________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૫૩
અંક: ૪]
ધૂપ-દીપ આપે છે અને ગ્રીષ્મ ઋતુમાં તેને અંગે ધારણ કરતાં તેમાંથી શીતળતા પ્રગટે છે, જે અંગને શીતળ રાખે છે. અને ચોમાસાની ઋતુમાં તે શીતષ્ણ રહે છે. નેપાળદેશની આ કાંબળો, દુનિયાના કેઈ પણ પ્રદેશમાં મળતી નથી.'
મહારાજા શ્રેણિકે એ રત્નકંબલેને જોઈ નેપાળ જેવા પાડોશી દેશની આવી અમૂલ્ય કારીગરીને જેઈ—જાણીને રાજા શ્રેણિકને અત્યંત આનંદ થયો. મહારાજાએ વ્યપારીઓને રત્નકંબલનું મૂલ્ય પૂછવું. જવાબમાં વેપારીઓમાનાં એક વ્યપારીએ મહારાજા શ્રેણિકને જણાવ્યું “રાજન ! આ શાલ તે આપ જેવાના રાજભવનમાં જ શોભે! સામાન્ય માનવીનું આ ભેગવવાનું ભાગ્ય ન હોય. એક રત્નકંબલનું મૂલ્ય સવાલાખ સુવર્ણમુદ્રાઓ છે. આપના જેવા મગધના માલિકને તે આવી વસ્તુઓ આજે પગ લૂછીને કાલે ફેંકી દેવા જેવી ગણાય. આમાં દ્રવ્યનો કોઈ પ્રશ્ન ન હોઈ શકે.”
શ્રેણિકે હસતાં હસતાં નેપાલના વ્યાપારીઓને કહ્યું: “મારે માટે તે દ્રવ્યનો પ્રશ્ન જ મોટો હોઈ શકે ! મગધને વૈભવ કે મગધને ધનભંડાર એ મારે નથી. એ તે કેવળ મારે સાચવીને સવ્યય કરવાની વસ્તુ છે. મગધના સામ્રાજ્યનો હું સ્વામી નથી. એ સામ્રાજ્ય મારી પ્રજાનું છે. હું તે કેવળ એનો રખેવાળ છું. હું પ્રજાને માલિક કે સ્વામી નથી. મારી પાસે છે પ્રજાના પાલક પિતાનું હૃદય અને માતાનું વાત્સલ્યઃ મારે આનંદ-પ્રમોદ, વિલાસ કે વૈભવ ભોગવવાના ન હોય ! એ બધું ભોગવવાનો અધિકાર મારી વહાલી પ્રજાને છે.”
વ્યાપારીઓની સામે દૃષ્ટિક્ષેપ કરતાં મહારાજાએ કાંઈક ગંભીર બનીને ફરી કહ્યું: “તમે એક રત્નકંબલનું મૂલ્ય સવાલાખ સુવર્ણમુદ્રાએ કહ્યું કેમ ખરું ને? પણ મારા પિતાના અંગત ઉપભેગ કે મેજ-શોખની ખાતર આમ લાખે સોનામહોરે મારાથી કેમ ઉડાવી દેવાય? પ્રજાના સુખ-સગવડ કે આનંદની જ ચિંતામાં રહેતા મારા જેવાને આવા વિલાસો. ન શેજે.'
નેપાલના વ્યાપારીઓ મગધના સર્વસત્તાધીશ શ્રેણિક રાજાના મુખેથી બેલાતા આ શબ્દોને સાંભળીને ક્ષણભર દિમૂઢ થઈ ગયા. એમને ઉત્સાહ ઓગળી ગયે. વાતાવરણમાં થોડીવાર નરવતા છવાઈ
વ્યાપારીઓ વિચારવા લાગ્યા કે, “ભારતને વિશાલ સામ્રાજ્યને એકને એક માલિક આ શું બેલી રહ્યો છે? નાના બાળકની જેમ આવા ઘેલાં એ કેમ કાઢતા હશે ? શું કૃપણ કે સંકુચિત માનસને તે એ નહિ હોય ને ?”
મહારાજાએ વ્યાપારીઓનાં મેં પર છવાયેલી અકળામણને કળી લીધી: વાતાવરણની નીરવતાને ભેદતાં ફરી તેઓ બોલ્યા : “તમે કદાચ એમ કલ્પના કરતા હશે કે મગધને મહારાજાને પિતાના ભેગ-વિલાસ પાછળ કે અંગત સુખ-સગવડ, મોજ-શોખ ખાતર લાખ ખર્ચી નાખતાં એને હાથે કણ પકડે છે? પણ ના, મગધની પ્રજા એ મારા વહાલા સંતાનના સ્થાને છે. મા કે બાપ, પિતાના સંતાનને ભૂખ્યા રાખીને, કેમ ખાઈ શકે ? પોતાના સંતાનોને નાગાં કે ચીંથરેહાલ કપડે ટળવળતા રાખીને એ પિતાના અંગ પર કપડું કેમ ઓઢી શકે? મારી વહાલી પ્રજાએ પિતાના હૃદયમંદિરના સિંહાસન પર મને જે શ્રદ્ધા તથા સદૂભાવથી પ્રતિષ્ઠિત કર્યો છે તે શ્રદ્ધા એ મારે આનંદ, એ સભાવે એ મારી મૂડી, એ મારું ધન અને એ જ મારું સામ્રાજ્ય છે. મા પોતાના બાળકને ખવડાવીને ભૂખે રહેવામાં સુખ અનુભવે છે. પતે ફાટેલું ચીથરું પહેરીને પોતાના પ્યારા બચ્ચાને મુલાયમ કપડાથી ઢાંકે છે, પિતાના
For Private And Personal Use Only