SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ બુદ્ધિપ્રભા. મેહતા –કલા જમીન ફલાણાની એવું ઠરથી જમીનના ધણીનીજ સંપત્તિ વધે છે એવું નથી; પણ તેની સાથે સઘળા લોકોની સંપત્તિ વધે છે. સંપતિ વધારવાના ઉપાય જમીનજ છે. તે જેની પાસે હોય તેનાજ હકમાં તેનું રક્ષણ થયું એટલે ઉદ્યોગને જીવ આવે છે, ને જોર વધે છે, એ વિચાર નવેજ સ્પન્ન થયે છે. જંગલી લેક એમ સમજે છે કે, જમીન ઉપર અમારી સધળાની સત્તા એક સરખી જ છે, ને એવી સમજણથી તેઓ જમીનને વહિવટ કરે છે, પણ ફલાણાની ફલાણી તેનું રક્ષણ ફલાણાએજ કરવું એમ તેઓમાં નથી. ગામડામાંના ખેડતના માલનું રક્ષણ થાય છે, વાસ્તેજ તેઓ તે જંગલી લોકોના કરતાં સુખી છે. ગોપાળ–કાયદે થયા થકી માલનું રક્ષણ થાય છે, વાતે કાયદો અને ઉપયોગી છે, તથા તેથી કઈ ગેરવાજબી થવાનું નહિ. • મહેતાજી–નહિ થાય, એમાં શું કહેવું, કોઇ પણ કાયદો છે, પણ તે સર્વને ઉપયોગી છે કે નહિ, એ ઉપરથી જ તે વાજબી છે કે ગેરવાજબી છે એ સમજવું. માણસ કહ્યું એટલે તેને છુટાપણું ગમે છે, એ તેને સ્વભાવજ. એવું જે સ્વાભાવિક છુટાપણું તેને અટકાવ કર્યા વગર કોઈપણ કાયદો હેત નથી. કાયદે આવો અટકાવ કરે છે, સબબ કોઈને તેને કંટાળો આવતા હશે ખરો, પણ જે કાયદાને અટકાવ ન હોય તે માણસના જીવનું, માલનું તથા આબરૂનું અને છુટાપણુનું પણ રક્ષણ થવાનું નહિ; એવું માલુમ પડ્યું છે. વાસ્તુ માણસને પિતાના છુટાપણાને કેઈક ભાગ કાયદાને આપ તે પડે છે, પણ તે લઇને તે તેમના બાકીના છુટાપણુને રાખે છે, તથા રક્ષણ થયાથી જે સુખં થાય છે તે પણ રાખે છે. તહેવાર નિયમના જે કાયદા છે તે ઉપર બ્લાકેરોટોન કરીને એક સાહેબ થઇ ગયે. તેણે ટીકા કરી છે, તેમાં એવું લખ્યું છે કે જે કોઈ માણસ દુનિયાદારીમાં આવે છે, તે તેનું આવવું માલ વેચાત લેવા જેવું છે. તે માલની કીમતને બદલે તેને પોતાના સ્વાભાવિક છુટાપણાને કંઈક ભેગ આપે પડે છે, અને કોની સાથે વહેવાર કીધાથી જે લાભ થવાના તે મળતર ઉપર ધ્યાન આપીને તેને તે લોકોએ ઠરાવેલા કાયદા પ્રમાણે ચાલવું પડે છે. કેમકે પિતાની મરજીમાં આવે તે પ્રમાણે કરવાને કોઇનો અટકાવ ન જોઈએ એવું સુજ્ઞના મનમાં તે કદી આવવાનું નહિ, એકે મરછમાં આવે તેમ કરવું ત્યારે પછી બીજાએ તેમ કાં ન કરવું? એમ કરીને સધળાજ પિતપોતાની મરજી પ્રમાણે કરવા લાગ્યા તો પછી લોકોના કેઈપણ સંસાર સુખનું રક્ષણ થવાનું નહિ, એવું છે વાતે, દેશવ્યવહાર અથવા જનવ્યવહાર સ્વતંત્ર્ય એટલે લેકામાંના પ્રત્યેકનું છુટાપણું તે માણસના કરેલા નિયમની અદબમાં રાખવું પડે છે, પણ સદરહુ છુટાપણાને તે અદબ જેટલી જરૂરની છે તેટલી જ રાખી છે. રૈયત પિતાની મરજીમાં આવે તે પ્રમાણે ચાલવાને મુષ્નિઆર છે, પણ જે બાબતમાં તેમણે હુકમ અથવા મના પાળવી જોઈએ તે બાબતમાં જ તેમને મના જોઈએ એવું જે કાર્ય દાઓમાં લખેલું હોય, તેજ કાયદા લોકોનું છુટાપા સખવાને યોગ્ય છે. ગોપાળ–મહારાજ, ફલાણે ફલાણને સ્થાવર માલ એવું ઠરાવનારા કાયદાથી લેકેનું ખોટું થશે, એવી જે મારી શંકા હતી, તે સઘળી તમે મટા. હવે સંપત્તિ તથા સુધરાવટ વિશે આપે આપનું બોલવું ચલાવવું. મહેતાજી– આપણે હળવે હળવે ચાલવું જોઈએ, કાકે સુધરાવટનાં પગલાં એક પછી એક એમ હળવે હળવે પડતાં ગયાં છે. માણસની બુદ્ધિને ઉદય થાય છે. ઉદ્યોગ ચાલવા
SR No.522090
Book TitleBuddhiprabha 1916 10 11 12 SrNo 07 08 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy