SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ સંપત્તિની ઉત્પત્તિનાં મુખ્ય કારણ. ૨૧૮ ગોપાળ–મહારાજ, જેવાં તમે સંપત્તિ પન્ન કરનારાં કારણે કહ્યાં, તેવાંજ તમે ઉપકારણે પણ કહેશેજ, પણ તે સાંભળી લીધાની આગમજ મને એક શંકા ઉપજી છે તે હું કહું છું કે તમે તે સંપત્તિને ઉત્પન્ન કરનારાં કારણે ઘણું તરેહનાં કહે છે, પણ મને તે લાગે છે કે, ઉગ એજ સંપત્તિને ઉત્પન્ન કરનારું કારણ છે, કેમકે તેનું રૂપુંજ લઈએ તે પણ તેને ખાણ માંહેથી બેદી કહાડીએ ત્યારે તે હાથ લાગે છે; ને એવું છતાં એ સેનું રૂપું મળીને જ સંપત્તિ નથી, તેમાં કંઈ બીજું પણ જોઈએ છે. વારૂ, ઘર લઈએ તો તેને પણ બંધાવીએ ત્યારે થાય છે. અનાજ વગેરે પણ ખેતી ખાતર કરીએ ત્યારે પેદા થાય છે; અને કસબી કારીગર યોક જેઓ તરેહ તરેહની જણસો બનાવે છે, તેઓને પણ કષ્ટ કરવું પડે છે. એ ઉપરથી આવું સિદ્ધ થાય છે કે, કષ્ટ કરવું એજ સંપત્તિ મેળવવાના ઉપાય, ને કથી જ સઘળી સંપતિ પેદા થાય છે. મેહેતાજી–સંપત્તિ ઉત્પન્ન થવાને કષ્ટ કરવું જોઈએ એ વાત હું કબુલ કરું છું. પણ ફકત કષ્ટવડેજ સંપત્તિ પેદા થાય છે એવું નથી કારણકે તું જે, કે જંગલી લોકોને કેટલાં કઈ છે? તેવાં કષ્ટ સારી ખેતી કરનારને પડતા નથી. એવું છતાં એ જંગલી પાસે સંપત્તિ હેતી નથી, અને ખેડુત પાસે અનાજ વગેરેની સંપત્તિ હોય છે. જગલી માણસને જે પિટને સારુ જોઈએ તે મેળવવાને પણ ક્યાં કયાં ભટકવું પડે છે, તે ફરવું પણ કેવળ જીવસટાનું હોય છે. ઘણુંજ સાદાં ઘર, બિલકુલ જાડાં પાતળાં આયુદ્ધ અથવા હથિયારે, અને તેવામાં વળી કઈ બીજું કારણ આવી પડયું એટલે અડચણ પડે છે. એવાં એવાં જગલી લોકોને કષ્ટ પડે છે. તું કહીશ કે સારાં સુધરેલાં માણસોને પણ કષ્ટ કરવું પડે છે, ત્યારે એમ સમજવું કે કઈ તે સઘળાં માણસોની પછવાડે લાગેલુંજ છે; માટે કષ્ટ કરીને નિર્વાહ કર. એ તે આપણે લખાવીજ લાવ્યા છીએ, એવું તે જંગલી ભાણસ જે કષ્ટ કરે છે તેને ફકા પટ જેટલું મળે છે, પણ સારું સુધરેલું માણસ જે કષ્ટ કરે છે તેને સંપત્તિ મળે છે. - ગોપાળ–જંગલીની કળાકુશળતા અને ગમત જે કહીએ તે શિકાર, ઝુપડી બાંધવી, હથિયાર બનાવવાં, અથવા કંઈ સહેજ ઘર ખટલાની ખટપટ કરવી, એ તે તેનાથી ઠીક બનતું નથી, ત્યારે જંગલીને સંપત્તિ તે કયાંથી મળે? વળી જંગલી લો એટલા તો આ ળસુ અને અડાણી હોય છે કે, આપણે કેઇનું આળસપણું અથવા મૂર્ણપણું એ વિષે બોલવું હોય તે આપણે તે જંગલી છે એમ કહીએ છીએ ત્યારે ચપળાઈથી અને હાંસથી મડીને કરવાને જે ઉદ્યોગ, અને જે સુધરેલા માણસથી થાય છે તે, તે જંગલી લોકથી કયાંથી થવાને? મહેતાજી–ત્યારે ભાઈ રે, અનુભવ સહિત જ્ઞાન અને લક્ષપૂર્વક અવલેહન હોય તેમજ સારી રીતે ઉઘોગ થઈ શકે. પછી જે ઉધોગ કરવો હોય તે કર્યો છેતે માંહેથી સંપત્તિ પેદા થાય છે. માટે એ ઉધોગ જંગલી લોકોમાં વધારે, તેઓનું આળસ ઉરાડીને તેમને જાગૃત કરીને તેમને ધીરજ આપવી, અને એક સરખી મહેનત કરવાની તેમને ટેવ પડે એવી આશા આપવી; કેમકે માણસને સ્વભાવ એ છે કે તેને આળસ સારૂ લાગે, ને ઉગ કર્યો એટલે તે છાતીતે કામ કરવું જોઈએ, ને એવી છાતી તોડ મહેનત તે જ્યારે તેવીજ લત લાગે છે ત્યારે થાય છે. સુધરેલા લોકે ઘણું ઉઘોગી હોય છે, પણ તે ઉદ્યોગ કરવાની ટેવ તેમને સારી પેઠે શિખ્યાથી પડે છે, કંઈ પિતાની મેળે જ પડતી નથી. તેઓને પટપુર અન્ન અને અંગ કંકાય તેટલાં લુગડે, એટલાની ઈચ્છા નથી હોતી, પણ અનેક
SR No.522090
Book TitleBuddhiprabha 1916 10 11 12 SrNo 07 08 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy