SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાત વિદ્યાસભાને અહેવાલ ૧૧ શ્રી બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ સમિતિની તા. ૨૪-૧૧-૧૯૬૧ ના બેકમાં ઠરાવ્યું છે. આ રામાનંદ સંસ્કૃત સિરીઝના મુખ્ય સંપાદક-General Editors cરીકે છે. રસિકલાલ છોટાલાલ પરીખ અને પ્રો. ડોલરરાય ર. માંકડને નીમ્યા છે. આ સિરીઝમાં સૌ પ્રથમ શ્રીમદ્ભાગવતનાં સંશોધનને અને સંપાદનને આગળ ચલાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે અને એ કાર્ય ચાલુ છે. આ માટે પ્રો. ડૉ. હરિપ્રસાદ ગં. શારીને જાન્યુઆરી ૫, ૧૯૬૨ થી નીમી એમને રામાનંદ સંસ્કૃત સિરીઝના સંચાલક તરીકે તે શ્રીમદ્ભાગવતના મુખ્ય સંપાદક તરીકે કામ કરવા મૂક્યા છે. એ પ્રા. નાગરદાન. કા. બાંભણિયા, પંડિત ચિમનલાલ જગજીવનરામ પંડ્યા અને શ્રી વિભૂતિબહેન ઘા ખાનના સહકારથી કામ કરી રહ્યા છે. આ અંગેના કામકાજને અહેવાલ અન્યત્ર આપ્યા છે. ટ્રસ્ટનાં મકાને અને જમીન ટ્રસ્ટની ઘીકાંટે આવેલી જમીનમાં “હરદ્વાર' માને છે તેમને કેટલોક ભાગ ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલને ભાડે આપો છે. એમની સાથે થયેલા ભાડાપ ની શરત મુજબ હિંદ સંરકતિનું જ્ઞાન તથા હિંદુ ધર્મવિષયક પ્રવચન-ગીતાજી ઉપર બગર ઉપનિષદનુંદરરોજ નિયમિત રીતે હાઈસ્કૂલના મકાનમાં તેઓ આપે એમ ઠરાવેલું છે. આ રીતે આર્યવની ભાવના જનતામાં સદા-સર્વદા નચત રહે એ માટે બ્રહ્મચારી વાડી સમિતિ પોતાનાથી બનતા પ્રયાસ કરી રહી છે. ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલ તરફથી વર્ષ દરમિયાન નિશાળના મુખ્ય મકાનના રૂ. ૧,૦૬૦, જમીનના રૂ. ૧૨૫ તથા નવા બ ધેલા ચાર ખંડના રૂ. ૨૪૦ મળી કુલ રૂ. ૧,૪૨૫ માસિક ભાડા તરીકે મળ્યા છે. થયેટરની જમીનને ભાડાપટ્ટો જે તા. ૨-૧-૧૯૪૮ થી પંદર વર્ષ માટે કરવામાં આવેલ તે લંબાવવો કે નહીં તેની વિચારણા ચાલે છે. આ ઉપરાંત ચાલી તથા દકાનોના ભાડાની વાર્ષિક આવક રૂ. ૫,૬૦૦ જેટલી આવે છે. હરદ્વાર દુકાનોના ભાડાની વાર્ષિક આવક લગભગ રૂા. ૧૧,૦૦૦ થાય છે. વિકટોરિયા ગાર્ડન પાસે આવેલા પંચનાથ મહાદેવની ટ્રસ્ટની જમીનમાં સ્વ. બાબુરાવ કે. મહેતાના સુપુત્રોએ આપેલા દાનથી તેમના સ્મરણાર્થે કોલેજની હોસ્ટેલ બાંધવામાં આવી છે. તેમાં ૫૦ વિદ્યાથીઓ રહી શકે તેવી ગોઠવણ કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના વિસ્તારમાં જે જમીન શ્રી બ્રહ્મચારી વાડી ટ્રસ્ટને આપવામાં આવી છે, તે જમીન શ્રી. હ. કા. આર્ટસ કોલેજને અને બ. વા. કોમર્સ કોલેજને રમતગમતના ઉપયોગ માટે આપી છે, તેનું વાર્ષિક ભાડું રૂ. ૧૦,૮૦૦ મળે છે. એલિસબ્રિજ વિસ્તારમાં નેહરુ પૂલ નજીક ર. છે. માર્ગ ઉપર ટ્રસ્ટ તરફથી બંધાવેલા મકાનના વર્ષ દરમિયાન વાર્ષિક ભાડાના રૂ. ૫૮.૫૬ મ હતા. | શ્રી બ્રહ્મચારી વાડી ટ્રસ્ટે ભે. જે. વિદ્યાભવનનો વહીવટ સ્વીકારેલો હોવાથી શૈક્ષણિક સંસ્થા શ્રી હરિવલભદાસ આર્ટસ કોલેજ અને ભો. જે. ( ઘાભવન એક સાથે રહે એ દષ્ટિએ શ્રી. હરિવલ્લભદાસ આર્ટસ કોલેજના કમ્પાઉન્ડમાં જે. જે. વિદ્યાભવનનું તમામ કામકાજ જૂન ૧૯૬૦ થી એના નવા બંધાવેલા મકાનમાં કરવામાં આવે છે. સંસ્કૃત પાઠશાળા બ્રહ્મચારી વાડી સંસ્કૃત પાઠશાળા, જે સન ૧૯૬૦ના જૂન મહિનાથી ભે. જે. વિદ્યાભવનના મકાનમાં રાખવામાં આવી છે, તેમાં સંસ્કૃત, વ્યાકરણ, ન્યા, સાહિત્ય, વેદાન્ત,
SR No.522414
Book TitleBuddhiprakash 1969 08 Ank 08
Original Sutra AuthorN/A
AuthorYashwant Shukl, Madhusudan Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1969
Total Pages88
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy