SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ બુદ્ધિપ્રભા કાલ્પનિક ચિત્ર ચિતર્યા છે. “ફીસ” માં આત્માને થવાહકનું રૂપ આપવામાં આવ્યું છે. રથવાહક એ પાંખવાળા હય (ચેતન અને સુધા) થી પ્રેરિત થાય છે. એ રથ દેવોની સ્વારીમાં જોડાય છે. સ્વર્ગમાં આક્રમણ કરતાં “સ્વર્ગ કરતાં ઉચ્ચ રથાન” તરફ એએ જાય છે. ત્યાં શાશ્વત અને અહીં વિચારે સંપૂર્ણ શુદ્ધતામાં સ્થાન કરી રહે છે. જે આત્મા સંયમ રાખી શકતા નથી તે પૃથ્વીએ પડે છે, “પાંખ ખુએ છે અને મર્યદેહમાં રૂપ ધારણ કરે છે; જે દૈવી મહેલમાંથી એ આવ્યો તેનું વિસ્મરણ થાય છે. એની સંભારણા સૌદર્યથી જગાવી શકાય. સદના સ્નેહને એગ્ય રીતે પિવાથી પ્રજ્ઞતાને સ્નેહ ઉત્પન્ન થાય છે, તેમજ અન્ય ઉચ્ચ અને શુદ્ધ વસ્તુઓને પણ સ્નેહ ાપ્ત થાય છે, આત્માની “પ” આ પ્રમાણે ફરીથી આવવા માંડે છે. પૃથ્વીનું એક જીવન પૂરું થતાં, દેડનાં સારા નરસાં પાપનાં પ્રતિફળ પામવાનો સમય પ્રાપ્ત થાય છે, અને એ પૂરું થતાં નવીન દેહ-જીવનની પસંદગી થાય છે. પ્રજ્ઞતાના સનેહીનું ઉચ્ચ જીવન એક પછી એક એમ ત્રણ વાર જે આત્મા જી હેય હેને પાછળથી સ્વર્ગીય વસ્તુઓ સાથે વ્યવહાર રાખવા દેહથી અસંબંધ રાખવામાં આવે છે. અન્યને માટે દશ હજાર વર્ષની યાત્રાની આવશ્યકતા ગણવામાં આવી છે. આ યાત્રા પછી જ આમા સંપૂર્ણ પાંખ” વાળો થાય છે, અને સ્વર્ગમાં પ્રથમને સ્થાને પહોંચે છે. પ્રતિકળને સમય પૂરો થતાં રૂપધારણ સમયે શું થાય છે તે કહેતાં લેટો મૃતવિશ્વમાંથી એક મૃત મનુષ્યને પાછા બોલાવે છે. ગતજીવનનાં સારાં કૃત્યનાં સકળ લઈ પાછા ફરતા કેટલાક આત્મા અને પાપન કારાગૃહમાંથી આવતા અન્ય કેટલાક એકત્ર થાય છે, અને એને ભાવિના દરબારમાં આણવામાં આવે છે; પછી એને અમુક જીવનની એણિમાંથી પિતાને ગમતું જીવન સ્વીકારવાની પસંદગી આપવામાં આવે છે, પ્રત્યેક “જીવન” માં બાહ્ય ભાવિ અને પરિસ્થિતિ શું થશે તે જણાવ્યું હોય છે, પરંતુ સ ગુણ કયા પ્રમાણમાં સાથે આવશે એ સૂચવ્યું હતું નથી; સદ્ગણ ભાવિ ઉિપર અવલબિત નથી હોતા પરંતુ આત્માની પરિસ્થિતિ પર આધાર રાખે છે, જે પ્રમાણમાં મનુષ્ય એને માન આપે કે ધિક્કારે તે પ્રમાણમાં એને એ વધતે કે ઓછે પ્રાપ્ત થાય. નવીન “છવન’ ની પસંદગી વ્યક્તિગત આત્માને સ્વતંત્રતાથી આપવામાં આવે છે. આત્માની રૂચિ અને પ્રકૃતિ પ્રમાણે અને મિમાંસામાંથી અથવા અનુભવથી મેળવેલી ખાતાના પ્રમાણમાં એઓ પસંદગી કરે છે. એક વખત પસંદગી થયા પછી એ અનન્યથાકરણીય (irrevocabae) ગણાય છે. આ રીતે જે આત્માએ માનુષી દેહમાં વાસ કર્યો હોય તે જ આમાં પિતાના સ્વભાવને આધારે કોઈ પ્રાણીમાં રૂપ ધારણ કરે છે, અથવા એથી ઉલટું જે આત્માએ ગતજીવનમાં પ્રાણમાં વાસ કર્યો હોય તે આત્મા નવીન જન્મમાં માનવી દેહમાં વાસ કરે છે. પુનર્જન્મને આ સિદ્ધાંત માત્ર ફીડ ” માં પણ માલૂમ પડે છે એમ નથી. “ટીમીયમ” માં પણ નર્ક અને પાપમોચનું સ્થાન (puatory) એઓનાં ચિત્રેની અવગણના કરી છે. “ટીમીયસ” માં હવે પછી મનુષ્ય જન્મ લેનારાના આત્માને ઈશ્વરે સૃષ્ટિની પ્રથમ રચના વખતે બનાવ્યા હતા. પ્રત્યેકને અમુક તારે નિ છે; જે નિયમોને આપણું સખ્ય અવલંબિત છે તે નિયમે અહીં આત્મા પ્રહે છે. મુકરર કરેલે સમયે આમાઓને બી પ્રમાણે પૃથ્વીના અને નક્ષત્રોના ખોળામાં વેરવામાં આવે છે અને ત્યાંથી જમીનથી ઉભેલ મનુષ્ય’ પ્રમાણે ઉછરે છે. મૃત્યુ પછી જેઓએ કેડમાં સુજીવન ગાળ્યું
SR No.522090
Book TitleBuddhiprabha 1916 10 11 12 SrNo 07 08 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy