SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] પ્રિયદર્શી અને સંપ્રતિની અભિન્નતા [ ૨૮૯ ઈચ્છતા હોય તેમણે શ્વેત વસ્ત્રો ધારણ કરવાં અને ઉપાશ્રયમાં,૮ વસવું એવી મારી ઇચ્છા છે. કેમ તે કે, સંઘની એકતા ચિરસ્થાયી રહે એટલા માટે. “સંધં ભાખતિ” અથવા “સંધં ભોખતિ '=સંઘની સમક્ષ વ્યાખ્યાન આપનાર જ્યારે સંધં ભિખતિ '=સંઘમાં ભિક્ષા માગવાને આવનાર; એટલે કે જે ભિક્ષુઓ સંધમાં ભિક્ષા માગવાને આવે અથવા તે વ્યાખ્યાન આપે તેમણે સફેદ વસ્ત્ર ધારણ કરવાં અને ઉપાશ્રયમાં રહેવું. આ સલાહનું કારણ પણ તે વખતની સ્થિતિના અભ્યાસીને સંપૂર્ણ સ્પષ્ટ છે જે નીચે પ્રમાણે સમજવું. સંપ્રતિના સમયે જૈન સાધુ સમુદાયમાં બે પક્ષ પડી ગયા હતા. એક પક્ષના સાધુઓ નગ્ન રહેતા અને જંગલોમાં, ગુફાઓમાં કે વૃક્ષ નીચે આરામ લેતા (આજના દિગંબર સાધુઓના અવલે નથી એને સ્પષ્ટ ખ્યાલ આવી શકશે). અને બીજા પક્ષના સાધુઓ સામાજિક સભ્યતાના નિયમોને ખ્યાલમાં લઈ સફેદ વસ્ત્ર ધારણ કરતા અને ઉપાયોમાં વસતા (આજના શ્વેતાંબર સાધુઓની જીવન-પ્રણાલિકાના દર્શનથી આ વસ્તુસ્થિતિ ખ્યાલમાં આવશે). તેમાં સંપ્રતિ પોતાના ગુરુ આર્ય સુહસ્તિને અનુસરીને શ્વેતાંબરનો પક્ષકાર બન્યો હતો. એટલે તે સાચી અને તેના જેવા અન્ય-કૌશાંબી, સારનાથ આદિ શાસને મારફત જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરનાં ભિક્ષુ ભિક્ષુઓને એવી સ્લાહ આપે છે કે, વ્યાખ્યાન અથવા તો ભિક્ષા માગે જે સાધુસાવી સંધની સાથે સંપર્કમાં રહેવા ઇચ્છતા હોય તેમણે છેવટે સંધની એકતા જાળવી રાખવાને ખાતર પણું, નગ્નાવસ્થા તજી દઈને સફેદ વસ્ત્રો ધારણ કરવાં અને જંગલે તથા ગિરિગલ્ડરામાં પડયા રહેવાને બદલે ઉપાશ્રયમાં રહેવું. [ ટિપ્પણ – આ સમયથી શ્રી આર્યમહાગિરિજીને અનુસરનારા જિનકલ્પી કહેવાયા અને શ્રી આર્યસૂહસ્તિજીને અનુસરનારા શ્વેતાંબર કહેવાયા-આ પ્રમાણે જેનસંઘના બે વિભાગ અત્યારથી પડયાનું, જૈન સાહિત્યમાં જે કહેવાયું છે તેને સંપ્રતિ મહારાજના લેખથી હવે સર્મથન મળે છે એમ સમજવું.] (૮) અહીં મૂળમાં અનાવાલિ શબ્દ છે. વિકાને તેનો અર્થ “મવાર સિવાયના સ્થાનો' એવો કરે છે. એટલે કે ભિક્ષુકે આવાસમાં વસે, અને સંઘના નિયમોનો ભંગ કરનારને આવાસ સિવાયના (નવાર) સ્થાનમાં મૂકવામાં આવશે. પરંતુ ભિક્ષુના નિવાસસ્થાન માટે ઉપાશ્રય-વિહાર શબ્દ વપરાય છે જ્યારે માવાસ શબ્દ તે કયાંય વપરાયેલ જ નથી. ખરી વાત તો એ છે કે, ભિક્ષુઓ આવાસ-નિવાસનાં સ્થાનોમાં વસી ન શકે એવો નિયમ છે. એટલે તેમના અસ્થિર વસવાટ અલ્પ-સમયના આશ્રયને માટે સંપ્રતિએ બંધાવેલ ઉપાશ્રયને અનાવલ નામ અપાયલું. સમય જતાં અનાયાસ શબ્દ પ્રચારમાંથી ઓછા થયા અને પાય જળવાઈ રહ્યો છે. (૯) અહીં મૂળમા વર મળે છે. કેટલાક તેનો અર્થ સંયણ મ=સંધનો માર્ગ એમ કરે છે. પણ અન્ય લેખમાં (કૌશબી) સમ=સંધની સમગ્રતા જણાવતો શબ્દ છે. ઉપરાંત તે વધારે સુઘટિત છે જેથી મેં પણ તેમજ અર્થ લધે છે. For Private And Personal Use Only
SR No.521614
Book TitleJain_Satyaprakash 1945 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy