SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧૦-૪૭ ઉપર વિશેષ લક્ષ્ય અને લ્હાવો લેવાની ઘેલછા સર્વાંત્ર દેખાય છે. આવા ઠેકી ખેસાડેલા કઢંગા લગ્નમાં પણ મેસુરાં વાજા, સંગીતની મશ્કરી જેવા બરાડાએ, અધતા ફેલાવતી અને માણુસને શ્રીનજરૂરી લાગતી ભડકા જેવી બત્તીઓ, ઉપવન અને જીલ્લાલતા પક્ષીઓ કે ટહુકતા મેરલાની હાંસીરૂપ વાડીએ અને મારલા, જમવાના લાબી હેાળીના ગેરૈયા જેવા જાનૈયા, નાટકી વાધા, મુર્ખાનાં પ્રદર્શન જેવી છાએ, ગૃહસ્થાશ્રમને અનુભવ અપાતી શીખાને બદલે ખખડતા રૂપિયા, દાગીના કે કપડાથી જ અપાતી શાખા, બે ડગલાં ચાલવા માટે ત્રણ જણાએ પકડેલા ઘેાડે! તથા ભર શિયાળામાં ચીરડુક ચીરડુક ખેલતા અર્થવિહીન પંખા અને છત્રી કયા પવિત્ર પાક ઉદ્દેશથી લગ્નમાં દાખલ થયા હશે તે સમજાતું નથી. અગાઉ ગમે તે ઉપયોગ ડ્રાય પણ આજે તે બધુ વિચિત્ર અને નાટકી લાગે છે અને ઉદ્દેશ વગર જ કરવામાં આવે છે. આ બધુ આ યુગમાં અટકાવવાની જરૂરિયાત હવે આવી પહેોંચી છે. ભાવનાપ્રેરક સંગીત, લગ્નજીવનને મહિમા સમજાવતાં ગાણાં, શાસ્ત્રીય પદ્ધતિએ શીખવા માટે એક વખત ચાલતું સંગીત ભૂલવું અને જ્ઞાનીઓએ નવુ જન્માવવુ અતિ અગત્યનું છે. અપૂર્ણ વ્રજલાલ ધ. મેઘાણી પુરણ ટ્રસ્ટીઓની સંચયવૃત્તિ આ અંકમાં અન્યત્ર સમાજ, ધર્મ તેમજ અર્થકારણ ઉપર મૌલિક વિચારો રજુ કરનાર શ્રી કિશોરલાલ ઘ. મશરૂવાળાના “ દાનાના ટ્રસ્ટી ” એ મથાળાના એક લેખ પ્રગટ કરવામાં આવ્યો છે તે જૈન બધુઓએ ખાસ વાંચવા અને વિચાર કરવા જેવા છે, એ અન્યત્ર પ્રગટ થયેલા લેખ અહિં ફરીથી પ્રગટ કરવાને આશય એ છે કે આપણા જૈન સમાજમાં મંદિરના તેમજ અન્ય અનેક સંસ્થાના વહીવટ ચાલે છે અને તેને લગતા ટ્રસ્ટના ઘણા ટ્રસ્ટીઓને તે લેખમાં જણાવેલા મુદ્દાઓ લાગુ પડે છે. તે લેખમાં મુખ્ય આક્ષેપ તે એ છે કે આજના દાનના ટ્રસ્ટીઓમાં મોટે ભાગે પોતાને સોંપાયલા ધનનો સર્વ્યય કેમ કરવો તે વિચાર અને વૃત્તિ ગૌણ જોવામાં આવે છે અને ટ્રસ્ટની મીલ્કતમાંથી બને તેટલે એ વ્યય કેમ કરવો, તે મીલ્કતને બચાવવી કેમ એટલુંજ નહિ પણ વધારવી કેમ એ ખ્યાલ પ્રધાનપણે જોવામાં આવે છે. આપણાં મંદિરમાં એકત્ર થતાં નાણાંની જે રીતે તેના ટ્રસ્ટીઓ તરફથી વ્યવસ્થા થતી જોવામાં આવે છે તે ઉપરની વાતને ખરેખર પુરવાર કરી આવે છે. તેની ચાલુ ચિન્તા મીલ્કતના રોકાણને લગતી જ હેાય છે. આ વખતે આટલી મીલ્કત વધી, આ ડીપોઝીટની મુદત પુરી થવા આવી, હમણા નીકળેલી લેાનમાં નાણાં રેકીએ તે વધારે વ્યાજ મળશે, અમુક મીલ્કત કે ડીએન્ચર્સમાં નાણાં રાકવાથી આગળ ઉપર અહુ લાભ થવા સંભવ છે—આવી જ ચિન્તા અને ચર્ચા મંદિ રની મીલ્કતના ટ્રસ્ટીએ કરતા હોય છે—પછી તે ગાડીનાં ટ્રસ્ટી હા કે શાન્તિનાથજીના. પણ એકત્ર થયેલાં નાણાના સદ્વ્યયની યોજનાઓ કોઇ વિચારતુ કે ચર્ચતું સાંભાળવામાં આવતું : નથી. એકત્રિત દેવદ્રવ્યના વ્યયની જુના વિચાર પ્રમાણે ચોકકસ મર્યાદા છે અને ટ્રસ્ટી એ મર્યાદાથી બધાયલા છે એ વાત સ્વીકારીએ તે પણ એ મર્યાદાની અંદર જુનાં મન્દિરાના છોહારના તેમજ જ્યાં જ્યાં મંદિર ન હોય ત્યાં બંધાવી આપવાને સમાવેશ થાય છે. આજે સ્થાપત્ય અને ધાર્મિક ભવ્યતાના નમુનારૂપ અનેક જીનમંદિંગ મેવાડ, મારવાડ તેમજ અન્ય પ્રદેશોમાં સામયિક બુદ્ધ જૈન ૧૧૧ જર્જરિત થઇ રહ્યા છે અને વિનાશ તરફ ધસી રહ્યા છે, જ્યારે મેટા શહેરમાં આવેલા મદિરાના તેમજ કેટલાક તીથૅના ટ્રસ્ટીએ પેાતાને હવાલે પડેલી મીલ્કતના રાકાણની ફેરબદલીની જ વાત વિચાર્યો કરે છે. આ બાબત માત્ર મંદિરના ટ્રસ્ટીઓને લાગુ પડે છે એમ નથી. બીજી સંસ્થાના ટ્રસ્ટીઓનુ પણ લગભગ આવું જ વેલણ જોવામાં આવે છે. કેટલાક ઠેકાણે દાનમાં અપાયલી રકમનુ વ્યાજ જ વાપરવુ એ સરતે દાન અપાયલુ હોય છે. આવી બળતામાં ટ્રસ્ટીઓને કશા વિકલ્પ હાતા નથી. પણ બીજે ઠેકાણે સંસ્થા સારૂ કામ કરે છે–જીવદયા, પરેપકાર કે કેળવણીનું કામ કરે છે—એમ સમજીને કશી પણ સરત વિના સમાજ એ સંસ્થાને પુષ્કળ ધનથી નવાજતી જ રહે છે. આ રીતે એકત્ર થતા ધનમાંથી જે આય નિમિત્તે એ દાન આપવામાં આવ્યુ હાય છે એ આશય પાછળ થોડું વધતું દ્રવ્ય ખરચાય છે. પણ પરિણામે સંસ્થાની મુડી તા વધ્યાજ કરે છે. વળી દુષ્કાળ, મહામારી કે જલ પ્રલય જેવી દેશ ઉપર કાઇ આફ્ત આવે, સમાજની વિશ્વાસપાત્ર સંસ્થા રાહત કાર્ય માટે સમાજ પાસે દ્રવ્ય માંગે, લોકો કરૂણાપર બનીને માગે તેટલુ દ્રવ્ય આપે, તે દ્રવ્યમાંથી કેટલુંક ખરચાય પણ કેટલાક વધારે પડે અથવા તેા પાડવામાં આવે અને સંસ્થાની મુડી વધતી ચાલે, મૂળ મુડીમાં જરા પણ ધટાડો થવા ન જોઈએ એવી સરત અથવા તે સમજુતીથી ટ્રસ્ટના વહીવટ કરવામાં આવે અને ટ્રસ્ટનાં રાકાણુ કરવામાં આવે. સમાજનાં દુઃખ દર્દી એટલાંતે એટલાં જ રહે, જીવદયા અને પરોપકારના નિમિત્તો જરા પણ ઘટે નહિ, ભુખમરો, બેકારી કે નિરક્ષરતાથી સમાજ એટલે તે એટલા શેષાયા કરે, પણ સંસ્થાની મુડી તા વધ્યા જ કરે. વળી નાના ક્ષેત્રમાં નાની સરખી સંસ્થા ઉભી કરવામાં આવે અને મીલ્કતના વ્યાજમાંથી સંસ્થા નભી શકે એ હેતુ રજુ કરીને એ એ સંસ્થા માટે પોતાની લાગવગના ક્ષેત્રમાંથી હજાર અને લાખોની રકમ એકત્ર કરવામાં આવે એ પણ ઉપર જણાવેલ મતદશાનુ જ રૂપાન્તર છે. આ પ્રકારની સંચયવૃત્તિનો ત્યાગ કરવામાં નહિ આવે અને એકત્ર થયેલા આવા ધનને જ્યાં સુધી સત્ત્વ સર્વ્યય કરવાની બાબત ઉપર ખૂબ ભાર મૂકવામાં નહિ આવે ત્યાં સુધી આપણી અનેક સખાવતાના માટે ભાગ વન્ધ્યાવસ્થામાં જ રહેવાના છે અને કોઇ પણ આસમાની સુલતાનીના પ્રસંગે સદન્તર વિનાશને પામવાનો છે. આ કારણે જન સમાજે માન્યવર શ્રી કિશારલાલભાઇના લેખમાં જણાવેલા વિચારે ખૂબ ગંભીરપણે વિચારવાની અને તે મુજબ અનેક સખાવતાના ટ્રસ્ટીઓને સચેત કરવાની ખાસ જરૂર ઉભી થઇ છે. નેમ-રાજુલા સંવાદ નહિં ભજવાય ! ગઇ વિજયાદશમીના દિવસે શ્રી. શકુન્તલા કાં. ઈ. કન્યાશાળાએ ચાલુ શિરસ્તા મુજબ પોતાના વાર્ષિક ઉત્સવ ઉજન્મ્યા. આ ઉત્સવની સમાલોચના કરવા પહેલાં તે ઉત્સવના અંગમાં એક બનાવ બની ગયો તેની જરા નોંધ લઇએ. આ ઉત્સવ નિમિત્તે ભગવાન તેમનાથ અને રાજુલના જીવનના અમુક પ્રસંગો ભજવવાનુ નક્કી કરવામાં આવ્યું હતું અને તે કારણે જરૂરી સંવાદો રચાવીને કન્યાશાળાની બાળાઓ પાસે તૈયાર કરાવવામાં આવ્યા હતા. આ આબતની જાણ થતાં કેટલાક સ્થિતિચુત ભાઇઓએ ભગવાન તેમનાથનાં જીવનના પ્રસ ંગેા ભજવાય તે સામે વાંધા ઉઠાવ્યા અને પરિણામે સંસ્થાના જવાબદાર કાર્યવાહકોએ એ આખે! પ્રસંગ વિજ્યા દશમીના ઉત્સવમાંથી રદ કર્યો. કાર્યવાહકોએ આ કાર્ય ચિત કર્યું કે નહિ તે એક જુદો જ પ્રશ્ન છે. પણ આજે પણ દુનિયા
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy