________________
૧૦
અંગા કાતા જાય છે જેનું પરિણામ સકળ શરીરના નાશમાં આવે છે. આ વસ્તુ સમજાય છે ?
પ્રબુદ્ધ જૈન
માનવના સધળા વ્યવહારા ધર્મમય બનાવી દેવા તેજ ધર્મ નું-ધર્મના ઉપદેશકોનુ લક્ષ્ય હોવુ જોઇએ, જ્યારે અહીં તે સંસારિક પ્રશ્નોના નામ માત્રથી સાધુસમાજ ભડકે છે. ધર્મના મૂળભૂત સિદ્ધાંતા, ભૂતયા, અસ્તેય, સત્યશીલ, અપરિગ્રહ (સંગ્રહ વૃત્તિના અભાવ), સદાચારી માણસાનું, સાધુઓ અને ત્યાગીએનુ સન્માન અને તેના માટેની યાગ્ય ચિન્તા, માનવકેિતને સ્પષ્ટ ખ્યાલ રહે તેટલા માટે મદાની વિચારણા અને શુભની ભાવના અને કામના. આટલા જ સર્વ ધર્મના સિધ્ધાન્તા. આ બધા વ્યવહારમાં ઉતારવાના છે. આ સિવાયને બીજો કાઇ ધર્મ હજુ સુધી તા જગતે જાણ્યા નથી. ભિકત તપ કે બીજા ક્રિયાકાંડા તે ભૂમિકા તૈયાર કરવાનાં સાધના છે પણ માનવશાન્તિ, વિશ્વબન્ધુતા અને સપૂર્ણતા પ્રાપ્ત કરવા માટે ઉપર જણાવેલા સિધ્ધાન્તા જ સમર્થ છે.
સાધુઓ, તમારી સામે માનવ શ્રધ્ધાથી ઊભેા છે. તમારી પાસે સિધ્ધાંતની હારમાળા છે તે કેમ બધ મેસતી થઇ શકે અથવા બંધ એસતી કરવા માટે માનવના જીવનમાર્ગના શે શા ફેરફાર કરવા ઘટે તે કદી વિચાર્યું છે? જવાળમાં ના. તમે તેા—
ભાષાના, વ્યાકરણના, ઇતિહાસના ઉચ્ચનીચના ઝધડા ઊપજાવી સકળ સમાજને લહુ અને અધકારની ખાઇમાં નાખેલ છે તે. ખરું છે કે નહિ !
અમને તે। અમારું જીવન સુખમય, શાન્તિમય, કલ્યાણમય, ઉપયાગમય અને પ્રતિમય અનાવે તેવી જાતના જ્ઞાનની જરૂર છે. અમારા જીવનની શરૂઆતથી અંત સુધી ચેકી કરી સાવધ રાખે તેવા સાધુએ જોઇએ. પારકાના સંદેશા સુશુાવનારા પ્રચારકાને બદલે સમાજને સનાતન સત્ય સમય અને સંજોગની સેટી ઉપર કરી વાસ્તવિકતાભર્યું સંદેશ સુણાવનારા ગરવા ગુરુ ખપે છે. અંગત વિચાર જ સમાજમાં ફેલાવી વેર વધારનારા નહિ, પણ સમાજના વિકારને વિકારના ઝેરને ગળી જનારા શિવયાણુ સ્વરૂપ સાધુએ જોઈએ છીએ. આટલું સમજ્યા પછી જો, મહારાજશ્રી, અમને નાસ્તિક કહેતા હો તે વ્યાખી છે. એટલેા શે! જવાબ?
સાધુ : ખરું છે ભાઇ. તારું કહેવું સહી છે, પણ અમે પણ કરીએ શું? યુગ તેવા યાગી છીએ. સમાજ તેવા સાધુ છીએ. જેવા તમે તેવા અમેા છીએ.
ગૃહસ્થ : ના, ના, મહારાજ, એમ નથી. જો યુગ તેવા યાગી થઇ જાય તે યાગીના ખપ જ શું છે? યુગને ધડે તે યાગી ! શ્રી મહાવીર, હૈદ્ધ, જીરાસ, શંકરાચાર્ય, મહમદ, અને છેલાછેલામાં દયાનંદ સરસ્વતી, રાજા રામમેાહનરાય, ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર અને પૂ. ગાંધીજી યુગને ઘડવાની તાકાત ઉપર જ જગતનું સન્માન અને ગુણપૂજા પામી રહ્યા છે. આ ભાવના કે તાકાત જેનામાં હોય તે યાગી તે જ સાધુ. ખાતે પારકાના સંદેશે' વહનારા નર્યા કાસદા, ટપાલિયા કે ગ્રામોફાનની રેકર્ડે !
સાધુ : ખરું છે લાઈ 1
વિનાશકાળના મહાજનેામાં કહ્યું તેમ જે સમાજના નીતિરીતીના રક્ષપાળ અને સાચી સમજણના દેવાવાળા સાધુએ
શ્રી મુખર્જી જૈન યુવક
તા. ૩૧–૧–૪૦
અને વ્યવસ્થારક્ષક મહાજના પેાતાના ધર્મ ભુલે છે અને યુગને ઓળખ્યા વિના જૂનવાણી વાત ઉપર જ જીવવા કે જિવાડવા માગે છે તે સમાજ મા ઉપયોગી રહેતા જ નથી. આજની સમાજવક્રતિનું, ખરું રહસ્ય અને કારણ આ જ છે.
સમાજ જ્યારે કાહવાટથી ગૂંગળાય છે ત્યારે થેાચાનાપાનાના આધાર આડા ધરવામાં આવે છે; માનવજીવન મરણેાન્મુખ છે. ત્યારે ધર્માંની ક્રિયા, કર્મકાંડ અને તેવી ઘેલછાભરી વેવલાઈ ખેલાય છે. અથવા તેા કાઇ કાઇ વખતે થીંગડાં દેવા જેવુ કામ કરવામાં આવે. પણ પરિણામ કઇ નહિં. સમાજની મરામત પાયામાંથી જ થવી ઘટે-જો જીવવું હોય તે !
#
*
સમાજને સાધુ અને મહાજને વિના જરાપણ ચાલવાનું નથી. તેથી પુન: સાધુઓને સંસારમાં ઉતારવા પડશે. ભૂખ લાગી હોય પણ હાટલને અભાવે નદિકમાં પડેલા પથ્થર જેમ ખા શકાતા નથી તેમ સમાજને સાધુ કે મહાજનની અતિ જરૂર હોવા છતાં પણ ખરા સાધુ કે મહાજનને બદલે ગમે તેવાને તે માનવંતુ પદ આપીને માનવજીવનને હલકુ નહિ કરી શકાય. સારા સાધુ માટે કદાચ યુગ સુધી રાહ જોવી પડે તે પણું શું ? સારા સાધુની ઝંખના સારા સાધુ જન્માવશે એવી ખાતરી છે.
આજના સાધુમાં તાકાત છે; પ્રજાને દેરવાની શક્તિ પણ છે, યાગ પણ થાડાક છે. સહન કરી સેવા આપવાની વૃત્તિ પણ કદાચ હશે, પણ નથી નવી યુગષ્ટિ અને નથી જીવનનાં પ્રત્યેક કાય ને ધર્મોમય દેખવાની વિશાળ આંખ!
*
છે તે જો
સાધુએ કે જેણે પેાતાની એક ાનયા તજી ખીજી નવી રચેલી દુનિયાને ફગાવી દઇ સમાજના, વિશ્વના એક અશ રૂપે જીવન જીવતા થઈ જાય તે જરૂર સુંદર રીતે જગતને સેવી શકે !
sta
જ્યારે એક દિવસે અતિ શક્તિમાન, મજ્જેન્દ્ર મા` ભૂલ્યા, પેાતાની તાકાત ભૂલ્યા, પેાતાનું સ્થાન અને ક્ષેત્ર ભૂલ્યા, વર્ષોના તપ ભુલ્યા અને ભૂલ્યા પાતાનું પાતાપણુ --ત્યારે તેના પગ પાસે બેસી ગુરુદિક્ષા : લેતા શિષ્ય ગારખે પ્રચંડ પુરુષાર્થથી ગુરુને ચેતવ્યા હતા કે
“જાગ મસ્કેન્દ્ર, ગોરખ આયા’
પ્રત્યેક સોંસરી માટે આ પવિત્ર ગભીર ફરજ આપણા સૂતેલા—મા ભૂલેલા મચ્છન્દ્રોને જગાડવાની આવી છે.
જોઇએ છીએ કે કયેા ગારખ, કયારે અને કયાંથી, ગ ંભીર વાણીમાં પાકારે છે કે
એ! યુગ જેવા થતા નિર્મૂળ સાધુ, સાંભળ યુગ જેવા થાય તે મેગી નહિ. પણ યુગને ઘઉં તે યેગી, તું યાગી છે?
*
જય જગતના ચેાગીને ! ! !
#
(સંપૂર્ણ )
વ્રજલાલ 4. મેઘાણી
સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશકઃ શ્રી. મણિલાલ માકમચંદ શાહ, ૨૬-૩૦ ધનજી સ્ટ્રીટ, મુબા. મુદ્રણથાન: ધી સ્ટેટસ પિપલ પ્રેસ, ૧૩૮-૪૦, મંડેઝ સ્ટ્રીટ, મુબઇ