SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ અયાત્મજ્ઞાનની આવશ્યકતા. ૬૭ પષ છે તેમ અધ્યાત્મરસ પણ આત્માના મકલ ગુણોને પોષ છે અને આત્માની શુદ્ધિ કરીને તેને પરમાત્મારૂપ બનાવે છે. આત્માના ગુણેના બાગ સિંચનાર અને તેને વિકસિત કરનાર અધ્યાત્મજલ છે. અપારસમાં મારેલી અનુભવરૂપ માત્રાનું સેવન કરનાર મનુષ્યો પિતાના આત્માને પુષ્ટ કરીને નવું ચૈતન્ય પ્રગટ કરે છે–વૃક્ષોની અનેક શાખાઓ અને પ્રશાખાઓ હોય છે. શાખાઓ અને પ્રશાખાઓના આકારે ભિન્ન ભિન્ન હોય છે કિન્તુ તે શાખાઓ અને પ્રશાખા એમાં વહેનાર રસ તે એક સરખે હેય છે તે પ્રમાણે ભિન્ન ભિન્ન છે આચાર–મતે ધર્મની ભિન્ન ભિન્ન શાખાઓ અને પ્રશાખાઓને પિવનાર અધ્યાત્મરસ તે એકજ છે–મનુષ્યના મ સ્તક પર તાપ તપતો હેાય, ઉષ્ણુ લુના વાયરાઓ ચારે તરફથી વાતા હેય, તૃષા લાગવાથી કં. સુકાઈ ગયે હેપ-તૃષાથી જીવ આકુલ વ્યાકુલ થતે હેય-આંખે ઉડી ગઈ હોય, પગમાં ચાલવાની શક્તિ મન્દ થતી હોય એવામાં શીતલજની વાવ મળે તે સર્વ પ્રકારની પીડા દૂર થઈ જાય અને શીતલજલથી તૃષાનું દુઃખ ટળે તે પ્રમાણે મનુષ્યને ચારે તરફથી અનેક પ્રકારની ઉપાધિના તાપ લાગતા હેય-તૃષ્ણાવટે અનેક પ્રકારનું દુઃખ અનુભવાતું હોય, આત્મળની મન્દતા હોય તેવા વખતે અધ્યાત્મરસને અમૃત ઘડે મળે તે ખરેખર સર્વ પ્રકારનું દુઃખ દૂર થયાવિના રહે નહિ. અધ્યાત્મરસમાં એવા પ્રકારની શક્તિ છે કે તે પપ્પાબાદ આત્મામાં નવું વિતન્ય પ્રકટાવીને આત્મામાં આનંદને આવિર્ભાવ કરે છે. જે મનુષે અધ્યાત્મરસનું પાન કરે છે તેઓને અન્યોના સ્વાદે નિર્માલ્ય લાગે છે અને તેઓના મનમાં અધ્યાત્મરસ ચાખવાનીજ ભાવના હત્યા કરે છે. એકવાર જેણે અમૃતરસનો લેશ પીધા તેને બાકસબુકસનું ભેજન ગમે નહિ. તદ્દત એકવાર અધ્યાત્મરસનું પાન કરવાથી પશ્ચાત અન્યરસો ઉપર રૂયિપ્રગટતી નથી. તેમાંજ અધ્યાત્મરસની મહત્તા અવધવી. અધ્યાત્મજ્ઞાનનું શિરછત્ર જેના મસ્તક પર સદાકાલ હોય છે તેજ આનન્દરસને ભેગી અને ત્રણ ભુવનમાં એક સત્તાધારી જાણ, અધ્યાત્મજ્ઞાનની સત્તાવડે જેઓ પાંચ ઈન્દ્રિયો ઉપર અમલ ચલાવે છે તે જ ખરા રાજ્યકર્તા જાણુવા, અધ્યાત્મજ્ઞાનરૂપ સૂર્યના કિરણો વડે જેના હૃદયમાં પ્રકાશ થાય છે તે મનુષ્ય દુર્ગાને જીતવા સમર્થ બને છે. એક કવિ કહે છે કે સ્થલ સામ્રાજ્ય કરતાં સૂક્ષમ અધ્યાત્મસામ્રાજ્યની લીલા જુદા જ પ્રકારની છે. અંધાત્મજ્ઞાનની સૃષ્ટિની રમણીયતાને અવલોક્યવિના મનુષ્યની જંદગી નકામી છે. એક કવિ કહે છે કે તમે અધ્યાત્મમાં ઉંડા ઉતરે. તમારા મનમાં રહેલી શંકાઓ પિતાની મેળે નષ્ટ થઈ જશે. એક કવિ કહે છે કે અધ્યાત્મમાં એ જુસ્સો વહે છે કે તે જુસ્સામાં ચઢેલો આત્મા આખા જગતની શહેનશાહીનો પોતે ઉપરી બનીને અપૂર્વ આનન્દરસની ખુમારીમાં હેર મારે છે. એક કવિ કહે છે કે દુનિયાના અનેક ધર્મ પવૅમાંથી સત્યરસને ખેંચનાર અધ્યાત્મજ્ઞાન છે. એક મહાત્મા કશે કે મેલ માર્ગની ખરી નિસરણી અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનને માર્ગ પ્રાપ્ત થ એ કંઇ સામાન્ય કાર્ય નથી. અધ્યાત્મજ્ઞાનના માર્ગ પર ટકી રહેવું એ કંઈ સામાન્ય વાત નથી, અધ્યાત્મજ્ઞાનનો સ્વાદ લે છે કાંઈ સામાન્ય વાત નથી. આખા જગતમાં સૂર્યની પ સર્વને પ્રકાશ આપવાની ઇચ્છા થતી હોય તે અધ્યાત્મજ્ઞાનના માર્ગ પર આવે, અપામાન ખરેખર તમારા હૃદયમાં રહેલા અનેક દે ટાળીને વેદની ગરજ પુરી પાડશે. અધ્યાત્મરસમાં રસીલા બનેલા મનુષ્યોએ પોતાને અધિકાર પુનઃ પુનઃ નિરીક્ષ જોઈએ. અને અધિકાર પરત્વે ૫ અનુછાનો આદરવામાં ખામી ન રાખવી જોઈએ, મનુષ્યોના હદયને સ્વચ્છ બનાવનાર અધ્યાત્મરસ છે. ચારે તરફ અગ્નિ બળ હેય અને વચ્ચમાં
SR No.522039
Book TitleBuddhiprabha 1912 06 SrNo 03
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size558 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy