SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫–૧–૪૦ પછીથી આ વ્યાખ્યાનમાળા વિશેષ રસમય અને આકર્ષક બનાવવા પ્રયત્ન કરવાની ખાસ જરૂર છે. સંધના મુખપત્ર તરીકે પ્રમુદ્ધ જૈન' નામના પાક્ષિક પત્રની શરૂઆત કરવાને લગતી પ્રવૃત્તિ આખા વર્ષના સૌથી વધારે અગત્યને બનાવ છે. આ મળત કેટલાક સમયથી ચર્ચાયા કરતી હતી. એ ચર્ચાના પરિણામે થયેલા ઠરાવ અનુ સાર શ્રી. મણિલાલ મેકમશ્વંદ શાહના તંત્રીપણા નીચે ગયા મે માસની પહેલી તારીખથી ‘પ્રમુદ્દે જૈન’ પ્રગટ થવા લાગ્યું છે. આ પત્રે સારી લોકપ્રીતિ સંપાદન કરી છે અને આજ સુધીમાં પ્રગટ થતા માત્ર જૈન સમાજના જ નહિ પણ અન્ય સમાજના કામી પામાં આ પત્રે જુદી–અનેાખી ભાત પાડી છે. લેખકામાં પણ જૈનેતર સારા સારા વિદ્વાનોને સહકાર છે અને તેમાં પણ ખાસ કરીને કાકા સાહેબ કાલેલકરે પ્રારંભથી આજ સુધીમાં આ પત્ર ઉપર નાના મોટા અનેક લેખા માકલીને આ પુત્રની પ્રતિષ્ઠામાં ખૂબ વધારો કર્યાં છે. આ માટે આ સંધ તેમને ખરેખર ખૂબ ઋણી છે. પત્રની ગ્રાહકસંખ્યા કુલ ૩૧૦ ની છે જેમાંથી ૧૬૮ સધના સભ્યો છે અને બાકીના ગ્રાંડુકા બહારના છે. ‘પ્રબુધ્ધ જૈન' ની આર્થિક બાજુની વિગતા આગળ ઉપર આપવામાં આવી છે જે ઉપરથી માલૂમ પડશે કે ‘પ્રમુગ્ધ જૈન' ખાતે તેનુ વર્ષ એપ્રીલની આખરે પૂરું થતાં સુધીમાં મુંબઇઃ જૈન · યુવકસંધને આશરે રૂા. ૯૦૦) ની ખેાટ ખમવી પડે તેમ છે. પણ આ કારણથી આપણે નિરૂત્સાહ કે ચિન્તાતુર થવાની જરૂર નથી. જે સિદ્ધાંતા અને ધારણ ઉપર પ્રબુદ્ધ જૈન કાઢવામાં આવે છે તે ધ્યાનમાં લેતાં આ ખોટ ના કે ગણતરી બહારની નથી, પ્રભુ જૈન' સ્વદેશી કાગળા ઉપર છાપવામાં આવે છે; તેમાં કાઇ પણ પ્રકારની જાહેર ખબર લેવામાં આવતી નથી. અંગત રાગદ્વેષ પોષનારા તીખાં તમતમતાં લેખા લેવામાં આવતા નથી. સત્યને આગળ રાખીને સમાજ તેમજ ધર્મના પ્રશ્નોની ઉચ્ચ ભૂમિકાએ ચર્ચા કરવામાં આવે છે. જૈન સમાજને અ'ગત પ્રશ્નો વિષે સાચી દૃષ્ટિ આપવી અને વિશાળ દુનિયામાં જે નવા વિચાર અને નવી ભાવનાઓનાં આદાલતે ઊડી રહ્યાં છે તેના સપર્ક સાધી આપવા એ આ પત્રનું લક્ષ્ય છે, અને એ લક્ષ્ય જેટલા અંશે સાધી શકાય તેટલા અંશે આ પત્રપ્રવૃત્તિની સફળતા છે. પ્રસ્તુત 'પ્રમુદ્ જૈન'ની ખેાટને પહોંચી વળવા માટે ગયા વર્ષ દરમિયાન અમેાને નીચે મુજબ મદદ મળી છે. રૂા. ૪૩૮) શ્રી જૈન યુવક પરિષદ્ ૧૯૩૧ , ૧૦૦) શ્રી મણિલાલ મોહનલાલ ઝવેરી પ્રબુદ્ધ જૈન >> ૧૦૦) શ્રી અમીચંદ ખેમચંદ શાહ .. ૧૬૪) નવા વર્ષની શ્રેણીના જુદા જુદા ગૃહસ્થો તરફથી આ રીતે મદદ આપનાર સંસ્થા તેમજ ગ્રહસ્થાના અમા અહી આભાર માનીએ છીએ. દર વર્ષી માફક આ વર્ષે પણ પણ વ્યાખ્યાનમાળા ૫. સુખલાલજીના પ્રમુખપણાં નીચે ગઠવવામાં આવી હતી અને તેમાં હમેશ મુજબ લકાએ બહુ સારા રસ લીધા હતા. આ વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાતાઓ તથા વ્યાખ્યાન વિયે નીચે મુજબ હતા. વ્યાખ્યાતા અધ્યાપક ધર્માનંદ કાસી પતિ મહેન્દ્રકુમાર વ્યાખ્યાન વિષય રાષ્ટ્રધન જીવનમાં તત્વજ્ઞાનનું સ્થાન શ્રી. રતીલાલ જી. શાહ એમ. એ. એલ. એલ. ખી. : અધ્યાત્મવાદ કવિ અખા અને આન'ઘન મહાવિર જીવન પંડિત દરબારીલાલજી પંડિત દરબારીલાલજી સ્વામી આનંદ પંડિત ઍરારદાસ પંડિત ખુશાલદાસ અધ્યાપક રામનારાયણ વિ. પાક શ્રી. મોહનલાલ દલીય દેસા કાકાસાહેબ કાલેલકર પંડિત સુખલાલજી પંડિત સુખલાલજી શ્રી. મોતીષદ ગિ, કાપડી કાકાસાહેબ કાલેલકર મુનિ જિવેજયજી પંડિત સુખલાલજી અહિંસા અને જૈન ધર્મ ઘડવૈયા ધાર્મિક શિક્ષણ આપણા વ્યવહાર જીવનમાં આદત સ્થાન પત્ર સ્વામી રામકૃષ્ણ પરમહંસ (બહેના માટે) તપ અને યાગ ભગવાન નેમિનાથ અને રાજમંતી શ્રી. મહાવીર અને ગૌતમ સ્વામી 3 સમ્રાટ અને પરિત્રોટ જૈન ધમ ભગવાન પાર્શ્વનાથ અને મહાવીર આ વ્યાખ્યાનમાળા પાર પાડવામાં જે જે જુદા જુદા વિદ્યાનેએ પાતાના કીમતી સમયના ભોગ આપીને સહકાર આપ્યા છે તેમને અહીં અંતઃકરણપૂર્વક આભાર માનવામાં આવે છે; પડિત સુખલાલજીએ તે। આ પ્રવૃત્તિને પેાતાની જ માની છે અને આ પ્રવૃત્તિની સફળતા માટે ભાગે તેમને જ આભારી છે. જેઓ અમારા છે તેમને કઇ રીતે ઉપકાર માનવા આ વર્ષે ગાંધીજયંતિ પ્રસંગે આપણે ખાદીની હૂડાંના વેચાણનું કાર્યાં હાથ ધર્યું` હતુ` અને જુદા જુદા સભ્યા-ભાઇએ તેમજ બહેનોએ મળીને કુલ રૂા. ૧૯૯૦)ની હૂંડીનું વેચાણુ કર્યું હતું. આ ખાદીની હૂંડીઓ વેચવાને આપણા માટે પહેલા જ પ્રસ`ગ હતા. આ કાર્યમાં સહકાર આપનાર ભાઇ તેમજ બહેનેાને ધન્યવાદ ધટે છે. ગાંધીજયન્તી પ્રસંગે એક જાહેર સભા હીરાંબાગના હાલમાં ગાવવામાં આવી હતી જે પ્રસ ંગે સ્વામી આનંદે મહાત્મા ગાંધીજી ઉપર એક ભારે મનનીય તેમજ અનુભવપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતુ. એક ખીજી જાહેર સભા ગત વર્ષના પ્રારંભકાળમાં રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લેવા જતી એક ટુકડીના સરદાર તરીકે રાજકોટ ઉપડતા શ્રી. મણિલાલ જયમલ શેઠને અભિનન્દન આપવા માટે ભરવામાં આવી હતી. આ સત્યાગ્રહમાં સધના સભ્ય શ્રી. દુ‘ભજી ઉમેમંદ પરીખે બહુ જ આગેવાનીભર્યાં ભાગ લીધા હતા અને શ્રી. વીરચંદ પાનામ શાહ પણ સૌથી પહેલાં ઉપડેલી ટુકડીના આગેવાન બતીને રાજકોટ ગયા હતા અને જેલવાસી બન્યા હતા, ત્રીછ જાહેર સભા કરાંચીવાળા ડુંગરી ગિરધર તેમની પત્નીની સગતિ લીધા સિવાય દિક્ષા લેવાને તૈયાર થયેલા તે સામે વિરાધ દર્શાવવા માટે ભરવામાં આવી હતી. આમ આખા વર્ષ દરમિયાન ત્રણ જાહેર સભા મેળવવામાં આવી હતી,
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy