SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સને ૧૯૬૮-૬૯ રાજ પૂરે થયેલે છે, એ અંગે રૂલ નં. ૩૬ (૧) ના નિયમને અધીન રહીને આકારણીમાંથી મહેમલ-માફીથી માગણી કરવા સરકારશ્રીને વિનંતિ કરવાને તા. ૧૨-૧-૧૯૬૮ની બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો હતે. તદનુસાર અરજી કરવામાં આવી છે. તિથિઓની ઉજવણું અને પૂજા - શ્રી રામાનંદજીની અને અંબાબાઈની તિથિઓ (જેઠ સુદ ૮ અને ફાગણ વદ ૮) કોર્ટની યોજના મજબ, દર વર્ષની માફક હેવાલવાળા વર્ષ દરમ્યાન ઊજવાઈ હતી તથા પ્રતિષ્ઠાના દિવસે, શિવરાત્રિના દિવસે તેમજ શ્રાવણ માસમાં રુદ્રાભિષેક સહિત મહાપૂજા વિધિપૂર્વક કરવામાં આવી હતી. | શ્રી બ્રહ્મચારીશ્વર મહાદેવની, શ્રી શાતિનાથ મહાદેવની તથા શ્રી પંચનાથ મહાદેવની બારે માસ યથાવિ છે પૂજા, એ માટે ખાસ રાખેલા ત્રણ પૂજારીએ મારફત, વર્ષ દરમ્યાન નિયમિત રીતે કરાવવામાં આવી હતી. | પ્રવૃત્તિઓ શ્રી બ્રહ્મચારી વાડી ટ્રસ્ટની પ્રવૃત્તિઓમાં (૧) મંદિર નિભાવવાની તથા સાચવવાની અને (૨) ભારત ય સંસ્કૃતિના અભ્યાસને અવકાશ આપે તેવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ એ બે મુખ્ય છે. આ બંને પ્રવૃત્તિઓનું એચ સંચાલન કરવાના ઉદ્દેશથી એને બે ભાગમાં વ્યવસ્થિત કરવા અને એના વિદ્યાવિભાગમાં બ્રહ્મચારી વાડી સંસ્કૃત પાઠશાળા, શ્રી હ. કા. આર્ટસ કે લેજ, શ્રી ભો. જે. વિદ્યાભવન અને બ્રહ્મચારી વાડી કોમર્સ કોલેજ અને એવી બીજી જે કોઈ શૈક્ષણિક પ્રવૃત્તિઓ ભવિષ્યમાં કરવામાં આવે તે મૂકવા અને એ વિદ્યાવિભાગને “ શ્રી રામાનંદ વિદ્યાવિભાગ” એવું નામ આપવા શ્રી બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ સમિતિએ ઠરાવ્યું હતું, તે મુજબ શ્રી રામાનંદ વિદ્યા-વિભાગની શૈક્ષણિક સંસ્થાઓના કાર્યો સંજન કરવા તથા એને વિકસાવવા એક સંજન સમિતિ, કો-ઓપ્ટ કરવાની સત્તા સા. નીમવામાં આવી હતી, જેના સભ્યો હાલ નીચે મુજબ છે: ૧. પ્ર. કિલાલ છોટાલાલ પરીખ (મંત્રી, બ્રહ્મચારીવાડી સમિતિ). ૨. ડો. હરિપ્રસાદ સં. શાસ્ત્રી (ઉપાધ્યક્ષ ભો. જે. વિદ્યાભવન). ૩. શ્રી. નાગરદાસ કા. બાંભણિયા (આચાર્ય, બ્રહ્મચારી વાડી સંસ્કૃત પાઠશાળા) ૪. આચાર્ય ધી યશવંત પ્રા. શુકલ (આચાર્ય શ્રી હ. કા. આર્ટસ કોલેજ અને સહાયક મંત્રો.) ૫. લેફ. કેન લ શ્રી બલવંતરાય જી. ભટ્ટ (સભ્ય અને માનાર્હ મંત્રી, બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ સમિતિ) ૬. શ્રી. જે લાલ જીવણલાલ ગાંધી (તા. ૬-૧૨-૬૮ સુધી સહાયક મંત્રી. તરીકે ત્યારબાદ નિવૃત્ત થયેલ છે.) બહ્મચારી વ ડી ટ્રસ્ટના ઉદેશ અમલમાં મુકાય અને એ દિશામાં વધારે પ્રગતિ થઈ શકે એ હેતુથી સંત સાહિત્ય, દર્શનશાસ્ત્રો, ધાર્મિક ગ્રંથ વગેરેનાં સંશોધન અને અનુવાદ કરાવવાની તથા એ પ્રકાશિત કરવાની વ્યવસ્થિત યોજના હાથ ધરવામાં આવી છે; અને શ્રી બ્રહ્મચારી વાડી ટ્રઃ નાં નાણાંમાંથી સંસ્કૃત ગ્રંથમાળા યોજવા અને એને “રામાનંદ સંસ્કૃત ગ્રંથમાળા’’ –“ Ramanand Sanskrit Series” એવું નામ આપવાનું
SR No.522414
Book TitleBuddhiprakash 1969 08 Ank 08
Original Sutra AuthorN/A
AuthorYashwant Shukl, Madhusudan Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1969
Total Pages88
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy