________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨]
શ્રી જેને સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨
લાલ જાયું હતું જઈ પરચું, સાસરઓ સુખવાસ, સાસુને પાએ લાગણું, સરર (સસરા)જી પુરશિ આસ; શું જાણું ઈમ નાહલ, નાસ્ય દેઈ છે, વયર વસાવ્યું જે કઉં, નીસનેહસું નેહ.
૨૪
નેમ-રાજુલ બહું પ્રીત પાલી, વિરહની વેદના સર્વ ટાલી; સુખ ઘણું મુકતનાં વેગિ લીધાં, નેમના વચનથી કાજ સિદ્ધાં. ૨૫
હાલ શ્રી વિજયસેનસૂરીસ ગુરૂ, જયવંતા પટોધાર, શ્રી વિજયસેનસૂરીસરૂ, તપગચ્છને સિણગાર, શ્રી કીર્તિવિજય ઉવઝાયને, પામી ચરન પસાય, જદુપતિ નામિ હે વાચક, વિનયવિજય ગુણ ગાય.
ભેદ સંયમ તણું (૧૭) ચિત્ત આણે, માન સંવત તો એહ જાણો; વરસ છત્રીસ વર્ગ મૂલી, ભાદ્રવે પ્રભુ શ્રુણ્યા ઈસા ન કેણિ. ૨૭ ઇતિ શ્રી નેમ–રાજુલની ભ્રમરગીતા સંપૂર્ણ છે છ પૂ. ૬૧૩-૬૧૫
(૨૪) પહેલેથી જાણ્યું હતું કે સારાને સુખવાસ મળશે, સાસુને પગે લાગીશું, અને સસરા અમારી આશા પૂર્ણ કરશે. પણ હું શું જાણું, કે નાથ છેહ દઈને નાસી જશે. જે કામ કર્યું તે શત્રુતા વસાવ્યા બરોબર છે. નિલોહી સાથે સ્નેહશે ?
(૨૫) નેમ અને રાજુલ બન્નેએ પ્રેમ પાળીને વિયેગની વેદના (દુઃખ) સર્વ દૂર કરી. નેમનાથના વચનથી-ઉપદેશથી જલદીથી મેક્ષનાં સુખો મેળવીને કાર્ય સિદ્ધ કર્યા.
- (ર૬) તપાગચ્છને શોભાવનાર આચાર્યોના નાયક વિજયસેનસૂરિ હાલ જીવંત પધર છે. શ્રી કીર્તિવિજય ઉપાધ્યાયના ચરની કૃપાથી ઉપાધ્યાય વિનયવિજયે યદુપતિ નેમનાથના ગુણ ગાયા.
ન (ર૭) સંયમના ભેદે વિચારો તે સંવતની સંખ્યા જાણી શકશે, છત્રીસ વર્ષને વર્ગમૂલમાં ભાદરવા મહિનામાં પ્રભુની સ્તુતિ કરી કે જે રીતે બીજાએ હજુ સુધી કરી નથી. (સં. ૧૭૩૬ના ભાદરવા માસમાં આ કવિતા રચી. )
ગુર્જર ભૂમિમાં અર્થ કીધે શેઢી વાત્રક મધ્યમાં, ગામ મહુધા રૂષભ-સુપાર્શ્વ-પ્રસાદ, સાહિત્ય રસ પૂરો કીધે; વટપદ્રવાસી શ્રીમાલીકુલ, ઝવેરી અવટંક જેની, લલ્લુ તનુજે શ્રી ચીમનલાલે ભાંકતર પૂરણ પીધો.
ઈત નેમ-રાજુલ-ભ્રમરગીતાનો અર્થ સ પૂર્ણ. મહુધા. સંવત ૨૦૦૨, ધનતેરશ.
For Private And Personal Use Only