________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એપ્રિલ ૨૦૧૨ જ્યાં સૂર ની વાત આવે ત્યાં શુલ આ પ્રમાણ લખાય, ૨) શોરસેની - આ ભાષામાં જ્યાં તે નો ઉચ્ચાર આવે ત્યાં તવીરસ્થાને રૂારો યઃ શૌરૉન્ચા' નિયમથી ત નો દ કરવામાં આવે છે. એટલે તfટની(નદી) કહેવું હોય ત્યાં ટની એમ કહેવાય. ૩) પૈશાચી - આ ભાષામાં શૌરસેની કરતા વિપરીત છે એટલે ત્યાં ત નો દ કરવામાં આવતો હતો અને અહિયાં દ નો ત કરવાનો હોય છે. એટલે દુખ) કહેવું હોય ત્યાં સુહ એમ લખાય. તદુપરાંત શષ નો સ અને ણ નો ન ઉચ્ચાર થાય છે.(ઉદા – $િ TPર-સિTR, વરV-Qરન) ૪) અપભ્રંશ - આ ઉપરાંત સમસંસ્કૃત અને સર્વભાષા સંસ્કૃતનો ઉલ્લેખ કરેલ છે. જેમાં માત્ર સંસ્કૃત અને પ્રાકૃત એમ બન્ને ભાષાનો બહુલતયા ઉલ્લેખ થતો હોય છે તેને સમસંસ્કૃત ભાષા. કહેવાય છે. જ્યારે સર્વભાષામાં કોઇ નિયમ હોતો નથી તેમાં સંસ્કૃતપ્રાકત-મા.ગુ. વગેરે કોઈ પણ ભાષા વાપરી શકાય છે. કૃતિના શ્લોકો કયા છંદ અને કઇ ભાષામાં છે તેના બોધ માટે દરેક શ્લોકની ઉપર કૌંસમાં છંદ અને ગાથાના અંતમાં તે-તે ભાષાનું નામ આપેલ છે.
કૃતિની અંતિમ ગાથા પરથી રચનાકાર મુનિ ધર્મવર્ધન છે એમ નિશ્ચિત થાય છે. આ સિવાય તેઓની કોઇ ખાસ માહિતી ઉપલબ્ધ થતી નથી. પરંતુ જિનરત્ન કોષ, જૈ , ગુ. ક. ભા. ૪-પ-૬ જોતા એવું અનુમાન થઈ શકે કે ખરતર ગચ્છમાં થયેલા હર્ષવિજયના શિષ્ય ધર્મવર્ધન અને આ કતિના ધર્મવર્ધન એ બન્ને એક જ હોવા જોઇએ. જો આ અનુમાન સાચું હોય, તો કૃતિનો રચનાકાળ વિક્રમની અઢારમી પૂર્વાર્ધ હશે એમ પણ નક્કી થાય. ધર્મવર્ધન મુનિનું સંસ્કૃત પ્રાકૃત ઉપરાંતની અન્ય પણ ભાષાઓ પર સારૂ એવું પ્રભુત્વ અને છંદઅલંકારોનો પણ વિશિષ્ટ બોધ હશે તે ફતિ નિરીક્ષણથી જ પ્રતીત થાય છે.
આ કૃતિની કુલ છ હસ્તપ્રતો મળી છે, જેમાંથી ૫ પ્રતોના ચોક્કસ લેખન વર્ષ મળતા નથી. પરંતુ લેખન શૈલી પરથી લગભગ અઢારમીથી વીસમી સદીમાં લખાયેલી હોય તેવું જણાય છે. જ્યારે ૨૮૧૨૯ નંબરની પ્રત વિ.સં. ૧૮૭૪માં લખાઇ છે અને તેના પ્રતિલેખક છે મુનિ નંણસી. પાઠ સંપાદન કરવા માટે બધી પ્રતોને યોગ્ય ન્યાય આપેલો જ છે. પરંતુ વિશેષ શુદ્ધિ અને માહિતી બહુલતાને ધ્યાનમાં રાખીને પ્રત નં- ૮૯૩૯ અને ૨૨૫૧૮ ને પ્રધાન પણે રાખેલ છે. જ્યાં-જ્યાં પાઠ ભેદ જણાયો કે ઉપરોક્ત પ્રતોના પાઠ કરતા અન્ય પ્રતનો પાઠ વધુ શુદ્ધ હોય તો તેને માન્ય રાખ્યો, અને બીજા પાઠાંતરોનો ફૂટનોટમાં સમાવેશ કરેલ છે, ફૂટનોટમાં પાઠાંતર સાથે તે પાઠ કઇ-કઇ પ્રતોમાં છે તેના નંબરો પણ મૂક્યા છે. જેથી વિદ્વાનોને પાઠ અનુસંધાનાદિ કરવામાં સરળતા રહે. જે પાકોમાં સામાન્ય ફેરફાર હોય તેને ફૂટનોટમાં સ્થાન આપેલ નથી. તથા વિશેષ નિર્ણય કરવા માટે સ્તોત્રની ટીકાને આદર્શરૂપે ગણીને તદનુસાર પાઠોની ગોઠવણી કરેલ છે.
ગોડીજી પાર્શ્વજિન સ્તોત્ર प्रणमति यः श्रीगोडीपार्धं पद्मा तस्य न मुंचति पार्धं सुगुणजनं सुखमेव
कीर्तिस्फूर्तिरहो इदृक्षा यस्य जगति जागर्ति समक्षा ननंमीह तमेव ।।१।। જેમ સદ્ગુણી વ્યક્તિને સુખ ત્યજતું નથી તેમ જગતની અંદર જેઓની કીર્તિ પ્રત્યક્ષરૂપે પ્રસરેલી છે, એવા શ્રીગોડીજી પાર્શ્વજિનને જે પણ નમે છે, તે પુરુષને લક્ષ્મી ક્યારેય ત્યજતી નથી.
( ૨) सद्भक्त्या भक्तलोका जिनवर! भवतो यत्र यत्र स्मरंति, साक्षात्तेषां समेषां वरमिह हि मुहुर्वाञ्छितं त्वं विधत्से ।
यात्रामायांति तत्ते कति कति च मया प्रत्ययाश्चात्र दृष्टा, हृष्टा मे चित्तवृत्तिस्तत इत इत आकामये नान्यदेवं ।।२।। संस्कृतीया
For Private and Personal Use Only