SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 'ક ૧૨ ] જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી [ ૨૬૯ વખતે સૂક્ષ્માએ સૂરિજીને પાતાની પાસે હાજર કરાવ્યા છે. સૂરિજીએ ત્યાં જઈ એનું મન સતાષિત કર્યું. સૂરિજીને એણે રજા આપી, પરન્તુ પાછળથી એ ફોજદારને ઝવેરી સાથે ખટપટ થતાં એણે પુનઃ સૂરિજીને પકડાવવા પ્રયત્ના કર્યાં. ધણા દિવસ સુધી આ ઉપદ્રવ થો, આ પ્રસ`ગ સ. ૧૬૩૬ માં ન્યા છે. સૂરિજી મહારાજ આ ઉપદ્રવાને શાંતિથી સહન કરી, અદીનપણે વિચરી, આત્મલ્યાણની સાધના કરી રહ્યા હતા. સ. ૧૬૩૭ માં સૂરિજી ખંભાત પધાર્યાં તે વખતે તેમના ઉપદેશથી સંધવી ઉદયકરણે મહા શુદ્ધિ ૧૩ શ્રી ચંદ્રપ્રભુજીની પ્રતિષ્ઠા કરાવી અને આરવાડ ને મેવાડને મેઢા યાત્રાસંધ કાઢો. સ. ૧૬૩૮માં સૂરિજી ગધાર પધાર્યાં. સમ્રાટ અકબર Acharya Shri Kailassagarsuri Gyanmandir આપણે શરૂઆતમાં જ આ સમ્રાટનું નામ વાંચ્યું છે. મા સમ્રાટ મહત્વાકાંક્ષી, રાજ્યકુશલ, મુત્સદ્દી અને પ્રજાપ્રેમી થયા છે. આજે પણ ઇતિહાસકારા કહે છે કે સમ્રાટ અક્બરે ભારતમાં જેવું એકછત્રી સામ્રાજ્ય સ્થાપ્યું તેવું સત્તાશીલ સામ્રાજ્ય હાલની અંગ્રેજ સરકાર પણ નથી સ્થાપી શકી. અકબર તૈમુરલંગને વંશજ છે. તેના પિતા હુમાયુ જ્યારે ભારતનું સામ્રાજ્ય ગુમાવી પભ્રષ્ટ થઈ કાબુલ તરફ્ ગયે। હતા ત્યાંથી નિરાશ થઈ તે સિંધના હિન્દુ રાજાના આશ્રયે અમરકાટમાં જાય છે. અમરăાટને રાન્ન હુમાયુની —એક સમયના ભારતના સમ્રાટની દુર્દશા જોઈ દયા લાવી હુમાયુને સહાયતા આપે છે. હુમાયુ આ રાજાની સ્હાયતાથી મેટુ સૈન્ય લઈ યુધ્ધે ચઢે છે. પાછળ એની ખેગમ હમીદા બેગમે ઈ. સ. ૧૫૪૨ ના નવેમ્બરની ૨૩ મી તારીખે એક પુત્રરત્નને જન્મ આપ્યા, જેનું નામ બદરૂદીન મહમ્મદ અકબર રાખવામાં આવ્યું. ધાર્મિ`ક સહિષ્ણુતા, હિન્દુધર્માંના ધર્માંરાજાને ત્યાં થયા છે કેટલાક વિદ્વાન અને ઇતિહાસકાર। લખે છે કે અકબરમાં જે ઉદારતા, મહાનુભાવતા અને ભારતીય ધર્મો, ભારતીય સાહિત્ય અને ગુરુએ ઉપર પ્રેમ પ્રગટ્યો હતા તેનું કારણુ અકબરના જન્મ હિન્દુ એ પણ એક છે. અકબરના જન્મ થતાં જ હુમાયુના સિતારા ચમકે છે અને તે પુનઃ ભારતનું સામ્રાજ્ય મેળવવા ભાગ્યશાળી થાય છે. પરન્તુ એનું અલ્પ સમયમાં જ મૃત્યુ થાય છે. ત્યાર પછી અનેક ઉપદ્રવાને દબાવી મુશ્કેલીઓને છતી અકબર સમ્રાટ્રપદુ પ્રાપ્ત કરે છે. યદ્યપિ એને રાજ્યાભિષેક ઇ. સ. ૧૫૫૬માં ૧૪મી ફેબ્રુઆરીએ ગુરુદાસપુર જીલ્લાના ‘ કલનૌર ’ ગામમાં થયા હતા, પરન્તુ દિલ્હી અને આગ્રા જીતતાં એને સમય લાગ્યા હતા. અનુક્રમે અનેક યુદ્દો જીતી એ સમ્રાટ્ર બને છે. અકબર એક ધર્માંસભા સ્થાપે છે અને આગ્રાની નજીક ફત્તેહપુરસીક્રીમાં નવી રાજધાની સ્થાપે છે. : 6 એક વખત એ શ્રી હીરવિજયસૂરીશ્વરજીની ખ્યાતિ સાંભળે છે. અને તેમની વિદ્વત્તા, ત્યાગ, ચારિત્ર અને સંયમની કીતિ થી આકર્ષાઈ તેને સૂરિજી મહારાજને મળવાનું મન થાય છે. ૧. સમ્રાટ અક્બર દિલ્હી તે તે પહેલાં “ વિક્રમાદ્યિ હેમુ” એ દિલ્હીનું તખ્ત છતી મહાન સમ્રાટની પદવી મેળવી હતી. એ એક એસવાલ જૈન હતા. આ મહાનુભાવનું ઐતિહાસિક જીવન જાણવા ઇચ્છનારા મહાનુભાવાએ જયભિખ્ખુએ લખેલ વિક્રમાદિત્ય હૈમુ ' જોઈ લેવું. For Private And Personal Use Only
SR No.521614
Book TitleJain_Satyaprakash 1945 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy