SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ o પ્રબુધ જૈન તા. ૩૦-૯-૪૦ સરસ લાઇrg ઉદિg મારી મારે તાસિ | સત્યની આણમાં રહેનારે બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે. પ્રબુદ્ધ જૈન सत्यपूतं वदेद्वाक्यम् સટેબર ૩૦ ૧૯૪૦ જૈન સમાજમાં એકતાનો અભાવ જ્યારે એક પહાડની ટોચ પર પડતું પાણી જુદી જુદી દિશાઓમાં નાની નાની ધારાઓ બની વહી નિકળે છે ત્યારે એને કંઇ સ્વરૂપ, ઉપયોગ કે ધ્યેય હોતું નથી. અથડાઈ કુટાઈ આખરે એ ધારાઓ સુકાઈ જાય છે. પણ જ્યારે એ બધી ધારાઓ એકત્ર થઈ એકજ દિશામાં વહેવા માંડે છે ત્યારે તે નદીનું સ્વરૂપ ધારણ કરે છે. સેંકડો માઈલના વિસ્તારને એ રસાળ બનાવે છે. પિતાના મીઠા જળથી અનેકની તૃષા શાંત કરે છે. પિતાના કિનારાને લીલાંછમ વૃક્ષોથી વિભૂષિત બનાવી શીતળ છાંયડે પુરો પાડે છે અને આખરે સાગર–મીલનના પિતાના અંતિમ ધ્યેયને પ્રાપ્ત કરે છે. ઐકયનું આવું જ પરિણામ હોય છે. એક જ ધ્યેયની પ્રાપ્તિ માટે મથતી સંસ્થાઓ એકયના અભાવે પિતાની શકિતઓ જુદા જુદા માર્ગે વેડફી નાંખે છે અને પરિ. ણામે એ પિતાના ધ્યેયથી દૂર ને દૂર રહે છે અને કોઈ ઉપયોગી કાર્ય પણ સફળતાથી પાર ઉતારી શકતી નથી. - આપણા જૈન-ધર્મમાં શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી એવા અનેક પથે અત્યારે છે, અનેક સામાજીક સંસ્થાઓ છે. દરેક જુદા જુદા માર્ગે પ્રયાણ કરી રહેલ છે. દરેક પક્ષ પિતાના પક્ષનું શ્રેષ્ઠત્વ સાબિત કરવા માટે બીજા પક્ષને તોડી પાડવામાં જ પિતાના પક્ષનો વિજય માને છે. પોતે ખરે માગે છે અને બીજા માર્ગ ભૂલ્યા છે એના વિષે વાદવિવાદ અને ચર્ચાઓ ચલાવવામાં, એને જ પોતાનું ધ્યેય બનાવી એ ધ્યેયની પૂર્તિ માટે ખુબ પ્રયત્ન કરવામાં જ પિતાના પક્ષની મહત્તા માને છે. એક પક્ષની થેલી વ્યકિતઓ બીજા પક્ષમાં ભેળાય તે બીજા પંથવાળા ખુબ આનંદ માને છે, પણ તેઓ બુદ્ધિને તક્લીક નથી આપતા કે આખરે તેમણે નવો વધારે તો નથી કર્યો; માત્ર મૂળ મુડીમાંથી જ એ વ્યકિતઓને ખેંચવામાં આવી છે. સંખ્યા પરથી કોઈ પક્ષને વિકાસ માની ન લેવાય. એમ તે બકરોના ટોળા સામે એક સિંહ બસ થઈ પડે છે. સંખ્યા એ વિકાસવૃદ્ધિનું ચિન્હ ન માની શકાય. પરસ્પર મત–પંથના ઝગડા તે આપણું સમાજમાં સહજ બની ગયા છે. વ્યકિતઓથી માંડી જુદી જુદી સામાજીક, ધાર્મિક કે દેશને લગતી ચળવળો કરતી સંસ્થાઓ અને છેવટે ત્યાગી ગણાતી સાધુસંસ્થા પણ આ બધાને બારીકીથી જઈશું તે માલુમ પડશે કે પિતાની વિશિષ્ઠતા સ્થાપન માટે કરવા પરસ્પરને તોડી કે ઉતારી પાડવાના દોષથી તેમાંથી કોઈ મુકત નહિ હોય. પિતાના પક્ષના શ્રેષ્ઠત્વ માટે બીજા પક્ષની ભુલે. ઉણપ અને નબળાઈઓ શોધવામાં જ પોતાને સમય વ્યતીત કરે. અને એમાં જ પિતાની ઉન્નતિ માની બેસે. જ્યારે એને અતિરેક થાય છે ત્યારે એ વ્યકિત કે સંસ્થા પિતાના ધ્યેયને ભૂલી પિતાના પ્રતિપક્ષીને મહાત કેમ કરે એને જ પિતાનો આદર્શ બનાવી મૂકે છે. પરિણામ તો આખરે એ આવે છે કે બીજાને તોડી પાડવાના પ્રયત્ન કરતાં આપણે પિતાને તોડી પાડીએ છીએ અને પિતાના વિકાસને રૂંધી નાખીએ છીએ. આજે જેમના નામે જુદા જુદા સંપ્રદાય અને ધર્મો ચાલે છે તે તે ધર્મના સંસ્થાપકે એ પોતે આત્મમંથન કરી જે વસ્તુ મેળવી તે જગત સમક્ષ મૂકી. જેમને એ વસ્તુની જરૂર હતી તેમણે એને સ્વીકાર કર્યો. એમને ભાલ દરેક વ્યક્તિ ખરીદી શકતી હતી. એમણે વાડ બાંધી સંપ્રદાયે રચવાને વિચાર સ્વપ્ન પણ સેવ્ય નહોતો. પણ પાછળથી એમના અનુયાયીઓ મૂળ પુરૂષને હેતુ ભૂલી જઈ માત્ર એમના શબ્દો પકડી બેસી ગયા. શબ્દને આત્મમંથન કરી મેળવેલા જ્ઞાનધારા નહિ, પણ સ્વબુદ્ધિ પ્રમાણે અર્થ કરવા માંડે. એથી મૂળ હેતુ ભુલી જવાયા અને માત્ર ક્રિયાઓ રહી ગઈ. પાછળના અનુયાયીઓ બુદ્ધિના દ્વાર બંધ કરી, વિવેકને કુંઠિત બનાવી, માત્ર આત્મ–પ્રતિષ્ઠાને ખ્યાલ રાખી વાડા બાંધી બેસી ગયા અને મૂળ પુરૂષના નામે સંપ્રદાય શરૂ કરી દીધા; ધ્યેયને ભૂલી આત્મ-પ્રશંસાના મેહમાં તણાઈ મૂળ પુરૂષના હેતુને હણી નાંખવા લાગ્યા; સત્યને વાડાની મર્યાદામાં પુરવાના પ્રયત્ન આદરી એને વિકૃત બનાવવા માંડયું; મુક્તિને આદર્શ ભુલી પંથના મમત્વમાં પડ્યા અને પછી તો બીજા ધર્મ કરતાં પિતાને ધર્મ શ્રેષ્ઠ છે એના પ્રતિપાદનમાં જ પિતાના પક્ષને ઉતકર્થે માનવા લાગ્યા, એક વૃક્ષને પાણી પાવાને બદલે જે સૌ કોઈ એ વૃક્ષમાંથી મરજી પડે તેમ ડાખળાં પાંદડાં તોડ્યા કરે તે થોડા સમયમાં એ વૃક્ષ છિન્નભિન્ન થઈ જાય. તેમ જ્યારે એક ધર્મમાંથી જુદા જુદા માર્ગે પ્રવર્તે તે એ ધર્મ વિકસિત થવાને બદલે છિન્ન ભિન્ન થઈ જાય. ભગવાન મહાવીરે વાવેલા જૈન ધર્મના વૃક્ષને એ લેટ પાણી પાઈ વિકસિત કરી નવપલ્લવિત બનાવવાને બદલે આપણે એના મરજી પડે તેમ ડાખળાં પાંદડાં તેડવા લાગ્યા. એ નાની નાની ડાખળીઓ પિતાના વાડામાં વાવી અને ખરૂ મૂળ વૃક્ષ પિતાના વાડામાં છે એમ કહેવા માંડ્યું. એવી રીતે મૂળ વૃક્ષના અસ્તિત્વને ભયમાં આપ્યું. આત્મમંથન કરી મેળવેલ અનુભવનાં જ્ઞાન અદ્દશ્ય થયાં અને માત્ર નિર્જીવ શબ્દો રહી ગયા. શબ્દો અને ગાથાઓના અર્થમાં ચુંથણ થવા લાગ્યાં. ધર્મના સિધ્ધાંતના પ્રચારને બદલે આમ પ્રશંસાના પ્રચાર થવા લાગ્યા. ભગવાન મહાવીરે માનવ માત્ર માટે સરજેલા ઉદાર સિધ્ધાંત પર માલેકીની મહોર લગાવી આપણે બેસી ગયા. પરિણામે જ બનાવવાને બદલે જનમવા લાગ્યા. આત્મ-મંથન કરી જ્ઞાન મેળવવાને બદલે પંડિત પાસેથી જ્ઞાન મેળવવા માંડ્યું. જગતના કોઈ પણ મહાપુરૂષને આપણે પંડિત પાસેથી જ્ઞાન મેળવી જ્ઞાની બનેલે નથી સાંભળે. આજે તે જ્ઞાન શબ્દના ભંડારમાં મનાય છે. છટાસ્ય વ્યાખ્યાન આપી વ્યાખ્યાનવાચસ્પતિ બનનારા મેટા જ્ઞાનીઓમાં ખપવા લાગ્યા છે. સાચા આત્મજ્ઞાનીને ઉપદેશની ઝડી વરસાવવી નથી પડતી. એનાં નિર્મળ નયને આત્માની અકથ્ય ભાષાદ્રારા હૃદયને તળીએ પહોંચી જઈ આપણું જીવનને મૂળથી પલટાવી નાંખે છે. સંસારની અસારતા સમજાવવા એમને દાખલા દલીલો થી આપવી પડતી. એમનો એક સ્પર્શ માત્ર સંસારનું સત્ય સ્વરૂપ સમજાવવા બસ થઈ પડે છે. પ્રતિદિન શબ્દના ધોધ વહાવવાની પણ એમને જરૂર પડતી નથી. એમને અખૂટ જ્ઞાનભંડાર માનવ માત્રને માટે ખુલ્લું હોય છે. પિતાને ભાલ ખપાવવા એમને પ્રચાર કરે નથી પડતો. મિથ્યાત્વને ભય બતાવી ભક્તોને પકડી રાખવાની કોશિષ એમને નથી કરવી પડતી. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે તે જન્મ સુધી સાધના કરવી પડે છે. એને માટે અખૂટ ધૈર્ય જોઈએ. પંડિત બનવા સમયની મર્યાદા નક્કી કરી શકાય, પણ આત્મજ્ઞાન મેળવવા તે
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy