________________
જૈનધર્મ વિકાસ.
શીયળની સઝાય.
(રાગ આશાવરી)
મહિમા અપરંપાર શીયળ, મહિમા અપરંપાર; બ્રહ્મચર્ય વ્રત ધાર તું પ્રાણી, મહિમા અપરંપાર ...શીયળનો. ૧ મદન રાજની માયા ભારી, પળમાં કરે વિકાર જેણે એ દુશમનને, જાયે તરી સંસાર...શીયળને. ૨ વિજય શેઠને વિજયા નારી, યૌવન વય ઘર નાર; બ્રહ્મચર્ય વ્રત આચરી જેણે, સફળ કર્યો અવતાર...શીયળનો. ૩ સીતા સુભદ્રા ચંદનબાળા, શીયળવંતી નાર; એ સતીઓના અનુપમ ગુણને, ગાયે સહુ નર નાર...શીયળનો. ૪ વિષય વમળમાં જે જન ફસીયા, ભુલ્યા સત્ય વિચાર જ્ઞાની પણું અજ્ઞાની બનીયા, આખર થયા ખુવાર...શીયળો. ૫ મુંજ અને મહા બળીઓ રાવણ, લંકાને સરદાર; પરસ્ત્રીમાં કામાંધ બની, રેલાયા રણ મેજરશીયળો. ૬ સૌવન વણ જે કાયામાં, શું રાખે છે પ્યાર મૂરખ વિચારી જોતું આખર, એ છે નરકાગાર ...શીયળને. ૭ ઘરડા છતાં ઘેડે ચડવાને, જે થાયે તૈયાર; એવા નીચ લંપટ કામીની, ધી ધીફ ધીક અવતાર...શીયળને. બની પૂજારી વાસના કેરા, ભૂલે પ્રભુને પ્રાર; પશુ પક્ષી સમ જીવન વિતાવે, થાયે ભૂમી પર ભાર ...શીયળને ૯ તપગચ્છ નાયક નેમિસૂરિ, વિજ્ઞાન સૂરિ હિતકાર વાચક કસ્તુર ગુરૂને પ્રીતે, પ્રણમી વાર હજાર શીયળને. ૧૦ ચંદ્રકાંત કપુરચંદ કાજે રચના કીધી સાર; ચોમાસું રહીને વલશડે, યશોભદ્ર અણગાર ...શીયળને. ૧૧