________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૪ ] ગુજરાતના....ખલનાઓ તેનું એવું રૂપ કલ્પી લીધું લાગે છે. એથી તેનો અર્થ તેવો વિચિત્ર કર્યો લાગે છે. વાસ્તવિક રીતે વિચારીએ તો ત્યાં સો: પાઠ શુદ્ધ છેસોફી (સહોદરી-સગીબહેત અર્થ–વાચક) શબ્દનું બહુવચનનું એ રૂપ છે. કવિએ એ પહેલાં અg પદ દ્વારા પૂર્વે જણાવેલા ચાર બંધુઓ (૧ લણિગ, ૨ મલદેવ, ૩ વસ્તુપાલ અને ૪ તેજપાલ) એમની અનુક્રમે જણાવેલી આ ૭ સહેદરી-સગી બહેન હતી, તેમ જણાવ્યું છે.
વિશેષ તપાસ કરતાં જણાય છે કે મંત્રીશ્વર તેજપાલે ત્યાં આખું તીર્થમાં પોતે કરાવેલ “લૂણસીહ-વસહી ' નામના નેમિનાથદેવના તે ચૈત્યમાં, જગતીમાં પિતાની એ સાતે બહેનના શ્રેય માટે પણ જુદા જુદા ૭ તીર્થકરની પ્રતિમાઓથી અલંકૃત જુદી જુદી ૭ દેવકુલિકાઓ કરાવી હતી અને સં. ૧૨૯૩ વર્ષના ચિત્ર વદિ ૮ શુક્રવારે નાગૅદ્રગ૭ના શ્રીવિજયસેનસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત કરાવી હતી. શિલાલેખો સાથે હાલમાં પણ એ વિદ્યમાન છે, ત્યાં સ્પષ્ટ આવા ઉલ્લેખ છે–
-स. १२९३ वर्षे चैत्रवदि ८ शुक्रे श्रीअर्बुदाचलतीर्थे स्वयंकारितलूणसीहवसहिकाख्यશ્રીનેમિનાથવત્યે ગાલ્યાં..............મહં. તે પાન
(૧) મારા શારે કાચા બોડર્ષ... (૨) , ની , માર
» સફેવ્યા
–આ શિલાલેખે એપિગ્રાફીઆ ઇડિકા' વ. ૮, પૃ. ૨૨૭ થી ૨૨૯માં ન. ૨૬થી ૩૧માં, તથા “પ્રાચીન જૈન લેખસંગ્રહ’ ભાગ બીજામાં લેખાંક: ૯૪ થી ૯૯ અને ૧૦૩માં, અને “અબુ દ–પ્રાચીન જૈન લેખસંગ્રહ (આબુ ભાગ બીજા)માં લેખાંક ૩૨૫ થી ૩૨૮, ૩૩૦, ૩૩૧ અને ૩૩૭માં મૂળ સંસ્કૃતમાં પ્રકાશિત થયેલા છે; તથા પહેલામાં અંગ્રેજીમાં અને પાછળના બે ગ્રંથોમાં તેનો ગુજરાતી સાર પણ પ્રકાશિત થઈ ગયેલ છે. એથી અહીં વિશેષ સમર્થનની અપેક્ષા નથી. * વિશેષમાં એટલે અંશે સંતોષ માનીએ કે ઉપર્યુક્ત “ગુજરાતના ઐતિહાસિક લેખો ભાગ ત્રીજામાં, સંગ્રહ કરનાર એડીટરે પ્રાસ્તાવિક ઐતિહાસિક વિવેચન (પૃ. ૧૧)માં વસ્તુપાલ તથા તેજપાલનું વંશવૃક્ષ” દર્શાવ્યું છે, તેમાં ઉપર જણાવેલ નામેવાળી છે બહેને તેમની બહેન તરીકેના ક્રમમાં દર્શાવી છે.
એના શ્લો. ૬૨ થી ૬૬ના ભાષાંતરમાં (પૃ ૧૨ માં) અર્થ ન સમજવાથી કંઈક વિચિત્ર જ જણાવ્યું છે કે –
“ ધર્મકાર્યોના પ્રભાવથી વાદળને પણ નમાવનાર ધીમત લાવણ્યસિંહ દિનાયક સમાન હતા અને હાથી પર આરોહણ કરી જિનેશ્વરના દર્શને જતી તેમની ૧૦ (દશ) પુત્રીઓ રમ્ય લાગે છે.
For Private And Personal Use Only