SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ બુદ્ધિપ્રભા. સર્વ નાની અપેક્ષાએ સ્વાદાદ દષ્ટિએ લેખો લખનારા સ્યાદાદ લેખક જાણવા અને એકાન દષ્ટિએ લેખ લખનારા એકાન્ત લેખકે જાણવા. પ્રસંગે પાત્ત આ પ્રમાણે કહીને લેખકોમાં જે ગુણો હોવા જોઈએ તત્સંબંધી લખવામાં આવે છે. લેખક પોતાના મગજની સમતલતા જાળવનાર છે જોઈએ. ફળ છાઃ છે B એવા જે લેખકો હોય છે તે ઘડીમાં કલેશની હોળી સળગાવી દે છે. લેખકમાં મગજની સમતલતા જાળવવાનો ગુણ હોય છે તો તે પોતાના સાધ્યબિંદુને ભૂલી શકો નથી અને તે રાગ દ્વેષના પ્રસંગે પિતાના લેખમાં વિકાર થવા દેતે નથી. લેખકમાં મૈત્રીભાવના નામનો ગુણ હોવો જોઈએ. લેખમાં મૈત્રીભાવના હોય છે તે ગમે તેવા શત્ર સંબંધી પણ નિન્દા લખતાં ખચકાય છે અને તેના ભલા માટે સારા શબ્દોને લખી શકે છે. ત્ય વિદ ૩ તથ્ય એ ત્રણ ગુણ વડે યુક્ત એવા લેખ લખનારાઓ દુનિયામાં સારી અસર ઉત્પન્ન કરવા સમર્થ થાય છે. રાજ્ય હેય પણ જે તે અપ્રિય હેય અર્થાત સત્ય લખતાં વાંચકોને અપ્રિયતા લાગે વા તેઓની લાગણી દુખાય એ લેખ હોય છે તે ઉપયોગી બની શકતો નથી. સત્ય વિશ એ બે ગુણ વડે યુક્ત લેખ હોય પણ તી ના હોય તો તે લેખ પણ જગતમાં ઉપયોગી બની શકતો નથી. લેખકમાં ઈર્ષ્યા જ ન રહેવો જોઈએ. લેખકમાં જે ઈષ્ય દોષ હોય છે તે તે અન્યોની નિન્દા અને અન્ય પર આક્ષેપ કરીને જન સમાજ ઉપર ખરાબ અસર કરી શકે છે અને સમાજમાં અશાન્તિ, કલેશ, મારામારી, નિન્દા વગેરે ઉત્પન્ન કરી શકે છે. લેખકમાં સમાનતા નામનો ગુણ હોવો જોઈએ. પક્ષપાતી અને દરિરાગી મનુષ્ય ગમે તેવો લેખક હોય અને તેના લેખમાં ગમે તેવું લખવામાં આવ્યું હોય તે પણ વાંચકે તેના ઉપર લક્ષ રાખી શકતા નથી. વાંચકે તેને લેખ વાંચતા પૂવંજ બેલી ઉડે છે કે આ લેખક તો ફલાણું પક્ષને અને ફલાણાને દષ્ટિરાગી છે તેથી તેના લેખમાં તેવી જ બાબતેને પંચરંગી ખીચડે હોવાથી વાચકોને તે વાંચવા ઉપર પ્રેમ થતો નથી, સમાનતા નામને ગુણ જે લેખકમાં હોય છે તે લેખકના લેખમાં ઉત્તમતા અને સમાનતા ઝળકી રહે છે અને તે સત્યને સારી રીતે પોષી શકે છે. સમાનતા ગુણ જેનામાં ખીલ્યો હોય છે તે લેખક પિતાનું અને પરનું કલ્યાણ કરવા સમર્થ થાય છે. જે લેખકમાં સમાનતા ગુણ નથી હતો તે અન્યને સારા વિચારો આપી શકવા સમર્થ થતો નથી. (અપૂર્ણ) વિધા મેળવવાને માટે ત્રણ ઉપાય છે. (૧) ગુરૂને વિનય, (૨) પુરતો પૈસા, વિદ્યાની આપ લે કરવાથી. આને પ્રથમ ઉપાય શ્રેષ્ઠ છે. "Self is the only person that can ever bind the soul. Truth is the only angel that can bind the gates unroll. And when he comes to call thee, arise, and follow fast. His way may lie through darkness, but it leads to light at last." If parents are pure and upright they make easy for their children to be pure and upright. If parents are vicious they make easy for their children to be vicious.
SR No.522055
Book TitleBuddhiprabha 1913 10 SrNo 07
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages66
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy