SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૮ ] શ્રી. મઢાવીર અને શૈશાલક [૧૧ આમ ને આમ સોળ વર્ષને સુદીર્ધ ગાળો વીતી ગયે. આર્ય ગોશાલક આ સમય દરમ્યાન શ્રમણ ભગવાન મહાવીર સાથે માનસિક સંગ્રામ ખેલતા રહ્યા. પ્રત્યક્ષ સંગ્રામ કરતાં એ સંગ્રામ ભયંકર હતો. | [૪] આજ શ્રાવસ્તી નગરીમાં શ્રમણ ભગવાન મહાવીર આવતા હતા. નગરજને પિતાને ત્યાં સોળ વર્ષથી રહેલા સર્વજ્ઞ આર્ય ગોશાલક અને સર્વજ્ઞ મહાવીર બંને વિષે જાણવા ઉત્સુક હતા. તેઓએ શ્રમણ મહાવીરને સર્વજ્ઞ, જિન, અહંતના નામે વધાવ્યા. ઉસુક નગરજોએ પહેલી જ ધર્મ સભામાં પ્રશ્ન કર્યો : “શું આર્ય ગોશાલક જિન, સર્વજ્ઞ ને અહંત નથી ?' ધર્મસંકટ આવ્યું પણ અસત્ય ઉત્તર આપી શકાય તેમ નહોતું. શ્રમણ મહાવીર કહ્યું: એ છ મહાનિમિત્તોનું જ્ઞાન ધરાવે છે, પણ સર્વજ્ઞ નથી.” ધર્મસભા પૂરી થયે, નગરજને તરત જ આર્ય ગોશાલક પાસે પહોંચ્યા. લક લડાઈનું રસિયું હોય છે. શ્રમણ મહાવીરની વાત કહી. આ ગોશાલકને લાગ્યું કે આ મહાવીર મારી સેળ વર્ષની કીતિને સાફ કરી નાખશે. એમના અંતરમાં ભયંકર પ્રતિકાર જગ્યા. એ વખતે આનંદ નામના મહાવીરના શિષ્ય ત્યાં થઈને નીકળ્યા. ગશાલકે ભયંકર ગર્જના કરતાં કહ્યું. “ કહી દેજે તમારા એ ને! મને છંછેડીને સાર નહિ કાઢો.' ભગવાન મહાવીરને આ સમાચાર મળતાં તેમણે તમામ શિષ્યોને સૂચન કર્યું” કે એના વિરુદ્ધ કંઈ ન બોલવું. ત્રાજવું ભલે પોતાના ભારથી જ તૂટી જાય. પણ નગરજનમાં આ બે સર્વ વચ્ચેના સંધર્ષને ભારે ઉત્સાહ હો, તમાશાને તેડું મળ્યું. તેઓએ આખરે ગોશાલકને મેદાને પાળ્યો. એ સશિષ્ય-પરિવાર શ્રમણ મહાવીરને ઉતારે આવ્યો. માણસ તે માતું નહોતું. આર્ય ગાલકે પિતાને વાણી-વ્યાપાર ચાલુ કર્યો. શ્રમણ મહાવીર સ્વસ્થ બેડા સાંભળી રહ્યા. ગાલકને વેગ આથી વળે. એણે ગાલિપ્રદાન શરૂ કર્યું. જેટલું કાવું બોલી શકાય તેટલું બોલવા માંડયું. વાતાવરણ ક્ષુબ્ધ થઈ ગયું. સાધુઓમાં ઉશ્કેરણીનું મોજું ફરી વળ્યું. શ્રમણ મહાવીરે સાધુઓને શાંત કરવા કહ્યું “એની એવી પ્રકૃતિ છે. પ્રકૃતિને પ્રાણુ સાથે જાય. ક્રોધ કરતાં કરુણું કપે એવા તરફ પણ આ શબ્દોએ ગોશાલકને વધુ ઉગ્ર બનાવ્યું. એણે કટુ વચનથી વાયુમંડળ ભરી દીધું. માનવમેદની પણ ગોશાલક તરફ જરા નારાજી બતાવી રહી. સર્વાનુભૂતિ નામના મહાવીર-શિષ્યથી ન રહેવાયું; એ બોલ્યા: ગોશાલકા કઈ શ્રમણ કે બ્રાહ્મણ પાસેથી એક પણ આર્ય–વચન શીખ્યા હોઈએ તેય તે બહુમાન કરવા યોગ્ય છે; તે તું તે શ્રમણ ભગવાન મહાવીરનો જ શિષ્ય છે. એમની પાસેથી સર્વ વિદ્યા શીખે છે. પછી આ અનાર્યપણું કેવું ? અથવા ભગવાને કહ્યું એમ તારી પ્રકૃતિમાં જ એ તત્વ છે? ભલે ત્યારે, દતુ દતું ગાલી-ગલીમનો ભવન્સિ, (ખૂબ ગાળો આપે, કારણ કે એ મય જ તમે છે.) For Private And Personal Use Only
SR No.521698
Book TitleJain_Satyaprakash 1953 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1953
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy