SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા. - - - - - - - - ૫ સ્પર્શી શકાય છે. પ્રખ્યાત શોધક એડીસને અડતાલીશ કલાક સુધી ફોનામાના વિચારોની શ્રેણિયે વડે ફોનોગ્રાફની શોધ કરીને પદાર્થ સંયમની સિદ્ધિ કરી બતાવી છે. એડીસનની પદ કલાકના કલાકે પર્યત જેઓ આગમાનુસારે આત્મતત્વનું મનન કર્યા કરે છે તેઓ આત્મતાવ સંબંધીમાં એટલા બધા ઉંડા ઉતરી જાય છે કે તેની જગતના બાહ્ય અને સમજણ પણ પતી નથી. આત્માનું ફકત રાત્રી દીવસ જે મનોકવ્યવડે ચિતવન કરે છે તેઓ છેલ્લામાં છેલ્લું સત્યકર્તવ્ય પ્રાપ્ત કરે છે. જેને સિદ્ધાન્તના અનુસાર આમતત્વ સમજાયું છે તેઓ પરમ સુખનો મહાસાગર પિતાનામાં છે એમ નિશ્ચય કરીને તેમજ મનન સ્મરણ વડે રમાતા કરે છે. દુનિયામાં અનેક પ્રકારનાં તનું જ્ઞાન કરતાં પણ જે આનંદ મળતો નથી તે આનંદ પિતાના સ્વરૂપનું મનન કરતાં મળે છે. એક પૂર્વાચાર્ય લખે છે કે સર્વ પ્રકારના સેને અવબોધવાની જ્ઞાનશક્તિ અને સત્યસુખ જાણવાની શકિત ખરેખર આમામાં રહી છે ત્યારે આત્માનું જ અવલંબન કરીને તેનું જે જ્ઞાન કરવામાં આવે તે કેટલો બધો આનંદ થાય અને તેને કેણુ વર્ણવી શકે. આત્મતત્વના જ્ઞાન સંબંધી અધ્યાત્મજ્ઞાનીઓ ખૂબ ઉંડા ઉતરીને તેના સહજ સુખને સ્વાદ અનુભવે છે તેથી અધ્યાત્મીઓના શિરપર દુઃખનું આકાશ તૂટી પડે તેપણું તેઓ આત્મતવને આશ્રય કદી ત્યજતા નથી. અધ્યાત્મ જ્ઞાનનો તિરસ્કાર કરવા માટે એકાન્ત જડવાદીઓએ બાકી રાખ્યું નથી. જડવાદીઓએ અધ્યાત્મ જ્ઞાનીઓને દુઃખ દેવાને પ્રાણોને પણ નાશ કયો છે તથાપિ અધ્યાત્મજ્ઞાનીઓએ બાહ્ય પ્રાણુમેલને ત્યાગ કરવામાં પેલું સહજ સુખ અનુભવ્યા પછી પાછી પાની કરી નથી-આત્માના સયસુખને જે જ્ઞાનીઓએ સ્વાદ ચાખે છે તેઓ કદી ચક્રવતિ વા દેવતાઓને પણ હીસાબમાં ગણતા નથી. તેને તે આત્મતત્વની ધૂન લાગી હોય છે તેથી તેઓને બાહ્ય પદાર્થો પર આસક્તિભાવ રહેતો નથી. અધ્યાત્મજ્ઞાનીએ સર્વ આત્માઓને પતાના આત્મસમાન માનીને તેના ઉપર શુ પ્રેમ ધારે છે. તેઓના હૃદયમાં તૃષ્ણા સ્વાર્થ અને વિઘયિક સુખની ઇચ્છા રહેતી નથી. આત્મતત્ત્વને અનુભવ થયા પશ્ચાત મેહનું જોર ઘટવા માંડે છે અને આત્માનું જોર વધવા માંડે છે–અધ્યાત્મજ્ઞાનીએ જગતના જીવોને પિતાના આમ સમાન માને છે તેથી તેઓને નાશ ન થાય તે માટે દયાવ્રતને અંગીકાર કરે છે–તેએના મનમાં કોઈ પણ જીવની લાગણી ન દુઃખાય એવો વિચાર પ્રગટે છે તેથી તેઓ સત્યવ્રતને અંગીકાર કરે છે. અધ્યાત્મજ્ઞાનીઓ ભાવથી પરવસ્તુની ઈચ્છા માત્રને ત્યાગ કરવા પ્રયત્ન કરે છે અને દ્રવ્યથકી પર પુદ્ગલ વસ્તુને ગ્રહણ કરવા પ્રયત્ન કરતા નથી. અધિકાર ભેદે તેઓ અસ્તેયવતને ધારણ કરે છે. અધ્યાત્મજ્ઞાનીઓને પરવસ્તુના ભેગની ઈરછા રહેતી નથી. પરવસ્તુની વૃદ્ધિને તેઓ નાકના મેલ સમાન અવધે છે તેથી તેઓ પરવતુ સંબંધી ઈરછાઓને રોધ કરવા તથા પચેન્દ્રિય વિલાની ઈછાઓ ઉપર કાબુ મેળવવાને માટે - ક્તિમાન થાય છે. ઈચ્છાના ત્યાગરૂપ આન્તરિક બ્રહ્મચર્યને ધારણ કરવા ખરેખરી રીતે તેઓ સમર્થ બને છે. બાહ્ય જડવસ્તુઓને ધનરૂપે માનવાની વૃત્તિને તેઓ કબુલ કરતા નથી. બાહ્યધનમાં જે જે અંશે મૂછ રહેતી નથી તે સર્વ અધ્યાત્મજ્ઞાનને પ્રતાપ અવબોધવો. ચાવતિ આદિની પદવીઓ અને કરોડ રૂપિયાને ત્યાગ કરીને જેઓ આત્મતત્વની આરાધના કરે છે તેમાં અધ્યાત્મજ્ઞાનનો મહિમા સમ્યગુ અવબોધાય છે. નમિરાજાએ દીક્ષા અંગીકાર કરી અને સર્વ વસ્તુઓનું મમત્વ દૂર કર્યું. ઈન્દ્રમહારાજાએ તેમના ખરા ત્યાગની પરીક્ષા માટે તેમની આખી નગરી બળતી દેખાડી. અન્તઃપુરની રાણીઓને અગ્નિના ભયથી પિકાર કરતી દેખાડી તે પણ નમરાજ મુનિવર કહેવા લાગ્યા કે આમાં મારું કઈ બળતું નથી, તે
SR No.522037
Book TitleBuddhiprabha 1912 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size579 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy