________________ BUDDHI PRABHA-CAMBAY Regd. No. B. 9045 બુદ્ધિમભા” વાંચવાને આગ્રહ રાખે :બુદ્ધિપ્રભાએ માત્ર કા જ ગાળામાં અપ્રતિમ પ્રગતિ સાધી છે. ધીમે ધીમે પણ એક પછી એક ડગલું માંડતાં આજ એ મકકમ પગલાં ભરી રહ્યું છે. માત્ર બે જ વરસના અતિ અ૯૫ ગાળામાં જૈનેતર સાહિત્યમાં પણ ભાગ મૂકાવે એવી વાચનસામગ્રી એ આપે છે. ચિંતન કણિકા...(લે. મૃદુલ) જૈન સમાજના બધા જ સામયિકેમાં એક નવી જ ભાત પડતા આ વિભાગ છે. આકર્ષક ને જોશીલી, કાવ્ય પંકિતઓ જેવી જ્ઞાનની, વિચારની, ચિંતનતી જીવનની સમજની એની તેજ કણિકાઓ આ વિભાગમાં નિયમિત આવે છે. ઊધડતા પાને જ એ વાંચે. ગંગાના ઓવારેથી...(લે. શ્રીમદ્ બુદ્ધિસાગરજી) પૂજ્ય ગુરૂદેવે એમના જીવનમાં અઢળક સાહિત્યની સર્જના કરી છે. ચિંતનાત્મક ને અભ્યાસી સાહિત્યના અનેક અંગોને એમણે અજવાળ્યા છે. કર્મ, યોગ, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, પત્ર, ચરિત્ર, ગઝલો છે. અનેકવિધ સાહિત્યાંગની એમણે સાધના કરી છે. એમની સર્જના એ ગંગાના નીર જેવી પવિત્ર, વહેતી અને નિર્મળ છે. દર અકે ગુરૂદેવના એ ગંગાજળનું આચમન કરે. ગાતા ફુલ...(લે, મૃદુલ) જૈન સામયિકોમાં તદ્દન નવી જ ભાત પાડતા વિભાગ ! ભ, મહાવીરના જીવન પ્રસંગેનું અભિનવ શૈલીથી આલેખન કરતો એક નિરાળા જ વિભાગ ! એક એક પ્રકગની એવો આકર્ષક ને મનોરમ્ય ગુથણી થ ય છે કે કોઈ ગીત ગણગણીએ તેમ એ ગદ્યમીતે વાંચા જ કરીએ. ઉદાત્ત કલ્પનાઓથી સભર, રસળતી શૈલી અને સંગીત મધુર શબ્દોમાં આ ગાતા ફુલેનું ગાયને જરૂર સાંભળે. અને આ ઉપરાંત સુંદર વાર્તાઓ, જ્ઞાનસભર લેખે અને શાસન સમાચાર નિયમિત આવે છે. છતાંય બુદ્ધિપ્રભા'નું લવાજમ શું છે એ ખબર છે ? I : : લવાજમના દર : : પાંચ વરસના ગ્રાહકના રૂા. 13 : 00 બે વરસના ગ્રાહકના રૂા. પ : 50 ત્રણ ; ;; રૂા. 8 : 00 એક ) , માત્ર ત્રણ રૂપિયા બુદ્ધિપ્રભા”ની એ ફેસના તમામ કામ માટે નીચેના સરનામે પત્રવ્યવહાર કરવા : બુદ્ધિપ્રભા કાર્યાલય Co શ્રી. જસવંતલાલ ગીરધરલાલ શાહ 3094, ખત્રીની વાડી, દોશીવાડાની પાળ, અ મ દા વા દે, આ માસિક માણેકલાલ હરજીવનદાસ શાહે “ગુજરાત ટાઈમ્સ” પ્રિન્ટીંગ પ્રેસ નડીઆદમાં છાપ્યું અને તેના પ્રકારાક બુદ્ધિપ્રભા સંરક્ષક મંડળ વતી હિંમતલાલ છોટાલાલે ત્રણ દરવાજા ખંભાતમાંથી પ્રગટ કર્યું.