SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ ખમવું અને શાખ જવા દેવી નહિ, વળી સદાચારી મનુષ્ય પોતાનું વચન પાળવાને પણ પાછી પાની કરતા નથી, કારણકે તે જાણે છે કે “જે કોઈ માણસ સામા માણસને કોઈ વાત માટે વચન અથવા કેલ આપે છે, તે વચન આપનારા તરફથી છેલ્યા પ્રમાણે કામ થવામાં સામા માણસના હિતાહિતને ઘણું કરીને સંબંધ રહ્યા હોય છે ને જેણે વચન આપ્યું હોય છે તેના ઉપર ભરોસો રાખીને તે માણસ પિતાના કામની વ્યવસ્થા કરે છે. તેથી જે વચન આપનારે પિતાને બેલ પાળે નહિ, તો તે સામો માણસ ઘણે નિરાશ થાય છે એટલું જ નહિ પણ એથી તેને મોટું નુકસાન થવાનો પણ સંભવ રહે છે. મનુષ્ય ના અગર મેટો ગમે તે હે પણ તેને પોતાના બોલવા પ્રમાણે હમેશાં ચાલવા માટે બહુ ખબરદારી રાખવી જોઈએ. કેટલીક નાનીસુની વાતાના સંબંધમાં આપણે છેલ્યા પ્રમાણે કામ ન કરીએ તો તેમાં કદાચ નુકશાન થવાનો સંભવ નથી તે તે પણ તેમ કરવું એ ગેરવ્યાજબી છે ને આગળ જતાં તેનાથી આપણને ઘણું નુકશાન થાય છે.” કારણ કે વચન પાળવાના સંબંધે બેકાળજી રાખવાની એક વખત કુટેવ પડી જાય છે તે પછી આગળ મોટા કામમાં બેદરકારીનું વતેન થઈ જાય છે અને તેને લીધે તે પત ખુએ છે, નાદાન કહેવાય છે. એટલા માટે કોઈ પણ વચન આપતાં પહેલાં પુખ્ત વિચાર કરવો ને પછી યોગ્ય લાગે તો આપવું કિંવા નહિ આપવું પણ એકવાર વચન આપ્યું એટલે ગમે તેમ થાય તે પણ તે પાળવામાં બીલકુલ કસુર કરવી નહિ. એજ સદાચારીનું લક્ષણ છે. “ મુખેથર માનવી વેણ મુકયું, ગથિી તે નહિ ગળાય ચુક્યું. ” વચન બહાર નીકળ્યા પછી જેમ ગુંથું ગળાતું નથી તેમ પછી તે પાછું ખેંચી લેવાતું નથી. ઈગ્રેજીમાં કહેવાય છે કે “ Think before you speak” બોલતાં અગાઉ પણે વિચાર કર. સદાચારી માણસ દાનતનો ચોખ હોય છે, કેઈ વખત વેપાર વિગેરે બાબતોમાં તેને ધકે પહોંચે છે તો પણ તે ગંભીરાઇથી અને નમ્રતાથી લેણદારને જવાબ આપે છે અને દેવાને માટે હમેશાં ફીકર રાખે છે ને તે વાળવાને માટે હમેશ ખંતીલા ને ઉદ્યાગી રહે છે. ઈગ્લાંડના બ્રિસ્ટલ શહેરમાં ડેનમ નામનો એક વેપારી હતો તે ઘણે પ્રમાણિક અને વેપારમાં ખેલાડુ હતા. તેને પોતાના વિપારમાં ઘણે ધક્કો લાગ્યો હતો તેથી તેણે શાહુકારોને બોલાવી જે છે તેની પાસે હતું તે આપી દીધું અને અમેરિકા ગયો. ત્યાં તેની દાનત સારી હોવાને લીચે, દૈવયોગે તે ઘા રળે, ત્યારે પિતાના દેશમાં આ
SR No.522029
Book TitleBuddhiprabha 1911 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size882 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy