________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્નોત્તર-પ્રબોધ પ્રજક–પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજ્યપદ્રસૂરિજી પણમય સિરિપાસપણું, ગુસ્વરસિરિનેમિસૂરિપયકમેલ છે પદ્ધત્તર પહં, એમિ ભવમ્પબેહટ્ટ | 1 |
૧–પ્રશ્ન-ચરમ તીર્થંકર પ્રભુ શ્રી મહાવીર દેવતા શાસનની આરાધના કરીને જિન નામકર્મને બોધનારા શ્રેણિકરાજા વગેરે ના છો આવતી ચોવીશીમાં કેટલામાં તીર્થકર થશે?
ઉત્તર–૧–શ્રેણિક–પરમ શ્રાવક ચેડા મહારાજના જમાઈ અને પ્રભુ શ્રી મહાવીર દેવના બનેવી શ્રેણિક રાજા આવતી અર્ચાપણીમાં ભરતક્ષેત્રને વિષે આવતી ચોવીશીમાં પહેલા પદ્મનાભ નામના તીર્થંકર થશે. ૨ - સુર્ય-પ્રભુ શ્રી મહાવીર દેવના કાકા શ્રી સુપાર્ધરાજા આવતી ચોવીશીમાં બીજા સૂરદેવ નામના તીર્થંકર થશે. ૩-પદિલ–પોદિલનો જીવ આવતી ચોવીશીમાં ચેથા અરયંપ્રભ નામના તીર્થંકર થશે. ૪–ઉદાયિનો જીવ ત્રીજા સુપાર્શ્વ નામના તીર્થંકર થશે. ૫ શંખ શ્રાવક છઠ્ઠી દેવકૃત નામે તીર્થકર યશે. ૬-દઢાયુને જીવ પાંચમા સર્વાનુભૂતિ નામના તીર્થકર થશે. ૭-તક શ્રાવક દશમા શતકીર્તિ નામના તીર્થકર થશે ૮-રેવતો શ્રાવકાનો જીન સ ન રમા સમાધિ નામનું તીર્થંકર થશે.--સુલસા શ્રાવિકાનેજીવ પંદરમા નિર્મમ નામના તીર્થકર થશે. ભા બોના કાલસપ્તતિકા તથા પ્રાકૃત દિવાળી કલ્પના આધારે જણવી છે.
--પ્રશ્ન–યુગલિક મનુષ્યોને કૃષ્ણ, નીલ, કાત, તેજે, પદ્મ અને અકલ લેસ્થામાંથી કઈ લેસ્યા હોય ને કઈ કઈ લેસ્યા ન હૈય?
ઉત્તર–શરૂઆતની ચાર લેયાઓ-યુગલિક મનુષ્યોને હૈય, એટલે છેલ્લી પદ્મ લેશ્યા ને શુકલ લેસ્થા ન હોય.૨
૩–પ્રશ્ન–શ્યામાચા મહારાજે બનાવેલા શ્રી પ્રજ્ઞાપનાસૂત્ર વગેરેમાં ગર્ભજ મનુષ્યની ઉત્કૃષ્ટ અવગાહના ૩ ગાઉની જણાવી છે. તો અહીં પૂછવાનું એ કે શું બધાયે ગર્ભજ મનુષ્યોની અવગાહના એક સરખી હોય ?
ઉત્તર–સૂત્રકાર ભગવંત કઈ વસ્તુ કઈ અપેક્ષાએ જણાવે છે તે તરફ લય રાખવાથી જ સૂત્રકારનો આશય યથાર્થ સમજી શકાય છે. અહીં પાંચ ભરતક્ષેત્ર અને પાંચ અરવત ક્ષેત્રમાં અવસર્પિણીના પહેલા અરાની શરૂઆતમાં પહેલો આરો બેસતાં) ગર્ભજ મનુષ્યની અવગાહના ત્રણ ગાઉની હેાય એમ જાણવું. તે પછીના કાળમાં ઘટતાં ઘટતાં તે (પહેલા) આરાની છેવટે બે ગાઉની અવગાહના હોય, એ પ્રમાણે બીજો આરો બેસતાં બે ગાઉની, અને ઊતરતાં એક ગાઉની, ત્રીજો આરો બેસતાં એક ગાઉની અને ઉતરતાં ૫૦૦ ધનુષ્યની અવગાહની હય, ચેાથે આરો બેસતાં ૫૦૦ ધનુષની અવગાહના ને ઊતરતાં છેવટે ૭ હાથની અવગાહના હોય. પાંચમો આરો બેસતાં સાત હ’થની ને ઊતરતાં ૧ હાથની અવગાહના, છઠ્ઠો આરો બેસતાં એક હાથની ને ઊતરતા મુંડા હાથની અવગાહના હોય. અવસર્પિણીની આ બીના જણાવી. આથી કમસર ચઢતો બીના ઉત્સપિંણીની જાણવી. એટલે ઉત્સર્પિણીને પહેલાં આર બેસતાં મુડા હાથની ને ઊતરતાં એક હાથની અવગાહના, બીજે આરે બેસતાં ૧ હાથની ને ઉતરતાં ૭ હાથની અવગાહના. ત્રીજે આર બેસતાં છ હાથની, ને ઊતરતાં ૫૦૦ ધનુષ્યની અવગાહના. ચેાથો આરે
For Private And Personal Use Only