________________
સુડતાલીશ વર્ષ સવાયા, શુભ સંયમની લયલાયા; સવેગી શીર સુહાયા.
નમું રવિસાગર. ૬ એગણીશ ચેપનની સાલ, વદી એકાદશી રવિવાર; મેહસાણે સ્વર્ગ સિધાયા.
નમું રવિસાગર. ૭ વંદુ સદગુરૂગુણધારી, એવા ગુરૂની બલિહારી, બુદ્ધિસાગર ગુણ ગાયા.
નમું રવિસાગર. ૮ સં. ૧૯૬૭ જેઠ વદી ૧૧ મુબાઈ.
"शान्तदशाथी दुनियानुं भने पोतानुं भलं करीशकायछे"
મનુ શાનદશાથી પોતાના આત્માની ઉન્નતિ કરી શકે છે અને દુનિયાની ઉન્નતિ ૫શું કરી શકે છે. દરેક બાબતોને વિચાર કરનાર પ્રથમ પિતાના મનને શાન કરવું જાઈએ. જેનું મન ક્રોધથી ધમધમાયમાન રહે છે તે મનુષ્ય કોઈ પણ શુભ વિચારના અન્તિમ ઉદ્દેશને પાર પામી શકતા નથી. જેના મનમાં કોઈ એકદમ સુલ્લક બાબતેથી ઘડી ધડીમાં પન્ન થાય છે અને મગજનું ઠેકાણું રહેતું નથી તે મનુષ્યના મનમાં વિવેકપૂર્વક શુભ વિચાર કરવાની શક્તિ પ્રગટતી નથી. કોધથી મનની મલીનતા થઈ જાય છે અને મલીન મનમાં શુભ વિચારો પ્રગટી શકે નહીં. જે મનુષ્યો હિંસક પ્રાણીઓની પેઠે વાતવાતમાં તપી જાય છે અને મનમાં ન કરવાના વિચાર કરે છે. વાણીથી ન બોલવાનું બોલે છે તે મનુષ્યો ભલે ધર્મની સાધના કરતા હોય તે પણ તેઓ ધાદિકના વશ થઈ નીચ માર્ગમાં ગમન કરે છે.
क्रोधे कोडी पुरवतणु, संजम फल जाय । क्रोध सहित तप जे करे ते तो लेखे न थाय ॥१॥
ટીપૂર્વવર્ષપર્યત કરેલું તપ પણ બેઘડીના ક્રોધથી નષ્ટ થઈ જાય છે, મા ઉપરથી અવધવાનું કે દરેક બાબતને પ્રસંગે મનમાં ક્રોધ ઉત્પન્ન થાય નહીં તેમ પ્રવૃત્તિ કરવાની જરૂર છે. મનુષ્યને અનેક કારણેવડે ઠોધ ઉદભવે છે અને તેથી તેઓ પોતાના હદયને ક્રોધાગ્નિથી બાળીને ભસ્મ કર છે. ક્રોધ કરનારાઓ એમ સમજે છે કે અમારા ક્રોધથી અમારું યઃ થાય છે પણ આમ વિચારવું અગ છે. કોધ ચંડાળના સમાન છે. મોટા મોટા