SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમઘેલા પ્રવાસીનું પવિત્ર જીવન! ૩૪૩ છે. - હાનજ હતો. પહેલાં આપણે જોઈ ગયા છીએ કે, શાહજહાને પોતે સેલિમાનો કાગળ વાંચોજ નહોતે, ફક્ત જિગતને એથી જ તેને ખપેટ સાર સાંભળે હતા. સંધ્યાકાળ પછી જ્યારે તે વખતના શરાબની મસ્તી ઉતરી ગઈ, ત્યારે સેલિમાની ચીઠ્ઠી તેમને હાથ લાગી. તે હેમણે વાંચી. માહરૂણે પહેલાં કહ્યું હતું કે સેલિમા નિર્દોષ છે. ત્યારે શાહે તે માન્યું નહતુ. સેલિમાએ પણું જયારે ચીઠ્ઠી મારફત જણાવ્યું કે પિતે નિર્દોષ છે, ત્યારે બાદશાહે તે વાત સાચી માની નહિ, અને તે જીવન મણિરત્નસમી સેલિમા તરફ શકમંદજ રહ્યા. વહેમી પુરૂષોના હૃદયમાંથી શંકા ક્યારેય જાય છે? તેથી જ તેમણે ખરી બીના શું છે, તેને પત્તા મેળવવા સારૂ તેઓ વેશ બદલી માહરૂણ પાસે બદિખાનામાં ગયા, અને ત્યાં શું થયું તે આપણે જોયું. ઘણુ યુક્તિથી સવાલ પર સવાલ કર્યા પણ નિખાલસ જવાબથી બાદશાહને સદેહ દૂર થશે અને માહરૂણને ફરમાવેલી સજ મેકુફ રાખી, અને તેજ ઘડીએ જેલના પહેરે ગીરને બોલાવી હુકમ કર્યો કે –“ બદિવાનને પેટપુરતું ખાવાનું આપજે, અને તે કોઈ પણ રીતે કષ્ટાય નહિ એવી સંભાળ રાખજે. શાહજહાનની ઘાતકી તૃષા ઈતિહાસમાં મશહુર છે, પણ જે તેના ઉચ્ચ અભિલાની અન્દર આડરૂ૫ નડતા તેમને જ તે નિર્દયતાથી ઉખાડી નાંખતાં પાછુ જેતો નહિ, નાહક હિનીજ તેને તરસ હોય એવું કદી બન્યું નથી. પિપાક બદલ્યા વિના જ વેશધારી ફકીર સાહેબ સેલિમાના આવાસ તરફ ગયા. સેલિભાપર બાદશાહને પાર હતા. એટલું વ્હાલું એને બીજું કઈ હતું નહિ. નાહક બિચા રીને આટલું સંકટ આપ્યું તે માટે બાદશાહને મનમાં બળાપે ઉભે થયો. વળી એમ વિચાર કરે છે કે શાંત્વન આપી, માફી ચાહી, રમત ગમત રહડાવી એ ગુજરી વાત વિચારે પડાવી દઈશ, આખા અઠવાડીઓ સુધી સેલિમાના રણવાસે રહી બધો દિવસ મે જમજહને ઉત્સવમાં ગાળીશ, ને એટલું આનદમાં જતાં બધુ ભૂલી જશે! અને સેલિમાન સન્તવની ખાતર હવે એના તરફ બીલકુલ શક રહ્યા નથી, તે જણાવવા સારૂ, બાહરણને કેદખાનામાંથી છોડી મૂકીશ એટલે ભળી સેલિમા વિર્યું વિસારે મુકશે. પણ અત્યારે આ વેશ જોઈને હસીને સેલિમા પૂછશે કે “આ ફકીરી લેબાશ આજ કેમ ધારણ કર્યો છે? તે હું શું જવાબ દઈશ? હા ! ઠીક. એમજ કહેવું કે –“દુનીયાંને બાદશાહ હોવા છતાં પણ તારા પ્રેમને ફકીર થઇ આવ્યો છું.” આ બધા સુખના વિચારોની વાતનું ગઠક ગોઠવતાં ગોઠવતાં બાદશાહ શાહજહાન એક ગુનેહગારની માફક છાનામાના સેલિમાના શયનમનિરમાં પેઠા, તે પછી શું થયું તે આપણે છેવટના પ્રકરણમાં જોઈ ગયા છીએ; અને ખરેખર; રામચન્દ્રજીને કયાં ખબર હતી કે પ્રાતઃકાળે વનવાસ જવું પડશે? પ્રારબ્ધ વશ વિશ્વ-અમથો અમથાંજ હું ને મહારામાં મરી જાય છે ને થનાર તેજ થાય છે. અનેક ખૂશ ખાલમાં ચાલ્યા આવતા શાહને સેલિમાના મૃત શરીરનાં દર્શનથી શું થયું હશે? અનેરી આશ માંહી હા-નિરાશાએ લપાઈ છે.
SR No.522082
Book TitleBuddhiprabha 1916 02 SrNo 11
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy