________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨.
એપ્રિલ ૨૦૧૨ આ સમય દરમિયાન પૂર્વ ભારત અને ઉત્તર-પશ્ચિમ ભારતના પ્રદેશોની લિપિઓના સ્વરુપમાં ઘણો ઓછો ભેદ જણાય છે ભટિપ્રોળ(તમિળનાડુ) સ્તૂપના મંજૂષા લેખમાંના અક્ષરોના આકાર બ્રાહ્મીની પ્રચલિત અક્ષરના આકારમાંથી જ ઉદભવેલા છે. દ્રવિડ અક્ષરો પણ સદ બ્રાહ્મી અક્ષરોમાંથી સાંધિત કરવામાં આવ્યા છે.
ઇ.સ. ૫૦થી ઇ.સ. ૪૦ સુધીના ગાળામાં બ્રાહ્મી લિપિના સ્વરુપમાં વિશિષ્ટ પરિવર્તનો થયાં, વર્ણના મથાળે નાની આડી રેખાપે શિરોરેખા સ્પષ્ટ જોવા મળે છે. બે ટોચવાળા વર્ગો જેવા કે ઘ, ૫, ૬ અને સ માં ડાબી બાજુની ટોચ પર રેખા કરાતી જ્યારે ય જેવા ત્રણ ટોચવાળા વર્ણમાં એ વચલી ટોચ ઉપર ઉમેરાતી. મ માં એની બેય ત્રાંસી ટોચ પર કરાતી. ઘ ક અક્ષરો ઊંચા અને પાતળા થયા. ધ, ક અને ૨ જેવા અક્ષરો ઊંચા અને પાતળા થયા, ઘ, ૫ અને ષ જેવા અક્ષરોની ઊંચાઇ ઘટી, અને પહોળાઇ વધી. સીધા મરોડના સ્થાને વળાંકદાર મરોડનું પ્રમાણ વધ્યું. ઘણાં વર્ષોની ઉભી રેખાઓને નીચલે છેડેથી ડાબી બાજુએ વાળવામાં આવતી. સ્વર માત્રાઓને ત્રાંસો વળાંકદાર મરોડ આપવામાં આવ્યો. હલત્તનું ચિહ્ન વર્તમાન હલત્ત ચિહ્ન જેવું જ છે, જે પંક્તિના નીચલા ભાગમાં ઈસ.ની બીજી સદીથી મળે છે. 8, ળ અને ડ ના અક્ષરોનો પ્રયોગ થયો. જિલ્લામૂલીય અને ઉપમાનીય ધ્વનિઓ માટે ચિહ્નો પ્રયોજાયાં. લેખનની પ્રાદેશિક લઢણોના ઉપયોગની સાથે લિપિભેદ વિકસ્યા. - ઈ.સ. ૪૦૦ થી ૮૦૦ ના સમયમાં પ્રાદેશિક લિપિઓનાં આદ્ય સ્વરૂપ ઘડાયાં, જેને આદ્ય પ્રાદેશીક લિપિઓ. કહી શકાય. ડૉ. દાની એને ઉત્તર ભારત, ગુજરાત, રાજસ્થાન અને મધ્ય ભારત, દખ્ખણ અને દક્ષિણ ભારત એમ મુખ્ય ચાર વિભાગમાં વહેંચે છે.
આ સમયની ઘણી હસ્તપ્રતો મળી આવી છે એમાં કલમ અને શાહીના ઉપયોગને લીધે બ્રાહ્મી અક્ષરોનાં ઘણા નવાં રૂપો મળે છે. એમાં ત્રિકોણકાર શિર: ચિહ્ન અને અક્ષરોની ઊભી રેખા નીચે એક પ્રકારનું પાદચિન્હ જોવા મળે છે. દક્ષિણ ભારતમાં તાડપત્ર ઉપર તીક્ષ્ણ શલાકાથી અક્ષરો કોતરવાની પ્રથા હતી, ત્યાં અક્ષર ગોળ અને
ત્મિક મરોડ આપવાની પ્રથાને લીધે અક્ષરોની જમણી બીજુની ઊભી રેખાનાં નીચલા છેડા ડાબી બાજુ વળાંક લેવા લાગ્યા, જેને કુટિલ લિપિ કહે છે. આ સમય દરમિયાન હલન્ત અક્ષરને ચાલુ પંક્તિમાં સરખા કદમાં લખવામાં આવતો અને નીચે જમણી બાજુ જતી ત્રાસી રેખા ઉમેરવામાં આવી.
આ સમયગાળા દરમ્યાન મધ્ય એશિયાની “gyzyl'ની ગુફામાંથી કુમારલાતની “કલ્પનામડિતિકા' ની તાડપત્રીય હસ્તપ્રત (ઇ.સ ની ૫ મી સદી) ગુખકાલીન બ્રાહ્મી લિપિની મળી છે. એમાં પહોળી કલમના ઉપયોગને લઇને શિરોરેખા સળંગ ઘાટી છે. નીચે જતાં પહોળી થતી ઊભી રેખાને છેડે નાની કે મોટી આડી ત્રાસી રેખા કરી તેમાં નીચલા છેડા બાંધી દીધા છે. આને પાદચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે. આ મરડ મથુરા શૈલીનો છે. કર્નલ બોઅર મળેલી ભુર્જપત્ર ઉપરની ઔષધશાસ્ત્રી હસ્તપ્રત (પ્રાયઃ ઇ.સ. છઠી સદી) માં ઘાટી શિરોરેખા ઊભી રેખા નીચે પાદચિન્હો જોવા મળે છે. અક્ષરોના મરોડ રાજસ્થાની શૈલીના છે. ઉદાનવર્ગની સંસ્કૃત હસ્તપ્રત ઇ. સ.ની ૭ મી સદીમાં કુચામાં પ્રચલિત બ્રાહ્મી લિપિમાં લખાયેલી છે. હોર્યજી (જાપાન) ના મઠમાં સચવાયેલી ઉપણીષવિજયધારિણી’ ની તાડપત્રીય હસ્તપત્ર ઇ.સ ની ૮ મી સદીની છે એના અંતે આ સમયની પૂરી વર્ણમાળા આપવામાં આવી છે ૧૬ સ્વરો, ૩૩ વ્યંજનો અને ક્ષ તથા ૭ જેવું મંગલ ચિહ્નો પ્રયોજાયાં છે. હલન્ત અક્ષરોની નીચે જમણી બાજું ત્રાસી રેખા કરેલી છે.
ગુજરાતમાં મૈત્રકકાળ દરમ્યાન અગાઉ જે અક્ષરોને મથાળે શિરોરેખા નહોતી થતી તેના મથાળે હવે શિરોરેખા ઉમેરાવા લાગી. ઉ.ત.8 જ ક ગુર્જર રાજાઓના હસ્તાક્ષરો ઉતરી શૈલીની લિપિમાં લખાયાં. અંતર્ગત સ્વરચિહ્નો નાગરીની સમકક્ષનાં બન્યાં, અંતર્ગત “એ' ના સ્વરચિહ્ન પડિમાત્રા સ્વરુપે લખવાનું વલણ વધ્યું છે. સંયુક્તાક્ષરોમાં બંને વ્યંજનોની ઉચાંઇ સરખી જોવા મળે છે. અક્ષરોનોં મરોડ ગોળ છે. ડૉ. બૂહ્યર અને ઓઝા આ
For Private and Personal Use Only