SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ બુદ્ધિપ્રભા. આસ્ટવના પ્રધાન લક્ષણ માટે મતભેદ નથી, છતાં જુદા જુદા લેખકોએ જુદી જુદી પદ્ધતિએ જણૂદાં જુદાં દષ્ટિબિંદુ લઈ આમ્રવના વિષયને ચર્યો છે. હવે જન સાહિત્યમાં સંવરના વિષયને જે રીતે ચર્યો છે તે પર આવીએ. પ્રશ્ન વ્યાકરણ અને સ્થાનાંગમાંથી સંવરની વ્યાખ્યા આપણે આપી ગયા છીએ. હવે મૂળ ઉક્ત ગ્રંથમાં સંવરના પાંચ પ્રકાર નામે અહિંસા, સત્ય, અચાર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આપેલા છે, ત્યારે ત્યાર પછીના ગ્રંથમાં તે ભેદના અનેક પ્રભેદે ગણવેલા છે–દાખલા તરીકે અભયદેવસૂરિએ કહેલ છે કે સંધરના પ્રકારોમાં પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, દશ ધર્મ, બાર અનપેક્ષા, બાવીસ પરિપત્ર અને પાંચ ચારિત્ર છે. ઉમાસ્વાતિએ પણ સંવરના તેજ ભેદ કહેલા છે ( ર પુર-સમિતિ-ધઅ ક્ષા પરિષદ કથ વ -તત્ત્વાર્થ સૂત્ર ,૧.] અમૃતચંદ્રસૂરિએ પણ નીચેના શ્લોકમાં તે જ પ્રમાણે કથેલું છે? गुप्तिः समितयो धर्मः परीषहजयस्तपः । अनुप्रेक्षाश्च चारित्रं सन्ति संवरहेतवः॥ –તત્ત્વાર્થસાર ૬,૩. સ્વામી કાર્તિકેયે પણ તેવાજ ભેદ સ્વીકાર્યા છે. સંવર પણ અસવની પેઠે બે મુખ્ય ભેદ નામે દ્રવ્યસંવર અને ભાવસંવરમાં વહેચવામાં આવેલ છે. અભયદેવસૂરિના કથન પ્રમાણે જલ ઉપરની હોડીમાં જલને આવવા દેનારાં છિદ્ધનું બંધ કરવું તે દ્રવ્યસંવર છે, અને જીવનમાં કર્મરૂપી જલ ઇંદ્રિયદિરૂપી છિદ્રોદારા પ્રવેશ કરતું સમિતિ આદિથી અટકાવવું તે ભાવસંવર છે. દ્રવ્યસંગ્રહ અને વર્ધમાન પુરાણમાં વ્યસંવર અને ભાવસંવરથી અનુક્રમે વ્યાસ્ત્ર અને ભાવાઝવ અને ભાવાસ્ટિવને નિરોધ થાય છે એમ જણાવેલું છે. દ્રવ્યસંગ્રહમાં સંવરના સત્તાવન ભેદ પણ પાંચ વધુ સાથે જણાવેલા છે. કે જેનો વિસ્તાર દ્રવ્યસંગ્રહમાં જોવામાં આવશે. તત્વાર્થસૂત્રમાં પણ તે છે કે જેને નીચે પ્રમાણે વહેચેલ છે. ૧. “ન સમિતિ-રિ-ય -વ-વરિત્ર: મેન વંજ-2––ાર द्वाविंशति-पंच-भेदः । आ६ च 'समिई-जुत्ता-धम्मो-अणुपेह-परीसहा--चरितं व सत्ताव (૫૭)–મેચા તિજમેયરૃ સંવતિ | २, गुप्ती समिदी धम्मो अणुवेक्खा तह परीसहजओ वि । उकिहुंचारितं संवरहेडू विસેળ –સ્વામી કાઢ્યાનુપ્રેક્ષા ૮, ૯૬. ૩. “થવા ચર્ દ્વિધા, દ્રવ્યો માવતી ? તત્ર તો ગમgnત ના નવરત-- प्रविशजलानां छिद्राणां तथाविधद्रव्येण स्थगनं संवरः । भावतस्तु जीवद्रोण्यामाखवत्-कर्म जलानामिन्द्रियादि-छिद्राणां समिखादिना निरोधनं संवर इति । ४. चैतन्यपरिणामो यो रागद्वेषातिगो महान् । कम्मास्रवनिरोधस्य हेतुः स भावसंवरः ॥ द्रव्याखवनिरोधो यः क्रियते येन योगिभिः महाव्रतादि सद्ध्यानै द्रव्यास्थ: स सुखावहः ॥ –વદ્ધમાન પુરાણ, ૧૧, ૬૭–૧૮. ५. बदसमिदिगुत्तीओ धम्माणुपहा परीसहजओ य ।। ચાં વહુયા વખ્યા માવર્ષાયા સમહ ગાથા. ૩૫.
SR No.522090
Book TitleBuddhiprabha 1916 10 11 12 SrNo 07 08 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy