________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૯૪
બ્રહાર્યનું પાલન પણ સારી રીતે કર્ગી શકે છે. ચાલવાને કારણે માણસના પગને, ઘંટને અને સાથળને જે વ્યાયામ મળે છે એથી એની ગ્રંથિઓ ઉપર સંયમ આવે છે જે એના ચિત્તને સંયમમાં રાખવામાં સહાયભૂત બને છે. ભારતીય પરંપરામાં 'સાધુ તો વાવતા ભવાં એમ જ કહેવાયું છે તે સર્વથા સાચું જ છે. ચાલવાને કારણે, એટલે કે એક સ્થળેથી બીજે સ્થળે વિહાર કરવાને કારણે સાધુ પુરુષોને કોઇ એક સ્થળ માટે કે તે " સ્થળની વ્યક્તિઓ માટે રંગ કે ન કોઇ બંધનો થતો નથી. અને થયાં હોય તો તે ગાઢ થતાં નથીતેઓનું પિત્ત તેવી બાબતોમાંહ્ય તરત નિવૃત્ત થઈ જાય છે. ચાલવાના લાભમાં આ એક અત્યંત મહત્ત્વનું આધ્યાત્મિક ક્રરણ નો ખરું જ, પરંતુ તે ઉપરાંત બ્રહ્મચર્યના પાલનમાં પણ તે ઉપકારક નીવડે છે એ પણ જેવો તેવો લાભ નથી, જૈન ધર્મમાં ભગવાન મહાવીર સાધુઓના સતત વિહાર ઉપર ભાર મૂક્યો છે તેમાં આવી વ્યવહારુ દીર્ધદૃષ્ટિ પણ રહેલી છે. - નજીક નજીકના કોઈ પણ બે ગામ વચ્ચે કેડી અવશ્ય કંડારાઈ જય છે. વિવિધ હેતુ માટે નજીકનાં બે ગામના લોકે વચ્ચે આદાન- પ્રદાનનો વ્યવહાર હંમેથ રહે જ છે. એવી અવરજવરથી નાની કેડી મો રસ્તો કે ગાઈના ગૃવા વગેરે થઈ જાય છે. આમ એક ગામથી બીજ ગામ સુધી અને એ રીતે સળંગ અનેક ગામો સુધી આવા રસ્તાઓનું સનમ રહેલું હોય છે. સૈકાઓ પૂર્વે પણ સાધુ સંન્યાસીઓ
, નાળાં, જંગલો અને ડુંગરો વટાવી ભારતની ચારધામની યાત્રા કરતા હતા. ક્યથી ક્યાં જવું ક્યો રનો ટૂંકો પડે, મો ૨નો વિકટ છે, મે રસ્તે પાણી મળે, ક્ય રને વસતી અને મુસાફરોની અવર જવર મળે, ક્યો રસ્તો વાધવ કે લૂટારના ભયવાળો છે, ક્યો રસ્તો જંગલી લોકેના ડરવાળો છે એ બધું તેઓ ભણતા અને અજાણ્યાં પ્રવાસીઓને યોગ્ય માર્ગદર્શન આપતાં.
રાવીને લાંબુ અંતર કાપવામાં વાર લાગે છે એ સાચું પરંતુ જેમને ચાલવું જ છે અને ચાલીને જ અંતર કાપવું છે એમને માટે કશું દૂર નથી. પાર્ટીન સમયમાં પગે ચાલીને પ્રવાસીઓ, યાત્રિકો ક્યાંના ક્યાં પોંચી જન. ચીનથી નીકળેલા પ્રવાસીઓ હા એન સંગ અને ફાહિયેન ભારત આવ્યા હતા. યુરોપમાંથી નીકળેલો પ્રસિદ્ધ પ્રવાસી માર્કોપોલો ચાલતો ચાલતો ચીન સુધી પહોંચ્યો હતો. બૌદ્ધ ભિખુઓ વિહાર કરતા કરતા ચીન-કોરિયા અને જાપાન સુધી પહોંચ્યા હતા. આજે પણ જૈન સાધુઓ પગે ચાલીને, વિહાર કરીને ભારતમાં બધે પહેંચી જાય છે. એક વખત ચાલવાનો નિર્ણય ચિત્તમાં અડગ થઈ જાય અને બીજા કોઈ વિકલ્પો ન ઉઠે તો બધું જ આયોજન ધારણા પ્રમાણે પાર પડે છે, કારણ કે ચાલનારને વાહન ઇત્યાદિની Bઇ પરાધીનતા રહેતી નથી
પર્વતીય વિસ્તારોમાં જ્યાં કોઇ વાહનની સગવડ થવી શક્ય નથી ત્યાં માણસોને પગે ચાલ્યા વગર છૂટકો નથી. એવા પ્રદેશોમાં કેટલું અંતર કપાયું તેનું માપ કાઢવા માટે જૂના વખતમાં ચોકસાઈવાળાં સાધનો ન હતાં. ઘડિયાળ પણ નહોતી. જ્યાં ઊંચી નીચી જમીન હોય, વચ્ચે ટેકરીઓ આવતી હોય મ એ જમાનાના લોટૅ સમયના આધારે માપ કાઢતા એટલું અંતર ચાલવામાં કેટલા સમયનો રસ્તો છે તે સૂર્ય, ચંદ્ર કે નક્ષત્રના આધારે તેઓ જણાવતાં. ક્યાંક લોકો પોતાની જીવન પદ્ધતિ અનુસાર તેનું માપ કહેના. જુના વખતમ તબેટમાં ઇ મળનું અંતર પૂછવામાં આવે તો લોકો શાના માથા અનુસાર રાવત, તિબેટના લોકો પોતાની માખણ, મીઠાવાળી જુદી જાતની ચા (એને મરથી કહે છે) અમુક અમુક સમયગાળાના અંતરે પીએ છે. એટલે કોઇ રસ્તા વિશે જ્યારે પૂછવામાં આવે ત્યારે તેઓ તે અંતર ચાના પોલા ગણીને જણાવે. ઇ ત. કોઇ સ્થળનું અંતર કેટલું છે એમ પૂછવામાં આવે અને તેઓ બે વાબ આપે કે ચાના ત્રણ પ્યાલા, તો તેનો અર્થ એ થયો
કે ચાના ત્રણ ખાવા પીવા વચ્ચે જેટલો સમય ગાળો રહે એટલો સમય જ એ સ્થળે પોંચતાં લાગે. એવી જ રીતે જૂના વખતમ યુરોષના કેટલાક
પ્રવાસીઓ દિવસમાં ત્રણચાર વખત ચલમમાં તંબાક ભરીને પીતા. એટલે બે ચલમ વચ્ચે જેટલો સમય લાગે તેટલો સમય ચાવવાના અંતર માટે તેઓ જણાવતા અમુક અંતર ચાલ્યા પછી તેઓ ચલમ પીવા રોકાતા. જૂની તંબાકુ કીં નાખીને ચલમને સાફ કરવામાં આવતી. તેટલા સમયે આવનાં સ્થળને તેઓ તે રીતે ઓળખાવતા મોરેશિયસમાં ' ક્યૂરપિ૫' નામનું સ્થળ છે. એ નામ cure-pipe શબ્દ ઉપરથી આપેલું છે. એ સ્થળે પ્રવાસીઓ આરામ કરતાં અને પોતાની ચલમ સાફ કરી નવી નમક ભરીને ચલમ પીના.
ચાલવું એ પણ એક કળા છે. ચાલવાની ગતિમાં અને પગલામાં પ્રત્યેક વ્યક્તિની મુદ્રા અંક્તિ થાય છે. પ્રત્યેક માણસનો અવાજ જેમ જુદો હોય છે તેમ પ્રત્યેક માણસની ચાલવાની ગતિ-રીતિ પણ જુદી હોય છે. આ વાત તરત માનવામાં આવે એવી નથી. પરંતુ જો એવો કોઇ પ્રયોગ કરવામાં આવે કે ચાલતી વખતે માણસનાં પગલાં બરોબર અંકિત થાય તો આ વાતની ખાતરી થયા વગર રહે નહિ. ભીની રેતી કે માટીર્મા જઘ જુદા માણસોને અડો લીંગ જેટલું ચાલવાનું કહેવામાં આવે અને તેઓના પગલઓને સરખાવવામાં આવે તો આ આ વતની તરત પ્રતીતિ છે. કોઈકવાર ધરમાં આવતી નવવધૂને કે સગભ સૌભાગ્યવતીને કંકુવાળં કે કેસરવાળાં પગલાં કરીને સફેદ વસ્ત્ર ઉપર ચલાવવામાં આવે છે. એવાં પગલાંઓને સરખાવવાથી પણ આ વાતની ખાત્રી થશે. માણસ બંને પગ ઉપર એક સરખો ભાર આપીને એક સરખે માપનાં ડગલાં જ્યલેજ ભરતો હોય છે, એની ખાત્રી કરવી હોય તો માણસના બૂટ કે ચંપલની એડીને લાગેલા ધસારાને સરખાવવા જોઇએ. જવલ્લે જ જમણા પગના અને ડાબા પગનાં પગરખાંની એડીઓ એક સરખી ધસાઈ હશે! * એકની એક વ્યક્તિ પણ ઉલ્લાસથી ચાલતી હોય, ચિંતામાં ચાલતી હોય, અધીરાઈથી ચાલતી હોય, થાકથી ચાલતી હોય, મન વગર ચાલતી હોય તો તે દરેક વખતે એનાં પગલાં જુદી જુદી પડતાં હોય છે. કેટલાંક નિરીક્ષક તો વળી એમ પણ કહે છે કે માણસ એક સરખી સીધી લીટીમાં ચાલી શકતો નથી. એટલા માટે જ લકરના સૈનિકોને ઠીક ઈંક તાલીમ આપવામાં આવે છે કે જે પછી તેઓ એક સરખી લીટીમાં, એક સરખી અંતરનાં પગર્લો સાથે ચાલી શકે છે.
ઉશકરના સૈનિકોને પુના વખતે અચાનક ચાલવાનું કે દોડવાનું કેટલું આવે તે કહી શકાય નહિ. એટલા માટે જ લશ્કરના સૈનિ છે. ચાલવાનો, માર્ચ કરવાનો મહાવરો સતત આપતા રહેવાની પ્રથા દુનિયાના બધા જ દેશોમાં છે. સશક્ત યુવાન સૈનિક આખા દિવસમાં ઓહ્મમાં ઓછ ચાલીસ માઇલ ચાલવાની શક્તિ ધરાવતો હોવો જોઇએ. બંને હાથ હલાવીને, માપસરનાં કદમ ભરીને બીજ સૈનિકો સાથે કદમ મિલાવીને સૈનિદૈ માર્ચ કરે છે. સામાન્ય નાગરિકે કદમ મિલાવીને સાથે જવલ્લે જ ચાલે છે. સૈનિકોની એ વિદિતા એમની તાલીમને આભારી
ચાલવાની રીત દરેકની પોતપોતાની હોવાને લીધે કેટર્લીકવાર સામેથી કે પાછળથી માણસના ફકત ચાલતા બે પગ જ દેખાય, નો પણ એ ચાલનાર વ્યક્તિ પરિચિત જનોને પરખાઈ આવે છે. ચલચિ નોર્મા એવાં દૂષો ક્યારેક બતાવવામાં આવે છે. ચાલતી વખતે ૫ગલનો કે પગરખાંનો અવાજ સાંભળીને પતિ કે પત્ની એક બીજાના આગમનને , તરત જાણી લે છે. કેટલાંક માતા પિતા સંતાનોનાં પગર્લાના અવાજને કળી શકે છે.
કેટલાકની ચાલમાં લાલિત્ય હોય છે, તો કેટલાકની ચાલમાં કર્કશતા કે ગરબડ હોય છે. સંસ્કૃત સાહિત્યમાં નાયિકાઓ માટે સગામિની, ગજામિની જેવા નો પ્રયોજાયા છે તે સહેતુક છે અને સાર્થક છે. કેટલાંકની ચાલ મંદ ગતિની હોય છે. તો કેટલાકની ચાલ ત્વરિત ગતિની હોય છે. વકરમ મંદ ગતિની સાલમ-slow Marchમાં કદમ જુ