________________
૧૩૪
પ્રભુધ જૈન
છે.
જૈન દિર–પ્રાચીન છે, મરામત કરાવી સુધરાવ્યું શ્રી મહાવીર સ્વામી, શ્રી શાન્તિનાથ, શ્રી અજિતનાથ, ને સુમતિનાથની મૂર્તિ છે, સેવાપૂજા ચાલુ છે.
જય સ્તંભ-મહારાણા કુંભાએ પેાતે સાધેલા વિજયના સ્મારક તરીકે નવ માળના ૧૨૦ ફીટ ઉંચાઈના બંધાવેલ. તે પુરા થતાં દશ વર્ષ લાગેલાં. આખા સ્તંભ કોતરકામથી ભરેલા છે. જર્જરિત થતાં રાજ્ય તરફથી ભરામત કરાવીને તેને મૂળ સ્થિતિમાં મુકવામાં આવ્યો છે.
જૈન કીતિ સ્તંભ-ચૌદમી શતાબ્દિમાં જૈન સંપ્રદાયના જા' નામના જૈને બંધાવેલો. કાતરકામ સુંદર છે. રાજ્યતરફથી મરામત કરાવી અસલ સ્થિતિમાં મૂકવામાં આવ્યો છે કાલિકા મંદિર-શિખરબંધ મેઢુ મંદિર છે. રાજ્ય- .. તરફથી સમારકામ કરી સાચવવામાં આવ્યુ છે.
નીલકંઠ મહાદેવનું' મંદિર-સુરજપેાળ પાસે આ મંદિર છે. રાજ્યતરથી અખંડ જ્યોત રહે છે.
તુલજામાતા મંદિર-સાળમી શતાબ્દિમાં બંધાયું. રાજ્ય તરફથી મરામત કરાવી રહવામાં આવ્યું છે.
દેવરા મંદિર--રાણા સાંગાએ બધાવ્યું. મૂર્તિ દેવનારાયણની છે, રાજ્યે મરામત કરાવી સાચવ્યું છે,
મેાકલજીનું મંદિર-આ મંદિરમાં એ લેખે છે. ૧૨૦૭ ન તે ૧૪૮૫ તે. મોકલજીએ ગૃહાર કરાવ્યો. રાજ્ય તરફથી સમારકામ ચાલે છે.
કુંભશ્યામકા મંદિર-રાણા કુંભાએ ૧૫૦૫ માં વિષ્ણુના બાર અવતારનું ભવ્યમંદિર બનાવ્યું. આને મીરાંબાઇનું મંદિર પણ કહે છે.
કુંભા મહેલ-રાણા કુંભાએ બધાવેલા, રાજ્યતરથી સમરાવવામાં આવ્યા છે. આ એજ જેમાં ઉદયસિંહના રક્ષણખાતર. ધાત્રી ફુલરત્ન પેાતાના પુત્રની કતલ કરાવેલી.
૧૯૩૬ માં મહેલ છે કે, ‘પન્ના’એ
ફતેહ પ્રકાશ-રાણા ફત્તેસિંહે ૧૦ લાખના ખર્ચે બંધાવી દેશી ઢાથી શણગાર્યો છે.
જયમલજીના મહેલ-જુના તે પૂરાણા છે, તેનું સમારકામ કરવા વર્તમાન બદનૌરના દ્વાકારે રાણાપા સેથી મંજુરી મેળવી છે.
પત્તાજીના મહેલ-જયમલજીની હવેલીની બાજુમાં જુના પુરાણા મહેલ છે. તેમાંનુ ચિત્રકામ સરસ છે અને મેવાડી રીતરીવાજો તથા પહેરવેશ વિગેરેની ઝાંખી કરાવે છે.
પદ્મિની મહેલ-તળાવની વચમાં છે. તુટપુટ થવાથી ૧૯૩૭ માં સમારકામ કરવામાં આવ્યા છે,
ગુરૂમુખકુંડ-આ જલાશય ભવ્ય, સુંદર ને જોવા જેવુ છે. આમાં ચાર કુંડ છે. ઉંચેથી ગૌમુખમાંથી પડતા પાણીનું દૃશ્ય મેાહક છે. આ સિવાય હાથીકુંડ, કાંતણવાવ, સુર્યકુંડ, ચતર ગમારીનુ તળાવ, વિગેરે નહાનાં મહેાટાં ૮૦ જળાશયેા છે.
તે પખાનુ–એક મોટા ગોદામ જેવા એરડામાં અનેક પુરાણી તેાપાના સંગ્રહ છે. તેમાં‘ દુશ્મન ભજન’ને ‘રાજશ્રાણુ′ લગભગ વીસ ફુટ લાંબી તો જોતાં ભારતની કળા કારીગરીના ખ્યાલ આવે છે.
ચિતાડગઢની રચના અને તેની બાંધણી જોતાં તે ભલા ભલા ઇજનેરા પણ ઘડીભર વિચારમુગ્ધ બની જાય છે. આ ભવ્ય કીલ્લા નીરખીને જ એક કવિએ કહ્યું છે–
તા. ૧૫-૧૧
• ગઢમાં ગઢ ચિંતા એરસન્ન ગઇ ’ તમે જ્યારે આ સ્થળે કા ત્યારે ડગલે ને પગલે એજ વિચાર આવ્યા કરે કે આ એજ વીરભૂમી છે કે જેનાં સંતા એ આઝાદી માટે ભાગ આપવામાં, ત્યાગ કરવામાં તે વીર તાથી ઝુઝવામાં કશીએ ઉણપ રાખી નથી અને હારવાના પ્રસંગે શરણે નહિ જતાં અનેક વીરાએ કેસરીયાં કરીને અને વીરાંગનાએએ ‘ જોહર વ્રત' આદરીને દેહનાં બળીદાન દીધાં છે પણ ગુલામી સ્વીકારી નથી. એટલે જ એ તીર્થભેામ બની છે. ગેટલે જ તેનાં આવાં યશેાગાન ગવાય છે કે :
જેમાં સ્વમાનધન પ્રાતઃસ્મરણીય મહારાણા પ્રતાપનું અવતરણ થયું કે જેણે માતૃભૂમી અને ધર્મની રક્ષા માટે અકબર જેવા મહાપ્રતાપી બાદશાહ સાથે જીવનપર્યંન્ત યુદ્ધ ચાલુ રાખી અનેક સંકટા ને દુ:ખો સહન કર્યા છતાં અંત સુધી પરાધીનતા ન જ સ્વીકારી~~
જેની હમ્બરા રમણીઓ સ્વદેશની આપત્તિ સમયે પ્રિય પતિને કે વહાલા પુત્રને પકડી રાખી હાયવાય ન કરતાં તેમને પ્રેત્સાહિત કરીને રણક્ષેત્રમાં મોકલતી તેમ પોતે પણ રણમેદાનમાં શત્રુસંહારમાં સહાય કરતી
જેની સ્વામીભક્ત ધાત્રી કુલદીપક પન્નાએ બાળ ઉદયસિંહની રક્ષા માટે પોતાની નજર સામે પોતાના વહાલામાં વહાલા પુત્રના જલ્લાદની તલવારે ટુકડા થવા દીધા
જ્યારે જીતવાની આશા ન રહેતી ત્યારે જ્યાં વસતા રાજપુત કેસરીયા વસ્ત્ર ધારણ કરી સ્વદેશ રક્ષા ખાતર પ્રાણાપણ કરતા—જે જાતિ સાહસમાં અપૂર્વ લેખાતી હાય, જે જાતિનુ આત્મસન્માન જવલંત રહેતુ હેાય અને જે જાતિ પેાતાની સ્વાધીનતાની રક્ષા અર્થે દ્રઢ સંકલ્પ નભાવી શકતી હાય તેજ જાતિ આવા પ્રર્ણાર્પણુનાં વ્રત લઈ શકે તે નીભાવી શકે— જ્યાંના વીરપુરૂષાની રમણી પરાધીનપણે જીવવા કરતાં મરણને વધારે વહાલુ' ગણે છે, આઝાદી માટે હથિયાર ઉંચકવામાં પણ પાછી પાની કરતી નથી, તમામ ભેગ આપવા ખડે પગે ઉભી જ હોય છે, છતાં જ્યારે આઝાદી ભયમાં આવી પડે છે *ત્યારે ગુલામ બનવા કરતાં પુત્ર, પિતા, પતિ, કે કોની પશુ ચિંતા રાખ્યા વિના ‘જૌહરવ્રુત લઇ અગ્નિકુંડમાં કુદી પડે છે પણ પરાધીનતા સ્વીકારતી નથી-
જ્યાંની રાજમાતા કરૂણાવતીએ સેનાધિપતિનું કાર્ય ભા વતાં ગુજરાતના સુલતાન બહાદુરશાહને હેરાન પરેશાન કર્યો હતા છતાં જ્યારે વિજયની આશા ન જ રહી ત્યારે તેર હજાર વહુ ભેટીએ સાથે જૌહરવૃત આદરી અગ્નિ પ્રવેશ કર્યાં હતા–
જ્યાંની પરમ હરિભકત નારીરત્ન મીરાંબાઇએ પ્રભુભક્તિની પરીક્ષામાં હળાહળ ઝેર પી લીધું હતું
જ્યાંના દેશભકત મંત્રી ભામાશાએ દેશની રક્ષા માટે મહારાણા પ્રતાપને આપત્તિકાળમાં પોતાની તમામ મીલ્કત અર્પણ કરી દેશભક્તિના અપૂર્વ પરિચય કરાવ્યો હતા—
આવી વીરભૂમીનુ દર્શન જેવુ અહાભાગ્ય હેાય તે જ પામે. એ દર્શન મદાની મન્ત્રતા દૂર કરે છે અને નિર્વીર્યને પ્રાણવાન બનાવે છે; શૌથને પ્રેરે છે અને વીરતાને ઉત્તેજે છે; આઝાદીની તમન્ના પ્રજ્જવલિત કરે છે અને માતૃભૂમીની રક્ષા ખાતર સર્વસ્વના બલિદાનમાં જ જીવનની સાર્થકતા–ધન્યતા રહેલી છે એવા સદેશ આપે છે. (અપૂર્ણ )
અમીચંદ,