SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ : : બુદ્ધિપ્રકાશ - પાના ક્રમ બદલવાની – વ્યુત્ક્રમની – છૂટ હેાય છે તે લેવાની બાબતમાં. એ બંનેના ફકરાઓ સળંગ ગદ્યરૂપે પણ વાંચી શકાશે, જે ઉપરથી કેટલીક વાર એવું લાગે છે કે ‘વનવેલી' એટલે સેાળ સેાળ અક્ષરની પક્તિમાં છાપેલું ગદ્ય (જેમાં સેાળ અક્ષરે શબ્દ તૂટલા ન હેાય અથવા તેા નવું વાકય એકી અક્ષરથી શરૂ થવું જોઈએ એવું શ્રી કેશવ હર્ષોંદ ધ્રુવ જે એકમાત્ર લક્ષણ આપે છે તે સચવાયું ઢાય). ઈંગ્રેજી બ્લેન્ક વસ સુધ્ધાં પણ વ્યુત્ક્રમ રચના કબૂલ રાખે છે' એમ સ્વીકારવા છતાં શ્રી કેશવ હર્ષદ ધ્રુવ આ પાઠય પદ્યમથી વ્યુત્ક્રમને દૂર રાખવા કહે છે. ઉપરાંત પ્રાસને વનવેલીમાં સ્થાન નથી' અને ‘ઝડઝમક એમાં પ્રાયઃ ન જોઈએ' એમ એ આગ્રહ રાખે છે. પણ પાષ પદ્ય એ પદ્ય છે એ ભુલાવું ન જોઈ એ. રંગભૂમિ માટેના–એલચાલના લય ઝીલી શકે પાઠય પદ્યના પ્રશ્ન હમેશાં એ છે કે ગદ્યના સીમાડાઓ પર એ ચાલી શકે એવું હાય તે છતાં ભાવાવેકની એવા શે ૫'ખાળા ઘેાડાની પેઠે ઊડી શકે એવું એ હેવું જોઈએ. એની ઉપર ગદ્યની બધી મર્યાદાએ લાદવામાં એની શકયતાઓ કુંઠિત કરવા જેવું થાય. ૧૯૫૩ માં ‘કવિતા અને નાટક'માં ટી. એસ. એલિયટે સ્વાનુભવ ક્યો કે મર્ડર ઇન ધ કૅથેડ્રલ'માં પાતે વધુ પડતા આયમ્બિકના ઉપયેગથી દૂર રહેવાનું, જરીક વધુ સગાઈ યાજવાનું અને પ્રસંગોપાત્ત અણુધાર્યાં પ્રાસ અપનાવવાનું રાખીને ૧૯મી સદીનાં પદ્યનાટ્યો, જેમની મુખ્ય મુશ્કેલી તખ્તાવિષયક આયેાજન અંગેની નહિ પણ નાથ્યોચિત વાણી અંગેની હતી, તેમની ક્ષતિથી બચ્યા હતા. પદ્ય નાટકના પ્રયાગ મે’ કર્યાં નથી. પણ નાટ્યોચિત ઊર્મિઓના આલેખનના આત્મકથન, સંવાદ, એકાંકી સુધી પહેાંચવા કરતા સંવાદ, આદિ પ્રકારો અજમાવવા પ્રયત્ન કર્યાં છે. એ પ્રકારોમાં આપણા બે મુખ્ય પ્રવાહી છંદ અનુષ્ટુપ અને પૃથ્વી ચાજી જોયા છે, પણ ‘વિશ્વશાંતિ' અને ‘નિશીથ'ના મિશ્રોપતિ મને, કંઈ નિહ તા મારા પૂરા, વધુ અનુકૂળ લાગે છે. મિશ્રાપજાતિમાં પી જા, પી જા, કણ', એ રાષ પી જા!' જેવામાં Jain Education International મેલચાલના લયના સ્પંદનને પદ્યમાં ઉપસાવી શકાય છે, તે છતાં એ ત્રણે છંદ રંગભૂમિ ઉપર ઉચ્ચારવા માટેના, પાઠય, પદ્યવાહન તરીકે સ્વીકા નથી જ. જ્યારે ‘વનવેલી'ની શકયતાએ વિચારવા જેવી – ખીલવવા જેવી છે. યુધિષ્ઠિર સ્વર્ગ'માં એકલા જાય છે અને પેાતાનાં સ્વજના સિવાય સ્વર્ગમાં રહેવાની ના પાડે છે, બલકે તેઓ જ્યાં હૈાય ત્યાં જઈ રહેવા માગણી કરે છે, એ પ્રસંગ, જેમાં નરા વા કુંજરા વા વાળા એમના અસત્ય થનની શિક્ષા પણ આવી જાય છે, તેનું આલેખન ‘વનવેલી' છંદમાં મેં યુ` છે, તેમાંથી નરકવાસી સ્વજનેને એ મળે છે તે ભાગ રજૂ કરું છું. તે બધાને નરક મળ્યાથી સુષ્ઠિરને અચંભે થાય છે તે કરતાં યુધિષ્ઠિરને નરકને સીમાડે આવવું પડયુ. એથી એ સૌને વધારે અચંબા, ખલકે આષાત, ચાય છે. અવાજો જય હૈ મહાનુભાવ I યુધિઃ કાણુ છે સૌ તમે? કૈક સ્વર મે' તે પરિચિત સુણ્યા કે શું? કાણુ છે. સૌ અવાજો હું છું ભીમ ? ... અર્જુન હું...! ... હુ' દ્રુપદકન્યા !...હું કહ્યુ ...તે હું સહદેવ 1... નકુલ હુ`....ધૃષ્ટદ્યુમ્ન, અભિમન્યુ અમે દેવ ! યુધિ : તમે અહીં પુણ્યશાળી! ધર્મયુદ્ધ વિશે દેહ ખેરવી ધસ્યા'તા સ્વગ પથે જે ઉમ‘ગભેર ? અવાજો ; અમે સૌ પાંડવ! અમે દ્રૌપદેયા !... પાંચાલા સૌ અમે ...... યુધિ॰ : તમે અહીં!!... અવાજ : ધમરાજ, તમે યે તે અહીં ?!... ગમે તેા છે બહુ સાદ તમારા તે સાન્દ્ર સ્નિગ્ધ, કરુણુાવંત, ગમે બહુ છે સુગંધ જેહ શીલવંત અંગ અંગથી સ્રવંત અમ ભણી; ગમે છે તે હૂંફ મહાવિરલ જે રેલી રહ્યા સ્વય' અહીં ઉપસ્થિત થઈને;-અહીં અગાધ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.522252
Book TitleBuddhiprakash 1955 02 Ank 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1955
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy