સિસને શાન્તિ અને સતેજ થયે. તા. ૩૦-૧૧ ફ્રાન્સિસના નિષ્કામ સેવાજીવનમાંથી તેને સંધ ઉભા થયે.. તેની પાપકારી પ્રવૃત્તિઓએ એક ધનિક અિત્રને તેની ત આકર્ષ્યા. આ ધનિકે પેાતાની બધી મુડી ગરીઓમાં વહેંચી દીધી. એક પાદરી પણું પોતાની સત્તા છેોડી તેમની સાથે જોડાયા, ત્રણ જણાથી સંધની સ્થાપના થઇ. કોઇ પણ વસ્તુને પરિગ્રહ ન કરવો એ તેમનો મુખ્ય નિયમ હતા. અપરિગ્રહના વ્રતમાં સર્વસ્વ છે એવી તેમની માન્યતા હતી. પરિગ્રહ એજ દરેક પાપ અને પ્રપંચનુ મૂળ છે. પરિગ્રહી ભાણસના પુરૂષાર્થ જાણે અજાણે અવળા માર્ગે જ હોય છે; પરિગ્રહ જ રાગદ્વેષને પોષે છે તેમ જ દારૂણુમાં દારૂણ યુદ્ધને જન્મ આપે છે. પરિગ્રહ જ આસુરી સત્તાના પાયા છે એવી તેની દૃઢ માન્યતા હતી અને એટલા જ માટે તેણે બધા ગુણેાના સારરૂપ અપરિગ્રહને જીવનમાં અને પાછળથી સંઘના નિયમોમાં મુખ્ય સ્થાન આપ્યું હતું. અપરિગ્રહીને પ્રલાભના પાડી નથી શકતાં. અપરિગ્રહીને કોઇ પણ પ્રકારની મહેરબાની કે રક્ષણની અપેક્ષા રહેતી નથી. અપરિગ્રહીને જગતનુ કાઇ બંધન મૂંઝવી શકતુ નથી અને એટલે જ તે આત્મ કલ્યાણના પંથે સુગમતાથી આગળ ધપી શકે છે. આવી તેમની સમજણ હતી એટલે જ્યાં જ્યાં તેઓ જતા ત્યાં ત્યાં તે રાગીએની સેવા કરતા, ઇશુના રાજ્યની યાદ આપતા અને મજૂરી કરી પેટ પુરતી ભિક્ષા મેળવી લેતા. આવી સેવા અને પવિત્ર પ્રચારકાર્યથી ફ્રાન્સિસના સંધ વધતા ચાલ્યા. ખ્રિસ્તી ધર્મ અને સમાજ એ સમયે અસ્તવ્યસ્ત હતાં. આ બધું વ્યવસ્થિત કરવાના આશય ફ્રાન્સિસના સધનેા હતે. આ આશય પાર પાડવા માટે પ્રચાર કાર્યની ખાસ આવશ્યકતા હતી અને ધાર્મિક પ્રચાર કાર્ય પાપની સંમતિ વિના હાથ ધર્મ વામાં આવે તે અનેક પ્રકારની અગવડે ઉભી થાય. એ સમ યના કાર્ડીનલા શુના સિધ્ધાંતે ચુસ્ત રીતે પાળતા ન હતા એટલે પેાતાના રાજ્યથી અલગ સ્વતંત્ર રાજ્ય સ્થપાય અને તે પણ ઉચ્ચ કોટિનું તે તેમને ન રૂચે એ સ્વાભાવિક હતું. આખ છતાંયે અનેક પ્રકારની લીલા અને સમજાવટથી ફ્રાન્સિસે જોઇતી અનુમતિ મેળવી લીધી. પ્રચાર કાર્ય દરમિયાન પણ ફ્રાન્સિસ જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં ધર્માધિકારીઓને વિરોધ નહિ કરતાં તેમના તરફ માન અને વિનય દાખવતા. આથી કોઇ પણ વખતે તેમની વચ્ચે કડવાશ કે અથડામણુ થતી નહિ. પ્રથમ ઉલ્લેખ કરી ગયા તેમ બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને "શુનું શરણુ એ તેમના સંધના મુખ્ય નિયમ હતા. આ બંધા રણની મર્યાદામાં રહીને જ તે પેાતાનું કાર્ય કરતા હતા. નિકાને તેઓ કહેતા કે તમને સોંપવામાં આવેલું દ્રવ્ય એ તમારી સ્વતંત્ર માલેકીની નહિ પણ અનામત વસ્તુ છે અને તેથી તેના ઉપયોગ સ્વાર્થ માટે નહિ પણ પરમા માટે થા ઘટે. આત્મકલ્યાણના એ જ ખરે માર્ગ છે. સેવા, મજુરી અને મજુરી ન મળે તે ભિક્ષાથી પેટ ભરવુ એ તેમના ક્રમ હતા. કોઇ પણ પ્રકારની મજુરીમાં શરમ સમજવી નહિં અને પાપ કે ન્હાના મોટા ગુન્હાઓને જાહેર એકરાર કરવા આ તેમને આખર ધર્મ હતા. શરમ અને સ કાચ કે માન અપમાનની ભાવનાને તેમના સંધમાં સ્થાન ન હતુ. વાસનાઓને વશ થ કલ્યાણકારી પ્રવૃત્તિઓમાંથી પાછા પડવાના પ્રસંગ ન આવે એ શિક્ષા અર્હાનિશ વિચારવામાં આવતી. સેવા અને પ્રચારકાર્ય પાછળ આ પ્રકારની કર્તવ્યબુદ્ધિ હતી. ફ્રાન્સિસ સ્ત્રીઓ સાથે નહિ જેવા જ પરિચય રાખતા; પણ પાછળથી તેને આ નિયમ ઢીલા મૂકવા પડયા હતા. લેર નામની
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy